DGVCL દ્વારા શહેરમાં 66KV પાંચબત્તી સબસ્ટેશન અને 8 ફીડર પર 8 કલાક વીજકાપ લડાયો હતો
વીજકાપના કારણે પાલિકા CO દ્વારા પાણી નહિ મળેની જાહેરાત કરાઈ હતી
શનિવારે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે વીજળી વિના અંધાધૂધી ફેલાવના પગલે કલેકટરે વીજકાપ રદ કરતા પાણી પણ 1.75 લાખ લોકોને મળશે
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. DGVCL દ્વારા શનિવારે 66 KV પાંચબત્તી સબસ્ટેશન અને 8 ફીડર પર 8 કલાકનો વીજકાપ લડાયો હતો. જેને લઈ પાલિકા મુખ્ય અધિકારીએ શહેરને પાણી પુરવઠો નહિ મળે તેમ જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ હોય વીજળી વિના કલેકટર કચેરી, મામલતદાર કચેરી અને પ્રાંતમાં અગવડ ઉભી થવાની સ્થિતિ ઉભી થઇ હતી. ઉનાળાની દસ્તક હવે શરૂ થઈ ગઈ છે ત્યારે વીજ કંપનીએ સ્મરકામનું શિડયુલ હાથ ધર્યું છે. શનિવાર શતડાઉન દિવસ હોય DGVCL દ્વારા સમગ્ર ભરૂચ શહેરમાં સવારે 8 થી સાંજે 4 કલાક સુધી વીજકાપ ની જાહેરાત કરાઈ હતી.
શહેરના 66KV પંચબતી સબસ્ટેશન અને 8 ફીડર પર સ્મરકામને પગલે 8 કલાક 1.75 લાખ લોકોને વીજળી વિહોના રહેવું પડત. વીજ કાપ હોવાથી પાલિકા દ્વારા અયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટ પરથી શહેરમાં વિવિધ ટાંકી પરથી આપતો પાણી પુરવઠો પણ આપી શકાય નહીં હોવાથી, પાણી કાપ પણ મુકાયો હતો.
બીજી તરફ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. એમ.ડી. મોડિયા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અવ્યવસ્થા સર્જાઈ નહિ તે માટે વીજકાપ રદ કરાવી દેવામાં આવ્યો છે.
DGVCL દ્વારા શહેરમાં 66KV પાંચબત્તી સબસ્ટેશન અને 8 ફીડર પર 8 કલાક વીજકાપ લડાયો હતો
વીજકાપના કારણે પાલિકા CO દ્વારા પાણી નહિ મળેની જાહેરાત કરાઈ હતી
શનિવારે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે વીજળી વિના અંધાધૂધી ફેલાવના પગલે કલેકટરે વીજકાપ રદ કરતા પાણી પણ 1.75 લાખ લોકોને મળશે
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શનિવારે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. DGVCL દ્વારા શનિવારે 66 KV પાંચબત્તી સબસ્ટેશન અને 8 ફીડર પર 8 કલાકનો વીજકાપ લડાયો હતો. જેને લઈ પાલિકા મુખ્ય અધિકારીએ શહેરને પાણી પુરવઠો નહિ મળે તેમ જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ હોય વીજળી વિના કલેકટર કચેરી, મામલતદાર કચેરી અને પ્રાંતમાં અગવડ ઉભી થવાની સ્થિતિ ઉભી થઇ હતી. ઉનાળાની દસ્તક હવે શરૂ થઈ ગઈ છે ત્યારે વીજ કંપનીએ સ્મરકામનું શિડયુલ હાથ ધર્યું છે. શનિવાર શતડાઉન દિવસ હોય DGVCL દ્વારા સમગ્ર ભરૂચ શહેરમાં સવારે 8 થી સાંજે 4 કલાક સુધી વીજકાપ ની જાહેરાત કરાઈ હતી.
શહેરના 66KV પંચબતી સબસ્ટેશન અને 8 ફીડર પર સ્મરકામને પગલે 8 કલાક 1.75 લાખ લોકોને વીજળી વિહોના રહેવું પડત. વીજ કાપ હોવાથી પાલિકા દ્વારા અયોધ્યા ફિલ્ટ્રેશન પ્લાન્ટ પરથી શહેરમાં વિવિધ ટાંકી પરથી આપતો પાણી પુરવઠો પણ આપી શકાય નહીં હોવાથી, પાણી કાપ પણ મુકાયો હતો.
બીજી તરફ ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. એમ.ડી. મોડિયા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ અવ્યવસ્થા સર્જાઈ નહિ તે માટે વીજકાપ રદ કરાવી દેવામાં આવ્યો છે.