ગુજરાતમાં આખરે રૂપાણી સરકારની વિદાય, રાજ્યપાલને આપ્યું રજીનામું
દોઢ મહિનાથી રૂપાણી સરકાર જાય છે ની અટકળોનો અંત
ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રીઓ અને રાજ્યના મંત્રી મંડળ સાથે મળી રાજ્યપાલને આપ્યું ત્યાગપત્ર
ભાજપે નાના કાર્યકરને ગુજરાતના મુખ્યમંત્રી પદનું ઉત્તરદાયિત્વ બદલ આ આભારી
પ્રધાનમંત્રીનો પણ આભાર માન્યો, 5 વર્ષ રૂપાણી સરકારના પુરા કરાવ્યા બાદ હવે વહેલી ચૂંટણીના એંધાણ
કાર્યકારી CM તરીકે ડે.CM હાલ પૂરતા નીતિન પટેલ સંભાળી શકે છે કમાન
[caption id="attachment_1396249" align="aligncenter" width="1280"] Gujarat, Viajy Rupani Resign as chief Minister[/caption]
WatchGujarat. ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી રૂપાણી સરકાર બદલાઈ છે ની ચાલતી અટકળોનો શનિવારે નાટકીય અંત આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગાંધીનગરમાં કેન્દ્રીય અને રાજકીય મંત્રી મંડળ સાથે રહી રાજ્યપાલને સત્તાવાર રાજીનામું આપી દીધું છે.
2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની અટકળો વચ્ચે 5 વર્ષ પૂર્ણ કરનાર રાજ્યની રૂપાણી સરકારે CM પદેથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.
છેલ્લા દોઢ વર્ષ થી વિજય રૂપાણી સરકાર સામે નારાજગી અને પાટીદાર ફેક્ટર વચ્ચે કેન્દ્રીય અને પ્રદેશ ભાજપ સંગઠન કેહતું હતું કે ,2022 નું ઇલેક્શન મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડવા હોવાનો ફોડ પાડ્યો હતો
જોકે અચાનક CM ના રાજીનામાં ને લઈ ગુજરાત સહિત કેન્દ્રમાં પણ સોપો પડી ગયો છે. હવે ભાજપમાં ગુજરાતના ચહેરો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે તેવો ફોડ પણ રૂપાણી એ પાડ્યો છે.
રાજકીય વિશ્લેષકો આ રાજીનામાંને ભાજપની વર્ષોથી સમજી વિચારી ને દર ચૂંટણી ટાણે ચાલતી ચાલ હોવાનું પણ હાલ કહેવાય રહ્યું છે. જોકે વિજય રૂપાણીએ સ્વૈચ્છીક કે દબાણવશ રાજીનામુ આપ્યું છે કે તેમનું ત્યાગ પત્ર લેવડાવી લેવામાં આવ્યું છે તેની અટકળો હવે તેજ બની ગઇ છે.
પાર્ટી હવે જે જવાબદારી સોંપશે તે નિભાવિશ : રૂપાણી
રાજ્યપાલને રાજીનામુ સુપરત કર્યા બાદ બહાર નીકળેલા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ગુજરાતના મુખ્યમંત્રી ની સોંપેલી જવાબદારી માટે હું આભારી છું. હવે પક્ષ મને જે કામગીરી સોંપશે તે હું નિભાવિશ.
આર.સી ફળદુ, રૂપાલા, નીતિન પટેલ હોઈ શકે CM
વિજય રૂપાણી ના રાજીનામાં બાદ હવે મુખ્યમંત્રી તરીકે આર.સી ફળદુ, નીતિન પટેલ, પરસોતમ રૂપાલા સહિતના નામ ચાલી રહ્યા છે. સાથે જ રૂપાણી એ ભાજપ સરકારમાં નેતૃત્વ પરિવર્તન આમ બાબત હોવાનું ગણાવ્યું હતું. અગાઉ પણ આનંદીબેનનું રાજીનામુ અપાવી ચૂંટણી પેહલા વિજય રૂપાણીને કમાન સોપાઈ હતી.
WatchGujarat. ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી રૂપાણી સરકાર બદલાઈ છે ની ચાલતી અટકળોનો શનિવારે નાટકીય અંત આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી એ ગાંધીનગરમાં કેન્દ્રીય અને રાજકીય મંત્રી મંડળ સાથે રહી રાજ્યપાલને સત્તાવાર રાજીનામું આપી દીધું છે.
2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીની અટકળો વચ્ચે 5 વર્ષ પૂર્ણ કરનાર રાજ્યની રૂપાણી સરકારે CM પદેથી રાજીનામું આપી દેતા ગુજરાતના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે.
છેલ્લા દોઢ વર્ષ થી વિજય રૂપાણી સરકાર સામે નારાજગી અને પાટીદાર ફેક્ટર વચ્ચે કેન્દ્રીય અને પ્રદેશ ભાજપ સંગઠન કેહતું હતું કે ,2022 નું ઇલેક્શન મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં જ લડવા હોવાનો ફોડ પાડ્યો હતો
જોકે અચાનક CM ના રાજીનામાં ને લઈ ગુજરાત સહિત કેન્દ્રમાં પણ સોપો પડી ગયો છે. હવે ભાજપમાં ગુજરાતના ચહેરો પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ છે તેવો ફોડ પણ રૂપાણી એ પાડ્યો છે.
રાજકીય વિશ્લેષકો આ રાજીનામાંને ભાજપની વર્ષોથી સમજી વિચારી ને દર ચૂંટણી ટાણે ચાલતી ચાલ હોવાનું પણ હાલ કહેવાય રહ્યું છે. જોકે વિજય રૂપાણીએ સ્વૈચ્છીક કે દબાણવશ રાજીનામુ આપ્યું છે કે તેમનું ત્યાગ પત્ર લેવડાવી લેવામાં આવ્યું છે તેની અટકળો હવે તેજ બની ગઇ છે.
પાર્ટી હવે જે જવાબદારી સોંપશે તે નિભાવિશ : રૂપાણી
રાજ્યપાલને રાજીનામુ સુપરત કર્યા બાદ બહાર નીકળેલા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ગુજરાતના મુખ્યમંત્રી ની સોંપેલી જવાબદારી માટે હું આભારી છું. હવે પક્ષ મને જે કામગીરી સોંપશે તે હું નિભાવિશ.
આર.સી ફળદુ, રૂપાલા, નીતિન પટેલ હોઈ શકે CM
વિજય રૂપાણી ના રાજીનામાં બાદ હવે મુખ્યમંત્રી તરીકે આર.સી ફળદુ, નીતિન પટેલ, પરસોતમ રૂપાલા સહિતના નામ ચાલી રહ્યા છે. સાથે જ રૂપાણી એ ભાજપ સરકારમાં નેતૃત્વ પરિવર્તન આમ બાબત હોવાનું ગણાવ્યું હતું. અગાઉ પણ આનંદીબેનનું રાજીનામુ અપાવી ચૂંટણી પેહલા વિજય રૂપાણીને કમાન સોપાઈ હતી.