દહેજમાં ગેસ પાઇપ લાઈનનું સમારકામને લઈ વહેતા થયેલા અહેવાલો પર કંપનીની સ્પષ્ટતા
રાજ્યના 14 લાખ PNG, 3700 ઇન્ડસ્ટ્રીઝ, 12300 કોમર્શિયલ અને 400 થી વધુ CNG પમ્પ પર પુરવઠો ચાલુ રહેશે
11 મીએ ગુજરાતભરમાં ગેસનો સપ્લાય બંધ રહેશેના અહેવાલોથી દેકારો મચતા વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ઝોપે WatchGujarat ને જાણવી હકીકત
WatchGujarat ગુજરાતભરમાં આગામી 11 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી 29 કલાક સુધી દહેજમાં સ્મરકામના પગલે ગુજરાત ગેસ કંપની લિમિટેડ (GGCL) દ્વારા ગેસ પુરવઠો બંધ રાખવાના વહેતા થયેલા અહેવાલોથી રાજ્યના 14.16 લાખ ગ્રાહકો અને લાખો વાહનચાલકોમાં દેકારો મચી ગયો છે.
વોચ ગુજરાત ( Watch Gujarat ) દ્વારા ગુજરાત ગેસ કંપનીના 29 કલાક સુધી રાજ્યમાં સમારકામના પગલે ગેસ પુરવઠો બંધ રહેવાના અહેવાલો અંગે GGCL કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ઝોપે સાથે વાત કરવામાં આવતા તેમણે આ અહેવાલોને રદિયો આપ્યો છે. આગામી 11 જાન્યુઆરીએ ગુજરાતભરમાં ગેસ સપ્લાય બંધ રહેશે. તેવા અહેવાલોને લઈ શુક્રવારે રાજ્યભરમાં ગૃહિણીઓ, ગેસ વપ્રશકારોમાં દેકારો મચી ગયો છે. વહેતા થયેલા અહેવાલો મુજબ દહેજમાં ગેસની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવનાર હોય એક દિવસ માટે એલપીજી, સીએનજી અને પીએનજીનો પુરવઠો બંધ રાખવામાં આવશે તેવી માહિતીઓ ફરતી થઈ હતી.
ગુજરાતમાં હાલ ગુજરાત ગેસ દ્વારા મોટા શહેરમાં સૌથી વધારે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશેના મેસેજોથી વાહનચાલકો, ગૃહિણીઓ, ઔદ્યોગિક ગૃહો, હોટલ રેસ્ટોરન્ટ પર તેની અસર વર્તવાની ભીતિથી હડકપ મચી ગયો છે.
દહેજ ખાતે ગેસ પાઇપલાઇનમાં સમારકામ હોવાથી 11 જાન્યુઆરીનો રોજ સવાર 5 વાગ્યાથી ગેસ સપ્લાય બંધ રહેશે. જે 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ ખબરથી લાખો વાહનચાલકો, ગૃહિણીઓ ગેસ વિના 29 કલાક કેવી રીતે વિટાવીશું તેને લઈ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. ગુજરાતમાં 21 વર્ષમાં પ્રથમવાર હશે કે ગેસ સપ્લાય બંધ રહેશે તેની સાથે જ ગેસ વપરાશકર્તાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવી હોવાનું પણ બિનસત્તાવાર માહિતી વહેતી થઈ હતી.
આ અંગે વોચ ગુજરાત ( Watch Gujarat ) દ્વારા ગુજરાત ગેસ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ઝોપ નો સંપર્ક કરી સીધી વાત કરવામાં આવી હતી. GGCL ના વાઇસ પ્રેસિડન્ટ ઝોપે કંપની વતી નિવેદન આપતા જણાવ્યું હતું કે,
ગુજરાત ગેસ લિમિટેડ કેટલાક સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલ અહેવાલ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી છે.
દહેજમાં સમારકામ ગેસ પુરવઠાને અસર પોહચાડ્યા વગર હાથ ધરવામાં આવશે. રાજ્યમાં GGCL દ્વારા 14 લાખથી વધુ ગ્રાહકોને ઘરમાં PNG (પાઇપડ નેચરલ ગેસ), 3700 ઉદ્યોગો, 12300 કોમર્શિયલ ગ્રાહકો અને 400 થી વધુ CNG પંપો પરથી વાહનોને છેલ્લા 24 વર્ષથી ગેસનો પુરવઠો અવિરત પહોંચાડવામાં આવે છે.
WatchGujarat ગુજરાતભરમાં આગામી 11 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યાથી 29 કલાક સુધી દહેજમાં સ્મરકામના પગલે ગુજરાત ગેસ કંપની લિમિટેડ (GGCL) દ્વારા ગેસ પુરવઠો બંધ રાખવાના વહેતા થયેલા અહેવાલોથી રાજ્યના 14.16 લાખ ગ્રાહકો અને લાખો વાહનચાલકોમાં દેકારો મચી ગયો છે.
વોચ ગુજરાત ( Watch Gujarat ) દ્વારા ગુજરાત ગેસ કંપનીના 29 કલાક સુધી રાજ્યમાં સમારકામના પગલે ગેસ પુરવઠો બંધ રહેવાના અહેવાલો અંગે GGCL કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ઝોપે સાથે વાત કરવામાં આવતા તેમણે આ અહેવાલોને રદિયો આપ્યો છે. આગામી 11 જાન્યુઆરીએ ગુજરાતભરમાં ગેસ સપ્લાય બંધ રહેશે. તેવા અહેવાલોને લઈ શુક્રવારે રાજ્યભરમાં ગૃહિણીઓ, ગેસ વપ્રશકારોમાં દેકારો મચી ગયો છે. વહેતા થયેલા અહેવાલો મુજબ દહેજમાં ગેસની પાઈપલાઈનનું સમારકામ કરવામાં આવનાર હોય એક દિવસ માટે એલપીજી, સીએનજી અને પીએનજીનો પુરવઠો બંધ રાખવામાં આવશે તેવી માહિતીઓ ફરતી થઈ હતી.
ગુજરાતમાં હાલ ગુજરાત ગેસ દ્વારા મોટા શહેરમાં સૌથી વધારે પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ્યભરમાં 11 જાન્યુઆરીના રોજ ગેસ સપ્યાલ બંધ રાખવામાં આવશેના મેસેજોથી વાહનચાલકો, ગૃહિણીઓ, ઔદ્યોગિક ગૃહો, હોટલ રેસ્ટોરન્ટ પર તેની અસર વર્તવાની ભીતિથી હડકપ મચી ગયો છે.
દહેજ ખાતે ગેસ પાઇપલાઇનમાં સમારકામ હોવાથી 11 જાન્યુઆરીનો રોજ સવાર 5 વાગ્યાથી ગેસ સપ્લાય બંધ રહેશે. જે 12 જાન્યુઆરી સવારે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ ખબરથી લાખો વાહનચાલકો, ગૃહિણીઓ ગેસ વિના 29 કલાક કેવી રીતે વિટાવીશું તેને લઈ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. ગુજરાતમાં 21 વર્ષમાં પ્રથમવાર હશે કે ગેસ સપ્લાય બંધ રહેશે તેની સાથે જ ગેસ વપરાશકર્તાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી લેવા સૂચના આપવામાં આવી હોવાનું પણ બિનસત્તાવાર માહિતી વહેતી થઈ હતી.
આ અંગે વોચ ગુજરાત ( Watch Gujarat ) દ્વારા ગુજરાત ગેસ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ સંતોષ ઝોપ નો સંપર્ક કરી સીધી વાત કરવામાં આવી હતી. GGCL ના વાઇસ પ્રેસિડન્ટ ઝોપે કંપની વતી નિવેદન આપતા જણાવ્યું હતું કે,
ગુજરાત ગેસ લિમિટેડ કેટલાક સમાચાર માધ્યમોમાં પ્રકાશિત થયેલ અહેવાલ બાબતે સ્પષ્ટતા કરવા માંગે છે કે, ગુજરાત ગેસના અધિકૃત વિસ્તારના ઔદ્યોગિક, વાણિજયક, સીએનજી અને ઘરેલુ ગ્રાહકોના ગેસના પુરવઠામાં કોઈપણ જાતનો કાપ મૂકવામાં આવશે નહીં અને તમામ ગ્રાહકોને તેમની જરૂરિયાત અનુસાર ગેસનો પુરવઠો મળતો રહેશે જેની નોંધ લેવા વિનંતી છે.
દહેજમાં સમારકામ ગેસ પુરવઠાને અસર પોહચાડ્યા વગર હાથ ધરવામાં આવશે. રાજ્યમાં GGCL દ્વારા 14 લાખથી વધુ ગ્રાહકોને ઘરમાં PNG (પાઇપડ નેચરલ ગેસ), 3700 ઉદ્યોગો, 12300 કોમર્શિયલ ગ્રાહકો અને 400 થી વધુ CNG પંપો પરથી વાહનોને છેલ્લા 24 વર્ષથી ગેસનો પુરવઠો અવિરત પહોંચાડવામાં આવે છે.