ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી 500 મીટર દૂર જ લકઝરી ભડકે બળી
ટાયરમાં લાગેલી આગમાં જોતજોતામાં સમગ્ર બસ બળીને ખાખ
ભરૂચ પાલિકા, અંકલેશ્વર નોટિફાઇડ અને કંપનીઓના ફાયર ફાઈટરો હાઇવે પર ધસી ગયા
હાઇવે પર બર્નીગ બસના દ્રશ્યો વચ્ચે ટ્રાફિકજામ
[caption id="attachment_1418838" align="aligncenter" width="1600"] Bharuch, Burning Luxury Bus[/caption]
WatchGujarat. સુરતથી 32 જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લકઝરી બસ ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર એકાએક ભડકે બળવા લાગી હતી. ડ્રાઇવરે બસ થોભાવી દેતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે બસ બળીને સમ્પૂર્ણ ખાખ થઈ ગઇ હતી.
https://youtu.be/MgyCb57mOU0
સુરતના દર્શન ટ્રાવેલ્સની બસ મંગળવારે રાતે 32 જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ માટે નીકળી હતી. સ્લીપર બસ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી ત્યાં જ ટાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ભડકે બળતા ટાયર સમગ્ર બસને ચપેટમાં લેવાનું શરૂ કરતાં મુલદ ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર બર્નીગ બસને થોભાવી દેવાઇ હતી.
[caption id="attachment_1418836" align="aligncenter" width="1600"] Bharuch, Burning Luxury Bus[/caption]
બુમરાણ અને ચિચાયરીઓ કરતા મુસાફરો સળગતી બસમાંથી બહાર નીકળી આવતા તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે અંકલેશ્વરથી ભરૂચ તરફની હાઈવેની લેન ઉપર વાહનોનો ચક્કાજામ સર્જઇ ગયો હતો. ફાયરનો કોલ અંકલેશ્વર DPMC અને ભરૂચ પાલિકાને કરતા 3 ફાયર ટેન્ડરો હાઇવે પર ઘટના સ્થળે દોડી ગયા હતા .
[caption id="attachment_1418837" align="aligncenter" width="1600"] Bharuch, Burning Luxury Bus[/caption]
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલિસ પણ દોડી આવી હતી. બસમાં ટાયરમાં આગ લાગતા સમગ્ર બસ જોતજોતામાં હાડપિંજર બની ગઇ હતી. જોકે દિવાળી ટાણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 13 વર્ષ પહેલા ભરૂચની નર્મદા ચોકડી નજીક મળસ્કે પટેલ ટ્રાવેલ્સની મુંબઈથી અમદાવાદ જતી વોલ્વો બસમાં લાગેલી આગે 16 જેટલા મુસાફરોને ભડથું કરી દીધા હતા. આજની આ ઘટનાએ જૂની દર્દનાક યાદો તાજી કરી હતી.
ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી 500 મીટર દૂર જ લકઝરી ભડકે બળી
ટાયરમાં લાગેલી આગમાં જોતજોતામાં સમગ્ર બસ બળીને ખાખ
ભરૂચ પાલિકા, અંકલેશ્વર નોટિફાઇડ અને કંપનીઓના ફાયર ફાઈટરો હાઇવે પર ધસી ગયા
WatchGujarat. સુરતથી 32 જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ જતી દર્શન ટ્રાવેલ્સની સ્લીપર લકઝરી બસ ભરૂચના મુલદ ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર એકાએક ભડકે બળવા લાગી હતી. ડ્રાઇવરે બસ થોભાવી દેતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે બસ બળીને સમ્પૂર્ણ ખાખ થઈ ગઇ હતી.
સુરતના દર્શન ટ્રાવેલ્સની બસ મંગળવારે રાતે 32 જેટલા મુસાફરોને લઇ જૂનાગઢ માટે નીકળી હતી. સ્લીપર બસ અંકલેશ્વર અને ભરૂચ વચ્ચેથી પુરપાટ ઝડપે પસાર થઈ રહી ત્યાં જ ટાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં ભડકે બળતા ટાયર સમગ્ર બસને ચપેટમાં લેવાનું શરૂ કરતાં મુલદ ટોલ પ્લાઝાથી માંડ 500 મીટર દૂર બર્નીગ બસને થોભાવી દેવાઇ હતી.
બુમરાણ અને ચિચાયરીઓ કરતા મુસાફરો સળગતી બસમાંથી બહાર નીકળી આવતા તમામનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે અંકલેશ્વરથી ભરૂચ તરફની હાઈવેની લેન ઉપર વાહનોનો ચક્કાજામ સર્જઇ ગયો હતો. ફાયરનો કોલ અંકલેશ્વર DPMC અને ભરૂચ પાલિકાને કરતા 3 ફાયર ટેન્ડરો હાઇવે પર ઘટના સ્થળે દોડી ગયા હતા .
ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલિસ પણ દોડી આવી હતી. બસમાં ટાયરમાં આગ લાગતા સમગ્ર બસ જોતજોતામાં હાડપિંજર બની ગઇ હતી. જોકે દિવાળી ટાણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. 13 વર્ષ પહેલા ભરૂચની નર્મદા ચોકડી નજીક મળસ્કે પટેલ ટ્રાવેલ્સની મુંબઈથી અમદાવાદ જતી વોલ્વો બસમાં લાગેલી આગે 16 જેટલા મુસાફરોને ભડથું કરી દીધા હતા. આજની આ ઘટનાએ જૂની દર્દનાક યાદો તાજી કરી હતી.