અગાઉ જાહેર કરવામાં આવેલી એસઓપીનો અમલ કરવાનો રહેશે.
શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ- 9થી12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિણર્ય
WatchGujarat 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં 9 અને ધોરણ 11ના વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોએ અગાઉ જાહેર કરવામાં આવેલી એસઓપીનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ- 9થી12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિણર્ય કર્યો છે.
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે 10 મહિનાથી સ્કૂલો બંધ રહી હતી. ત્યારે કોરોનાની વેક્સીન આવ્યાબાદ એક પછી એક ધોરણ માટે સ્કૂલોને ખોલવામાં આવી રહી છે. અગાઉ ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં આવી હતી. ત્યારે આજ રોજ ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ના ક્લાસ ખૂલ્યા બાદ હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે સ્કૂલોમાં ધોરણ 10 અને 12ના બાળકોની હાજરી ખૂબ સંતોષકારક જોવા મળી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે કેબિનેટની બેઠક બાદ 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે જણાવી દીધું છે. એટલું જ નહીં, કોરોના વખતથી બંધ ટ્યૂશન ક્લાસિસને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ટ્યૂશન ક્લાસિસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરવામાં આવશે. આ સાથે જ હવે ધોરણ – 9થી 12ના જ ટ્યૂશન ક્લાસિસ ચાલુ કરવા સરકારની પરમિશન મળી ગઈ છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણકાર્ય ચાલુ કરાશે.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓમાં અને સ્કૂલો માટે જાહેર કરવામાં આવેલી એસઓપીનો અમલ કરવાનો રહેશે .તેમજ કેબિનેટની મળેલી બેઠકમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ- 9થી12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિણર્ય કર્યો છે.
અગાઉ જાહેર કરવામાં આવેલી એસઓપીનો અમલ કરવાનો રહેશે.
શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ- 9થી12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિણર્ય
WatchGujarat 1 ફેબ્રુઆરીથી રાજ્યમાં 9 અને ધોરણ 11ના વર્ગો શરૂ કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. ધો. 9 અને 11ના વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકોએ અગાઉ જાહેર કરવામાં આવેલી એસઓપીનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ- 9થી12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિણર્ય કર્યો છે.
વૈશ્વિક મહામારી કોરોનાના કારણે 10 મહિનાથી સ્કૂલો બંધ રહી હતી. ત્યારે કોરોનાની વેક્સીન આવ્યાબાદ એક પછી એક ધોરણ માટે સ્કૂલોને ખોલવામાં આવી રહી છે. અગાઉ ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં આવી હતી. ત્યારે આજ રોજ ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ધોરણ 10 અને 12ના ક્લાસ ખૂલ્યા બાદ હવે 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11નું શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે. આજે કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટું નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે સ્કૂલોમાં ધોરણ 10 અને 12ના બાળકોની હાજરી ખૂબ સંતોષકારક જોવા મળી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આજે કેબિનેટની બેઠક બાદ 1 ફેબ્રુઆરીથી ધોરણ – 9 અને 11ના વર્ગો શરૂ કરવા માટે જણાવી દીધું છે. એટલું જ નહીં, કોરોના વખતથી બંધ ટ્યૂશન ક્લાસિસને લઈને પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ટ્યૂશન ક્લાસિસ પણ 1 ફેબ્રુઆરીથી ચાલુ કરવામાં આવશે. આ સાથે જ હવે ધોરણ – 9થી 12ના જ ટ્યૂશન ક્લાસિસ ચાલુ કરવા સરકારની પરમિશન મળી ગઈ છે. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે શિક્ષણકાર્ય ચાલુ કરાશે.
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ધોરણ 10 અને 12માં વિદ્યાર્થીઓમાં અને સ્કૂલો માટે જાહેર કરવામાં આવેલી એસઓપીનો અમલ કરવાનો રહેશે .તેમજ કેબિનેટની મળેલી બેઠકમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ- 9થી12ના અભ્યાસક્રમમાં 30 ટકા ઘટાડો કરવાનો નિણર્ય કર્યો છે.