ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલના ICUમાં પણ શોર્ટ સર્કીટના કારણે આગ લાગી
સયાજી હોસ્પિટલમાં લાગેલી આગનો હજી સુધી કોઇ રિપોર્ટ આવ્યો નથી.
BREAKING - રાજકોટની ઉદય COVID હોસ્પિટલમાં ભીષણ આગ, 5 દર્દીઓ જીવતા ભૂંજાયા, જુઓ વિડીયો
WatchGujarat. શહેરનાં આનંદ બંગલા ચોક ખાતે આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. હોસ્પિટલનાં બીજા માળની મશીનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી લાગતા 5 દર્દીઓ જીવતા ભૂંજાઇ ગયા હોવાનું સામે આવ્યું છે. બીજા માળે આવેલા ICU વોર્ડમાં કુલ 11 દર્દીઓ હતા. જે પૈકી ત્રણનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 8 દર્દીઓને હોસ્પિટલની બીજી શાખામાં શિફ્ટ કરાયા હતા. જે પૈકી પણ વધુ બે દર્દીઓનાં મોત થતા મૃત્યુઆંક 5 પર પહોંચ્યો હતો. હજુપણ અમુક દર્દીઓની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.ઘટનાને પગલે ફાયર ફાઈટરોનો કાફલો દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. આગમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર NOC સહિતનાં તમામ જરૂરી દસ્તાવેજો બળી ગયા હોવાનો દાવો આ હોસ્પિટલનાં સંચાલકે કર્યો છે. ઘટનાની જાણ થતાં જ મેયર અને કમિશ્નર સહિતનાં હોદ્દેદારો દોડી ગયા છે.
મ્યુ. કમિશ્નરનાં જણાવ્યા મુજબ શિવાનંદ હોસ્પિટલે ફાયર એન.ઓ.સી લીધેલી છે. પરંતુ એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે અને બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો વિપક્ષનાં નેતાએ વસરામ સાગઠિયાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરતા ન આવડ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે માહિતી મેળવી ત્વરિત કાર્યવાહીનાં અદેશો આપ્યા છે.
https://youtu.be/oQi3rcPR7NU
મૃતકોનાં નામ
રામસિંહ ભાઈ
નિતિનભાઇ બાદાણી
રશિકલાલ અગ્રવાત
સંજય રાઠોડ
કેશુભાઈ અકબરી
#Breaking #Rajkot #Hospital #Fire
ગત તા. 8 સપ્ટેમ્બરના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલના ICUમાં પણ શોર્ટ સર્કીટના કારણે આગ લાગી
સયાજી હોસ્પિટલમાં લાગેલી આગનો હજી સુધી કોઇ રિપોર્ટ આવ્યો નથી.
WatchGujarat. શહેરનાં આનંદ બંગલા ચોક ખાતે આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડીરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. હોસ્પિટલનાં બીજા માળની મશીનરીમાં શોટ સર્કિટના કારણે આગ લાગી લાગતા 5 દર્દીઓ જીવતા ભૂંજાઇ ગયા હોવાનું સામે આવ્યું છે. બીજા માળે આવેલા ICU વોર્ડમાં કુલ 11 દર્દીઓ હતા. જે પૈકી ત્રણનાં ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 8 દર્દીઓને હોસ્પિટલની બીજી શાખામાં શિફ્ટ કરાયા હતા. જે પૈકી પણ વધુ બે દર્દીઓનાં મોત થતા મૃત્યુઆંક 5 પર પહોંચ્યો હતો. હજુપણ અમુક દર્દીઓની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.ઘટનાને પગલે ફાયર ફાઈટરોનો કાફલો દોડી ગયો હતો. અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. આગમાં ફાયર સેફટીના સાધનો તેમજ ફાયર NOC સહિતનાં તમામ જરૂરી દસ્તાવેજો બળી ગયા હોવાનો દાવો આ હોસ્પિટલનાં સંચાલકે કર્યો છે. ઘટનાની જાણ થતાં જ મેયર અને કમિશ્નર સહિતનાં હોદ્દેદારો દોડી ગયા છે.
મ્યુ. કમિશ્નરનાં જણાવ્યા મુજબ શિવાનંદ હોસ્પિટલે ફાયર એન.ઓ.સી લીધેલી છે. પરંતુ એક્ઝિટ ગેટ અંગે તપાસ કરવામાં આવશે અને બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તો વિપક્ષનાં નેતાએ વસરામ સાગઠિયાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા હોસ્પિટલના સ્ટાફને ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરતા ન આવડ્યું હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે માહિતી મેળવી ત્વરિત કાર્યવાહીનાં અદેશો આપ્યા છે.