1930 માં દાંડીયાત્રાના એ જ રૂટ પ્રમાણે ભરૂચમાંથી યાત્રા બોટ દ્વારા નર્મદા નદી પસાર કરી અંકલેશ્વર પહોંચશે
આઝાદ ભારતના 75 વર્ષ અને દાંડી યાત્રાના 91 વર્ષની ભરૂચ જિલ્લામાં ઉજવણીનું આયોજન
WatchGujarat 75 વર્ષ ભારતના અને 91 વર્ષ દાંડીકૂચની ઉજવણી બાબતે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, 75 વર્ષ ભારતના અને દાંડીકૂચની ઉજવણી અંતર્ગત દાંડીયાત્રા સાબરમતી આશ્રમ, અમદાવાદથી નીકળી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ દાંડી ખાતે પૂર્ણ થશે. આ યાત્રા 12 માર્ચના રોજ અમદવાદથી નીકળી 20 માર્ચના રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરશે.
ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કારેલી ગામથી પ્રવેશ કર્યા બાદ વેડચ, ગજેરા, અણખી, જંબુસર, આમોદ, વાગરા તાલુકાના બુવા, સમની, ભરૂચ તાલુકાના ત્રાલસા, ડેરોલ, ભરૂચ, અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર, સજોદ અને હાંસોટ તાલુકાના માંગરોળ, રાયમા ખાતે દાંડીયાત્રાની ઉજવણી થશે.
દાંડીયાત્રા ભરૂચ જિલ્લામાં 20 થી 28 માર્ચ સુધીમાં 7 રાત્રી અને 8 દિવસનું રોકાણ કરશે. ભરૂચ જિલ્લામાં કારેલી, અણખી, આમોદ, સમની, ડેરોલ, અંકલેશ્વર અને માંગરોળ ખાતે રાત્રી રોકાણ કરશે.
વર્ષ 1930 માં આ દાંડીયાત્રાનો જે રૂટ હતો એ જ રૂટ પ્રમાણે ભરૂચમાંથી યાત્રા બોટ દ્વારા નર્મદા નદી પસાર કરશે અને અંકલેશ્વર પહોંચશે. એ માટે પણ ખાસ આયોજન કરવામાં આવશે. સાથે સાથે પોલીસ બંદોબસ્ત અને સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને આરોગ્ય ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારી રાજેન્દ્ર ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા અને સંબંધિત વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતાં.
1930 માં દાંડીયાત્રાના એ જ રૂટ પ્રમાણે ભરૂચમાંથી યાત્રા બોટ દ્વારા નર્મદા નદી પસાર કરી અંકલેશ્વર પહોંચશે
આઝાદ ભારતના 75 વર્ષ અને દાંડી યાત્રાના 91 વર્ષની ભરૂચ જિલ્લામાં ઉજવણીનું આયોજન
WatchGujarat 75 વર્ષ ભારતના અને 91 વર્ષ દાંડીકૂચની ઉજવણી બાબતે જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરએ જણાવ્યું હતું કે, 75 વર્ષ ભારતના અને દાંડીકૂચની ઉજવણી અંતર્ગત દાંડીયાત્રા સાબરમતી આશ્રમ, અમદાવાદથી નીકળી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં આવેલ દાંડી ખાતે પૂર્ણ થશે. આ યાત્રા 12 માર્ચના રોજ અમદવાદથી નીકળી 20 માર્ચના રોજ ભરૂચ જિલ્લામાં પ્રવેશ કરશે.
ભરૂચ જિલ્લામાં જંબુસર તાલુકાના કારેલી ગામથી પ્રવેશ કર્યા બાદ વેડચ, ગજેરા, અણખી, જંબુસર, આમોદ, વાગરા તાલુકાના બુવા, સમની, ભરૂચ તાલુકાના ત્રાલસા, ડેરોલ, ભરૂચ, અંકલેશ્વર તાલુકાના અંકલેશ્વર, સજોદ અને હાંસોટ તાલુકાના માંગરોળ, રાયમા ખાતે દાંડીયાત્રાની ઉજવણી થશે.
દાંડીયાત્રા ભરૂચ જિલ્લામાં 20 થી 28 માર્ચ સુધીમાં 7 રાત્રી અને 8 દિવસનું રોકાણ કરશે. ભરૂચ જિલ્લામાં કારેલી, અણખી, આમોદ, સમની, ડેરોલ, અંકલેશ્વર અને માંગરોળ ખાતે રાત્રી રોકાણ કરશે.
વર્ષ 1930 માં આ દાંડીયાત્રાનો જે રૂટ હતો એ જ રૂટ પ્રમાણે ભરૂચમાંથી યાત્રા બોટ દ્વારા નર્મદા નદી પસાર કરશે અને અંકલેશ્વર પહોંચશે. એ માટે પણ ખાસ આયોજન કરવામાં આવશે. સાથે સાથે પોલીસ બંદોબસ્ત અને સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને આરોગ્ય ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારી રાજેન્દ્ર ચુડાસમા, જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતા અને સંબંધિત વિભાગના અધિકારીગણ ઉપસ્થિત રહયા હતાં.