તહેવારોનો જોશ અને પોતાનો હોશ સાથે રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે તો અકસ્માતને ટાળી શકાય
ત્રણ દિવસમાં ત્રીજા બાળકનું પતંગના કારણે મોત થયું
WatchGujarat. ઉત્તરાયણ પર્વમાં પતંગ ઉડાડવા માટે નાના બાળકોથી લઇને મોટેરાઓમાં અનેરો ઉત્સાહ હોય છે. પરંતુ કેટલીક વખત તહેવારના જોશમાં જીવલેણ અકસ્માત પણ બનતા હોય છે. તહેવારોનો જોશ અને પોતાનો હોશ સાથે રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે તો અકસ્માતને ટાળી શકાય છે. વડોદરા અને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં પતંગ ચડાવતી વેળાએ અકસ્માતે પટકાતા બે બાળકોએ જીવ ગુમાવવાની ઘટનાઓ સામે આવી છે. જેને લઇને માં-બાપ જાગૃત રહે તેવી અપીલ watchgujarat.com દ્વારા કરવામાં આવી રહી છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવત પરિવાર સાથે રહેતો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા. દરમ્યાનમાં રોનકના દાદી ઘરમાં નીચે હતા અને રોનક ધાબે પતંગ ચગાવવા ગયો હતો. અચાનક જ રોનક ધાબેથી પટકાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પતંગ ચગાવતા એવું તો શું થયું કે તે નીચે પટકાયો તેની જાણ નથી. પણ આસપાસના લોકોએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
[caption id="attachment_188392" align="aligncenter" width="1280"] 10 વર્ષીય રોનક રાવત[/caption]
ગત રોજ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ ઝવેરનગર સ્થિત સરકારી સ્કૂલ નજીક આવેલ નર્મદા એપાર્ટમેન્ટ ખાતે આજે સાંજે સાડા પાંચે ચાર માળની ખંડેર બિલ્ડીંગ પરથી પતંગ ચઢાવતા વિરલ કરશનભાઇ રાઠવા (ઉંમર 10 વર્ષ) નામનો બાળક ઉપર પેરાફીટ ન હોવાથી નીચે પડતા બાળકનું મૃત્યુ થયું હતું. મૃતક બાળકને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
[caption id="attachment_188393" align="aligncenter" width="1280"] વિરલ કરશનભાઇ રાઠવા[/caption]
બે દિવસ પહેલા સુરતના પુણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષનો પુત્ર કેનીલ દરરોજની જેમ ગુરુવારે સાંજે સવા ચાર વાગ્યે ઘરની નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો. દરમિયાન કેનીલ સામેના ઘરમાં ગયો હતો અને ઘરની અંદર ગયા બાદ તે બીજા માળે અગાસી પર ચાલ્યો હતો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો. પરંતુ પતંગ ચગાવતી વખતે કેનીલ બીજા માળેથી નીચે પકડાયો હતો. ગોહિલ પરિવારને જાણ થતા તેઓ દોડતા થઇ ગયા હતા. પુત્ર કેનીલને લઇને પરવટ પાટીયાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તબીબોએ પુત્ર કેનીલને મૃત જાહેર કર્યો હતો.
[caption id="attachment_188408" align="aligncenter" width="1280"] કેનીલ[/caption]
તહેવારોનો જોશ અને પોતાનો હોશ સાથે રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે તો અકસ્માતને ટાળી શકાય
ત્રણ દિવસમાં ત્રીજા બાળકનું પતંગના કારણે મોત થયું
WatchGujarat. ઉત્તરાયણ પર્વમાં પતંગ ઉડાડવા માટે નાના બાળકોથી લઇને મોટેરાઓમાં અનેરો ઉત્સાહ હોય છે. પરંતુ કેટલીક વખત તહેવારના જોશમાં જીવલેણ અકસ્માત પણ બનતા હોય છે. તહેવારોનો જોશ અને પોતાનો હોશ સાથે રાખીને ઉત્સવની ઉજવણી કરવામાં આવે તો અકસ્માતને ટાળી શકાય છે. વડોદરા અને અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં પતંગ ચડાવતી વેળાએ અકસ્માતે પટકાતા બે બાળકોએ જીવ ગુમાવવાની ઘટનાઓ સામે આવી છે. જેને લઇને માં-બાપ જાગૃત રહે તેવી અપીલ watchgujarat.com દ્વારા કરવામાં આવી રહી છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવત પરિવાર સાથે રહેતો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા. દરમ્યાનમાં રોનકના દાદી ઘરમાં નીચે હતા અને રોનક ધાબે પતંગ ચગાવવા ગયો હતો. અચાનક જ રોનક ધાબેથી પટકાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પતંગ ચગાવતા એવું તો શું થયું કે તે નીચે પટકાયો તેની જાણ નથી. પણ આસપાસના લોકોએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.
ગત રોજ વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે આવેલ ઝવેરનગર સ્થિત સરકારી સ્કૂલ નજીક આવેલ નર્મદા એપાર્ટમેન્ટ ખાતે આજે સાંજે સાડા પાંચે ચાર માળની ખંડેર બિલ્ડીંગ પરથી પતંગ ચઢાવતા વિરલ કરશનભાઇ રાઠવા (ઉંમર 10 વર્ષ) નામનો બાળક ઉપર પેરાફીટ ન હોવાથી નીચે પડતા બાળકનું મૃત્યુ થયું હતું. મૃતક બાળકને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
[caption id="attachment_188393" align="aligncenter" width="1280"] વિરલ કરશનભાઇ રાઠવા[/caption]
બે દિવસ પહેલા સુરતના પુણાના ગાંધીનગર ફળિયામાં રહેતા ખેડૂત રીગનસિંહ ગોહિલનો 5 વર્ષનો પુત્ર કેનીલ દરરોજની જેમ ગુરુવારે સાંજે સવા ચાર વાગ્યે ઘરની નીચે ફળિયામાં રમવા લાગી ગયો હતો. દરમિયાન કેનીલ સામેના ઘરમાં ગયો હતો અને ઘરની અંદર ગયા બાદ તે બીજા માળે અગાસી પર ચાલ્યો હતો અને પતંગ ચગાવવા લાગી ગયો હતો. પરંતુ પતંગ ચગાવતી વખતે કેનીલ બીજા માળેથી નીચે પકડાયો હતો. ગોહિલ પરિવારને જાણ થતા તેઓ દોડતા થઇ ગયા હતા. પુત્ર કેનીલને લઇને પરવટ પાટીયાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તબીબોએ પુત્ર કેનીલને મૃત જાહેર કર્યો હતો.
[caption id="attachment_188408" align="aligncenter" width="1280"] કેનીલ[/caption]