અંકલેશ્વરમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે શિક્ષકોનો અનોખો યજ્ઞ
જે બાળકો પાસે સ્માર્ટ ફોન ન હોય તેવા બાળકોને શેરી શિક્ષણમાં શિક્ષક દ્વારા ફળિયા કે મહોલ્લામાં જઈ અપાય છે શિક્ષણ
વેકેશનમાં તાલુકાની 86 સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 15163 બાળકોનો સર્વે કરી સ્માર્ટફોન નહિ ધરાવતા બાળકોની માહિતી એકત્ર કરાઈ હતી
Watchgujarat. કોરોના કાળ દરમિયાન શાળા – કોલેજો બંધ છે અને તેમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાય એવા બાળકો છે જેઓના પરિવાર પાસે સ્માર્ટ ફોન નથી અને તેઓને ઓનલાઈન શીક્ષણ અપાઈ શકાતું નથી આવા બાળકોને ભણાવવા માટે અંકલેશ્વરમાં શિક્ષકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે
સામાન્ય રીતે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા મજુરી વર્ગ સાથે સંકળાયેલ પરિવારના બાળકો કોરોના કાળ દરમિયાન અભ્યાસ થી વંચિત રહી જાય તેવી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન અંકલેશ્વર ખાતે શિક્ષકોએ એક નવતર અભિગમ અપનાવ્યો હતો.
વેકેશન દરમિયાન શિક્ષકો દ્વારા જે બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો અને કયા બાળકો પાસે સ્માર્ટ ફોન છે અને કયા બાળકો પાસે નથી તેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જે બાળકો પાસે સ્માર્ટ ફોન નથી તેવા બાળકો માટે શેરી શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું.
એટલે કે શિક્ષકો ગામના બે ત્રણ ફળિયાની વચ્ચે એક સ્થળે જાય અને ત્યાં 10 થી 15 બાળકોને ભેગા કરી તેઓને ભણાવે. સોશ્યલ ડીસ્ટન્સ સાથે આવા બાળકોને શિક્ષણ પૂરું પાડવાનું કામ અંકલેશ્વરના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી તગડી ફી લઈને મોટી મોટી શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ તો આપવામાં આવ્યું પરંતુ શિક્ષણ માટેનો સાચો યજ્ઞ આ શિક્ષકો દ્વારા જ કરવામાં આવ્યો છે તેમ કહીએ તો તેમાં જરાયે અતિશયોકિત નથી.
સેવા યજ્ઞમાં જોડાયેલ બી.આર.સી. કોરડીનેટર અમીના બહેન પઠાણે જણાવ્યું હતું કે, સરકારના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં ગરીબ અને શ્રમજીવી વર્ગના પરિવારો કે જેઓ પાસે સ્માર્ટ ફોન ની સુવિધા નથી તેઓ શિક્ષણ થી વંચિત ના રહી જાય તે માટે તેઓ અને તેઓની ટીમે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. અને તેઓના આ શિક્ષણ યજ્ઞ થકી ગરીબ બાળકો પણ અન્ય વિદ્યાર્થીઓ સમકક્ષ શિક્ષણ મેળવી શક્યા છે તેનો આત્મસંતોષ મળી રહ્યો છે.
તાલુકા ની 86 સરકારી શાળાઓમાં કુલ 15163 વિદ્યાર્થીઓ
8373 ટેલિવિઝન સુવિધા ધરાવતા
118 રેડિયો સુવિધા વાળા
2976 સાદો મોબાઈલ
6058 સ્માર્ટ ફોન
1216 વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકાર નું ડિવાઇસ ધરાવતા નથી
અંકલેશ્વરમાં સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ગરીબ બાળકો માટે શિક્ષકોનો અનોખો યજ્ઞ
જે બાળકો પાસે સ્માર્ટ ફોન ન હોય તેવા બાળકોને શેરી શિક્ષણમાં શિક્ષક દ્વારા ફળિયા કે મહોલ્લામાં જઈ અપાય છે શિક્ષણ
વેકેશનમાં તાલુકાની 86 સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 15163 બાળકોનો સર્વે કરી સ્માર્ટફોન નહિ ધરાવતા બાળકોની માહિતી એકત્ર કરાઈ હતી
Watchgujarat. કોરોના કાળ દરમિયાન શાળા – કોલેજો બંધ છે અને તેમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પરંતુ કેટલાય એવા બાળકો છે જેઓના પરિવાર પાસે સ્માર્ટ ફોન નથી અને તેઓને ઓનલાઈન શીક્ષણ અપાઈ શકાતું નથી આવા બાળકોને ભણાવવા માટે અંકલેશ્વરમાં શિક્ષકો દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે
સામાન્ય રીતે સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા મજુરી વર્ગ સાથે સંકળાયેલ પરિવારના બાળકો કોરોના કાળ દરમિયાન અભ્યાસ થી વંચિત રહી જાય તેવી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન અંકલેશ્વર ખાતે શિક્ષકોએ એક નવતર અભિગમ અપનાવ્યો હતો.
વેકેશન દરમિયાન શિક્ષકો દ્વારા જે બાળકોનો સર્વે કરવામાં આવ્યો હતો અને કયા બાળકો પાસે સ્માર્ટ ફોન છે અને કયા બાળકો પાસે નથી તેની માહિતી એકત્ર કરવામાં આવી હતી. જે બાળકો પાસે સ્માર્ટ ફોન નથી તેવા બાળકો માટે શેરી શિક્ષણ શરુ કરવામાં આવ્યું હતું.
એટલે કે શિક્ષકો ગામના બે ત્રણ ફળિયાની વચ્ચે એક સ્થળે જાય અને ત્યાં 10 થી 15 બાળકોને ભેગા કરી તેઓને ભણાવે. સોશ્યલ ડીસ્ટન્સ સાથે આવા બાળકોને શિક્ષણ પૂરું પાડવાનું કામ અંકલેશ્વરના શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી તગડી ફી લઈને મોટી મોટી શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઈન શિક્ષણ તો આપવામાં આવ્યું પરંતુ શિક્ષણ માટેનો સાચો યજ્ઞ આ શિક્ષકો દ્વારા જ કરવામાં આવ્યો છે તેમ કહીએ તો તેમાં જરાયે અતિશયોકિત નથી.
સેવા યજ્ઞમાં જોડાયેલ બી.આર.સી. કોરડીનેટર અમીના બહેન પઠાણે જણાવ્યું હતું કે, સરકારના ઓનલાઈન શિક્ષણ કાર્યક્રમમાં ગરીબ અને શ્રમજીવી વર્ગના પરિવારો કે જેઓ પાસે સ્માર્ટ ફોન ની સુવિધા નથી તેઓ શિક્ષણ થી વંચિત ના રહી જાય તે માટે તેઓ અને તેઓની ટીમે આ ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. અને તેઓના આ શિક્ષણ યજ્ઞ થકી ગરીબ બાળકો પણ અન્ય વિદ્યાર્થીઓ સમકક્ષ શિક્ષણ મેળવી શક્યા છે તેનો આત્મસંતોષ મળી રહ્યો છે.
તાલુકા ની 86 સરકારી શાળાઓમાં કુલ 15163 વિદ્યાર્થીઓ
8373 ટેલિવિઝન સુવિધા ધરાવતા
118 રેડિયો સુવિધા વાળા
2976 સાદો મોબાઈલ
6058 સ્માર્ટ ફોન
1216 વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકાર નું ડિવાઇસ ધરાવતા નથી