અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે.
WatchGujarat. રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ત્યારે અમદાવાદના શહેરીજનો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કોઇપણ કારણ અર્થે રાજ્ય બહાર ગયા હોય તેવા લોકો શહેરમાં પરત આવે તો તેમને RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી નથી. અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે.
AMC ના જ્ણાવ્યાં અનુસાર, અમદાવાદ શહેરના રહેવાસી કે જેઓ કામકાજથી રાજ્ય બહાર ગયા હોય તેવા રહેવાસીઓએ અમદાવાદ શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરવાની જરૂરિયાત રહેશે નહીં. તેઓ અમદાવાદના રહેવાસી છે તે બાબતે આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ નિયમનો નિર્ણય 6 એપ્રિલ, 2021ના રોજથી કરવામાં આવશે. એટલે આ નિયમ આજથી અમલમાં મૂકવામાં આવશે.
હાલમાં ગુજરાત રાજયમાંથી અન્ય રાજયમાં અને અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા અને નેગેટીવ રીપોર્ટ સાથે રાખવા અંગે સરકાર તરફથી મુસાફરી કરવાવાળા માટે ગાઈડલાઈન અને સરકયુલર બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. રસીકરણની તેજ રફતાર વચ્ચે પણ આજે 3160 નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધી રહ્યો છે. સોમવારે રાજ્યમાં 15 દર્દીઓનાં દુખદ નિધન પણ થયા છે. જોકે, આ બધાની વચ્ચે કુલ 2028 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. જ્યારે કુલ 3,00 લાખથી વધુ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. દરમિયાનમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. સોમવારના આંકડા પ્રમાણે, અમદાવાદમાં 781, સુરતમાં 788, રાજકોટમાં 311, વડોદરામાં 330, મહેસાણામાં 88, જામનગરમાં 124, પાટણમાં 65, ભાવનગરમાં 79, ગાંધીનગરમાં 72, મોરબીમાં 33, ભરૂચમાં 32, ખેડામાં 32, દાહોદમાં 31, કચ્છ, નર્મદામાં 30-30, આણંદમાં 25 કેસ નોંધાયા છે.
અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે.
WatchGujarat. રાજ્ય સરકારની ગાઇડલાઇન પ્રમાણે અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં આવતા લોકોને RTPCR ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. ત્યારે અમદાવાદના શહેરીજનો માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં રહેતા હોય અને કોઇપણ કારણ અર્થે રાજ્ય બહાર ગયા હોય તેવા લોકો શહેરમાં પરત આવે તો તેમને RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી નથી. અમદાવાદના રહેવાસી છે એ ઓળખ માટે આધારકાર્ડ પુરાવા માટે સાથે રાખવુ પડશે.
AMC ના જ્ણાવ્યાં અનુસાર, અમદાવાદ શહેરના રહેવાસી કે જેઓ કામકાજથી રાજ્ય બહાર ગયા હોય તેવા રહેવાસીઓએ અમદાવાદ શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરવાની જરૂરિયાત રહેશે નહીં. તેઓ અમદાવાદના રહેવાસી છે તે બાબતે આઈડી પ્રુફ તરીકે આધાર કાર્ડ સાથે રાખવાનું રહેશે. આ નિયમનો નિર્ણય 6 એપ્રિલ, 2021ના રોજથી કરવામાં આવશે. એટલે આ નિયમ આજથી અમલમાં મૂકવામાં આવશે.
હાલમાં ગુજરાત રાજયમાંથી અન્ય રાજયમાં અને અન્ય રાજયમાંથી ગુજરાતમાં આવનારાઓ માટે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા અને નેગેટીવ રીપોર્ટ સાથે રાખવા અંગે સરકાર તરફથી મુસાફરી કરવાવાળા માટે ગાઈડલાઈન અને સરકયુલર બહાર પાડવામાં આવ્યું છે.
રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ વિકટ થતી જઈ રહી છે. રસીકરણની તેજ રફતાર વચ્ચે પણ આજે 3160 નવા કેસ નોંધાયા છે. નવો સ્ટ્રેઇન બૂલેટ ગતિએ વધી રહ્યો છે. સોમવારે રાજ્યમાં 15 દર્દીઓનાં દુખદ નિધન પણ થયા છે. જોકે, આ બધાની વચ્ચે કુલ 2028 દર્દી સાજા થઈને ઘરે પરત ગયા છે. જ્યારે કુલ 3,00 લાખથી વધુ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. દરમિયાનમાં અમદાવાદમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. સોમવારના આંકડા પ્રમાણે, અમદાવાદમાં 781, સુરતમાં 788, રાજકોટમાં 311, વડોદરામાં 330, મહેસાણામાં 88, જામનગરમાં 124, પાટણમાં 65, ભાવનગરમાં 79, ગાંધીનગરમાં 72, મોરબીમાં 33, ભરૂચમાં 32, ખેડામાં 32, દાહોદમાં 31, કચ્છ, નર્મદામાં 30-30, આણંદમાં 25 કેસ નોંધાયા છે.