રેન્જના IGના તાબા હેઠળ આર આર સેલ ચાલે છે
આર આર સેલના નામે અનેક વિવાદો આવ્યા પણ IGના સુપરવિઝનને કોઈ અટકાવી શકતું નહિ
તાજેતરમાં અમદાવાદ રેંજ આઇજીના તાબા હેઠળના આર આર સેલનો માણસ 50 લાખનો તોડ કરતો ઝડપાયો
લોકલ સ્તરે મહત્વના નિર્ણય અને કામગીરી માટે DSPને સત્તા મળશે
હવે પોલીસની વર્દી પર કેમેરા લગાવવામાં આવશે
WatchGujarat છેલ્લા કેટલાક સમયથી ગૃહવિભાગના ગુજરાત પોલીસમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેસ સામે આવ્યા છે. જેમાં ACB (એન્ટી કરપશન બ્યુરો)એ કાર્યવાહી પણ કરી છે.તાજેતરમાં અમદાવાદ રેન્જ IGના તાબા હેઠળ ચાલતા આર આર સેલનો પોલીસ કોન્સ્ટેબલ 50 લાખનો વહીવટ કરવા ગયો અને પોલીસના જ એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધો હતો. જે પોલીસ દ્વારા કરવામાં આવેલ આર આર સેલનો દુરપયોગનો એક કિસ્સો હતો. પણ તપાસ વધુ થાય તે પહેલાં આર આર સેલના વડા એટલે તત્કાલીન રેંજ IG કે જી ભાટીનું મોત નીપજ્યું હતું. પણ હવે સરકારે આ બાબતે શીખ લીધી હોય તેમ 25 વર્ષથી ચાલતા આર આર સેલને કાયમી ધોરણે બંધ કરી દીધું છે.
CM વિજય રૂપાણીએ આજે મહત્વનો નિર્ણય કરીને તમામ આર આર સેલને રદ કરી દીધા છે. રાજ્યમાં અલગ અલગ 9 રેન્જના IGના તાબા હેઠળ આર આર સેલ આવેલા હતા. આર આર સેલમાં નિમણુંક માટે પણ પોલીસ કર્મીઓને ભલામણ કે ચિઠ્ઠીની જરૂર પડતી હતી અને ત્યાં પહોંચ્યા બાદ જિલ્લા LCB અને આર આર સેલ વચ્ચે ઘણી વખત વિવાદ સર્જાતો હતો.
છેલ્લા 25 વર્ષથી ઘણા રેંજ IG અને DSPના સારા સબંધોના કારણે આર આર સેલની નિર્વિવાદ કામગીરી ચાલી હતી. પરંતુ કેટલાક ઈમાનદાર DSP અને તેનાથી વિપરીત માઈન્ડ સેટ ધરાવતા IG વચ્ચે અનેક વખત કોલ્ડ વોર થતા રહ્યા હતા. જેના કારણે ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. હવે સરકારે IG ને મળતી અબાધિત સત્તાઓપર રોક લગાવી છે. જેના કારણે જિલ્લા DSP અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની સત્તાઓમાં વધારો થશે. તેમજ લોકલ સ્તરે મહત્વના નિર્ણય અને કામગીરી માટે DSPને સત્તા મળશે.
રાજ્ય સરકારે RR સેલ નાબૂદ કર્યો
CM વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, પોલીસ જ ભક્ષક બને તે ક્યારેય ન ચલાવી શકાય, પોલીસના લોકો ગુનેગારોને મદદ ન કરે અને RR સેલની કોઈ જરૂર નથી. રાજ્ય સરકારે RR સેલ નાબૂદ કર્યો છે. 1995થી RR સેલ ચાલી રહ્યો હતો. SPને વધુ પાવર આપવામાં આવશે. સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. તમામ રેન્જમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. બજેટમાં સાયબર પોલીસ સ્ટેશનની સંખ્યા વધારાશે. ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, વિધાનસભામાં ભૂમાફિયા વિરુદ્ધ કાયદા લાવ્યા છીએ અને કાયદાની અમલવારી કડક કરાઈ છે. ACBમાં ટેક્નિકલ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. "લેન્ડ ગ્રેબિંગ મુદ્દે CM અવારનવાર બેઠક કરતા હતા"ગુજરાત સરકાર નિર્ણાયક સરકાર છે.
પોલીસની વર્દી પર ત્રિનેત્ર નેટવર્ક અંતર્ગત કેમેરા લાગશે
કેમેરા નેટવર્ક ઉભુ કર્યું છે હવે ગુનેગાર છટકી ન જાય તેની વ્યવસ્થા કરી લીધી છે અને આ કેમેરા નેટવર્કને ત્રિનેત્ર નામ આપવામાં આવ્યું છે. પોલીસ કંટ્રોલરૂમમાંથી મોનિટરિંગ કરી શકશે અને પોલીસ જવાનોને કેમેરા અપાશે જેથી પબ્લિક સાથેનો વ્યવહાર સીધો જોઈ શકાશે. વર્દી પર કેમેરા લગાવવામાં આવશે. પોલીસકર્મીઓની વતર્ણૂક સુધારવા પહેરાશે. પોલીસ વિરુદ્ધ ખોટી ફરિયાદો પણ થાય છે.
R R CELLનું કામ શું હોય?
ગુજરાતના દરેક જિલ્લામાં આર.આર.સેલ અને રેન્જ સ્ક્વોર્ડ હોય છે
રેન્જ IGના સીધા માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ કામ કરે છે
3 કે 4 જિલ્લા મળીને ગુજરાતમાં એક રેન્જ બનાવવામાં આવી છે
રેન્જના વડા IGP કક્ષાના અધિકારી હોય છે
ત્રણ-ચાર જિલ્લાના મળીને બનેલા રેન્જ વિસ્તારમાં આર.આર.સેલ કામ કરે છે
કોઈ ગંભીર ગુનાના ડિટેક્શનનું કામ IGP સેલના અધિકારીને સોંપે છે
નશીલા પદાર્થોના વેપાર-નિયમન અંગે પણ સીધી કામગીરી આર.આર.સેલ કરે છે
રેન્જમાં ચાલતી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ વિશે આર.આર.સેલ કાર્યવાહી કરે છે
પોલીસ સ્ટેશનની પહોંચ ન હોય તેવા ગુનાઓ આર.આર.સેલ ડિટેક્ટ કરતા હોય છે
R R સેલ બંધ કેમ થયો?
એક મહિના પહેલા આણંદના એક ઉદ્યોગગૃહ પર દરોડા થયા હતા
દરોડા રેન્જ IGના માર્ગદર્શનમાં R R સેલએ કર્યા હતા
દરોડા દરમિયાન સેટલમેંટ માટે ઉદ્યોગ પાસેથી લાંચ માગવામાં આવી હતી
સેટલમેંટના અંતે RR સેલના પોલીસકર્મીએ 50 લાખમાં સેટિંગ કર્યું હતું
ઉદ્યોગે 50 લાખ માગ્યાની જાણ ACBને કરી હતી
ACBએ છટકું ગોઠવ્યું તો RR સેલના કોન્સ્ટેબલ 50 લાખ લેતા પકડાયા હતા
ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી લાંચ લેતા આ કોન્સ્ટેબલ પકડાયો હતો
પોલીસ અધિકારીઓનો ખાસ કોન્સ્ટેબલ પકડાતા પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો હતો
ગુજરાત સરકાર માટે પણ આત્મમંથન કરવા જેવી આ ઘટના હતી
આણંદની આ ઘટના પછી સરકારે આત્મમંથન કર્યું અને હવે RR સેલને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
રેન્જના IGના તાબા હેઠળ આર આર સેલ ચાલે છે
આર આર સેલના નામે અનેક વિવાદો આવ્યા પણ IGના સુપરવિઝનને કોઈ અટકાવી શકતું નહિ
લોકલ સ્તરે મહત્વના નિર્ણય અને કામગીરી માટે DSPને સત્તા મળશે
હવે પોલીસની વર્દી પર કેમેરા લગાવવામાં આવશે
WatchGujarat છેલ્લા કેટલાક સમયથી ગૃહવિભાગના ગુજરાત પોલીસમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કેસ સામે આવ્યા છે. જેમાં ACB (એન્ટી કરપશન બ્યુરો)એ કાર્યવાહી પણ કરી છે.તાજેતરમાં અમદાવાદ રેન્જ IGના તાબા હેઠળ ચાલતા આર આર સેલનો પોલીસ કોન્સ્ટેબલ 50 લાખનો વહીવટ કરવા ગયો અને પોલીસના જ એન્ટી કરપ્શન બ્યુરોએ ઝડપી લીધો હતો. જે પોલીસ દ્વારા કરવામાં આવેલ આર આર સેલનો દુરપયોગનો એક કિસ્સો હતો. પણ તપાસ વધુ થાય તે પહેલાં આર આર સેલના વડા એટલે તત્કાલીન રેંજ IG કે જી ભાટીનું મોત નીપજ્યું હતું. પણ હવે સરકારે આ બાબતે શીખ લીધી હોય તેમ 25 વર્ષથી ચાલતા આર આર સેલને કાયમી ધોરણે બંધ કરી દીધું છે.
CM વિજય રૂપાણીએ આજે મહત્વનો નિર્ણય કરીને તમામ આર આર સેલને રદ કરી દીધા છે. રાજ્યમાં અલગ અલગ 9 રેન્જના IGના તાબા હેઠળ આર આર સેલ આવેલા હતા. આર આર સેલમાં નિમણુંક માટે પણ પોલીસ કર્મીઓને ભલામણ કે ચિઠ્ઠીની જરૂર પડતી હતી અને ત્યાં પહોંચ્યા બાદ જિલ્લા LCB અને આર આર સેલ વચ્ચે ઘણી વખત વિવાદ સર્જાતો હતો.
છેલ્લા 25 વર્ષથી ઘણા રેંજ IG અને DSPના સારા સબંધોના કારણે આર આર સેલની નિર્વિવાદ કામગીરી ચાલી હતી. પરંતુ કેટલાક ઈમાનદાર DSP અને તેનાથી વિપરીત માઈન્ડ સેટ ધરાવતા IG વચ્ચે અનેક વખત કોલ્ડ વોર થતા રહ્યા હતા. જેના કારણે ઘણા કિસ્સાઓ પણ સામે આવ્યા હતા. હવે સરકારે IG ને મળતી અબાધિત સત્તાઓપર રોક લગાવી છે. જેના કારણે જિલ્લા DSP અને લોકલ ક્રાઈમ બ્રાન્ચની સત્તાઓમાં વધારો થશે. તેમજ લોકલ સ્તરે મહત્વના નિર્ણય અને કામગીરી માટે DSPને સત્તા મળશે.
રાજ્ય સરકારે RR સેલ નાબૂદ કર્યો
CM વિજય રૂપાણીએ જણાવ્યું હતુ કે, પોલીસ જ ભક્ષક બને તે ક્યારેય ન ચલાવી શકાય, પોલીસના લોકો ગુનેગારોને મદદ ન કરે અને RR સેલની કોઈ જરૂર નથી. રાજ્ય સરકારે RR સેલ નાબૂદ કર્યો છે. 1995થી RR સેલ ચાલી રહ્યો હતો. SPને વધુ પાવર આપવામાં આવશે. સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. તમામ રેન્જમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા છે. બજેટમાં સાયબર પોલીસ સ્ટેશનની સંખ્યા વધારાશે. ત્યારે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, વિધાનસભામાં ભૂમાફિયા વિરુદ્ધ કાયદા લાવ્યા છીએ અને કાયદાની અમલવારી કડક કરાઈ છે. ACBમાં ટેક્નિકલ અપગ્રેડેશન કરવામાં આવ્યું છે. "લેન્ડ ગ્રેબિંગ મુદ્દે CM અવારનવાર બેઠક કરતા હતા"ગુજરાત સરકાર નિર્ણાયક સરકાર છે.
પોલીસની વર્દી પર ત્રિનેત્ર નેટવર્ક અંતર્ગત કેમેરા લાગશે
કેમેરા નેટવર્ક ઉભુ કર્યું છે હવે ગુનેગાર છટકી ન જાય તેની વ્યવસ્થા કરી લીધી છે અને આ કેમેરા નેટવર્કને ત્રિનેત્ર નામ આપવામાં આવ્યું છે. પોલીસ કંટ્રોલરૂમમાંથી મોનિટરિંગ કરી શકશે અને પોલીસ જવાનોને કેમેરા અપાશે જેથી પબ્લિક સાથેનો વ્યવહાર સીધો જોઈ શકાશે. વર્દી પર કેમેરા લગાવવામાં આવશે. પોલીસકર્મીઓની વતર્ણૂક સુધારવા પહેરાશે. પોલીસ વિરુદ્ધ ખોટી ફરિયાદો પણ થાય છે.
R R CELLનું કામ શું હોય?
ગુજરાતના દરેક જિલ્લામાં આર.આર.સેલ અને રેન્જ સ્ક્વોર્ડ હોય છે
રેન્જ IGના સીધા માર્ગદર્શન હેઠળ આર.આર.સેલ કામ કરે છે
3 કે 4 જિલ્લા મળીને ગુજરાતમાં એક રેન્જ બનાવવામાં આવી છે
રેન્જના વડા IGP કક્ષાના અધિકારી હોય છે
ત્રણ-ચાર જિલ્લાના મળીને બનેલા રેન્જ વિસ્તારમાં આર.આર.સેલ કામ કરે છે
કોઈ ગંભીર ગુનાના ડિટેક્શનનું કામ IGP સેલના અધિકારીને સોંપે છે
નશીલા પદાર્થોના વેપાર-નિયમન અંગે પણ સીધી કામગીરી આર.આર.સેલ કરે છે
રેન્જમાં ચાલતી કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ વિશે આર.આર.સેલ કાર્યવાહી કરે છે
પોલીસ સ્ટેશનની પહોંચ ન હોય તેવા ગુનાઓ આર.આર.સેલ ડિટેક્ટ કરતા હોય છે
R R સેલ બંધ કેમ થયો?
એક મહિના પહેલા આણંદના એક ઉદ્યોગગૃહ પર દરોડા થયા હતા
દરોડા રેન્જ IGના માર્ગદર્શનમાં R R સેલએ કર્યા હતા
દરોડા દરમિયાન સેટલમેંટ માટે ઉદ્યોગ પાસેથી લાંચ માગવામાં આવી હતી
સેટલમેંટના અંતે RR સેલના પોલીસકર્મીએ 50 લાખમાં સેટિંગ કર્યું હતું
ઉદ્યોગે 50 લાખ માગ્યાની જાણ ACBને કરી હતી
ACBએ છટકું ગોઠવ્યું તો RR સેલના કોન્સ્ટેબલ 50 લાખ લેતા પકડાયા હતા
ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી લાંચ લેતા આ કોન્સ્ટેબલ પકડાયો હતો
પોલીસ અધિકારીઓનો ખાસ કોન્સ્ટેબલ પકડાતા પોલીસ વિભાગમાં હાહાકાર મચી ગયો હતો
ગુજરાત સરકાર માટે પણ આત્મમંથન કરવા જેવી આ ઘટના હતી
આણંદની આ ઘટના પછી સરકારે આત્મમંથન કર્યું અને હવે RR સેલને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.