જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન કાર્યરત રાખવાનો હુંકાર
ભાજપ સાંસદ, વાગરા ધારાસભ્ય અને કોંગ્રેસની રજૂઆતો છતાં કામદારોની સમસ્યાનો કોઈ ઉકેલ નહિ અરૂણસિંહ રણાએ ઝપલાવ્યું
જૂન મહિનામાં 200 જેટલા અધિકારી કક્ષા અને 416 કામદારોની અંજાર સહિતના અન્ય પ્લાન્ટમાં બદલીઓ કરી દેવાઈ હતી
WatchGujarat. દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારોની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે ચાલતા આંદોલનના શુક્રવારે 70 માં દિવસે 70 ગામના સરપંચોએ કામદારો તરફે ઝપલાવ્યું છે. કામદારોની વ્હારે શુક્રવારે જિલ્લાના 70 ગામના સરપંચોએ આવી કંપની બહાર ન્યાય માટે લડત ચલાવતા કામદારોને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
દહેજની વેલસ્પન કંપનીના સંચાલકો દ્વારા કર્મચારીઓની અન્યત્ર ટ્રાન્સફર અને છુટા કરી દેવાયા બાદ કર્મચારીઓ દ્વારા છેલ્લા 70 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેઓની વ્હારે અગાઉ સાંસદ, વાગરા ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ આવ્યા છતાં સમસ્યા હજી પણ વણ ઉકેલી રહી છે.
દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા તબક્કાવાર કર્મચારીઓ તેમજ સ્ટાફને બીજા પ્લાન્ટમાં બદલીના બહાને મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેઓના રાજીનામાં લખાવી લેવામાં આવ્યા હતા. કંપની દ્વારા 200 અધિકારી કક્ષાના અને 416 જેટલા કર્મચારીઓને Mail તેમજ ટપાલ મારફતે બદલીઓના ઓડરો અપાયા હતા. રાતોરાત કર્મચારીઓનું ભાવી અધ્ધરતાલ કરી દેવામાં આવ્યું હતું જેના પગલે કર્મચારીઓ આંદોલનો ચલાવી રહ્યા છે અને ધારણા કાર્યક્રમ આપી રહ્યા છે. આજરોજ જિલ્લાના 70 ગામના સરપંચો તેઓની વ્હારે આવ્યા હતા. જેમાં કર્મચારીઓને ન્યાય મળે તે માટેની માંગ કરવામાં આવી હતી.
કોરોના મહામારીના સમયમાં દહેજ પ્લાન્ટ બંધ કરી અંજાર 480 કિલોમીટર દૂર 416 જેટલા કર્મચારીઓની બદલી કરી દેવામાં સરપંચોએ કંપની સત્તાધીશો સામે રોષ વ્યકત કરી કર્મચારી પરિવારોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરી છે.
જ્યાં સુધી કર્મચારીઓને ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન કાર્યરત રાખવાનો હુંકાર
ભાજપ સાંસદ, વાગરા ધારાસભ્ય અને કોંગ્રેસની રજૂઆતો છતાં કામદારોની સમસ્યાનો કોઈ ઉકેલ નહિ અરૂણસિંહ રણાએ ઝપલાવ્યું
જૂન મહિનામાં 200 જેટલા અધિકારી કક્ષા અને 416 કામદારોની અંજાર સહિતના અન્ય પ્લાન્ટમાં બદલીઓ કરી દેવાઈ હતી
WatchGujarat. દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી વેલ્સપન કંપની દ્વારા પ્લાન્ટ બંધ કરી 600 કામદારોની જૂન મહિનામાં કરાયેલી બદલી અને છટણીઓ સામે ચાલતા આંદોલનના શુક્રવારે 70 માં દિવસે 70 ગામના સરપંચોએ કામદારો તરફે ઝપલાવ્યું છે. કામદારોની વ્હારે શુક્રવારે જિલ્લાના 70 ગામના સરપંચોએ આવી કંપની બહાર ન્યાય માટે લડત ચલાવતા કામદારોને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
દહેજની વેલસ્પન કંપનીના સંચાલકો દ્વારા કર્મચારીઓની અન્યત્ર ટ્રાન્સફર અને છુટા કરી દેવાયા બાદ કર્મચારીઓ દ્વારા છેલ્લા 70 દિવસથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. જેઓની વ્હારે અગાઉ સાંસદ, વાગરા ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ આવ્યા છતાં સમસ્યા હજી પણ વણ ઉકેલી રહી છે.
દહેજ સ્થિત વેલસ્પન કંપની દ્વારા તબક્કાવાર કર્મચારીઓ તેમજ સ્ટાફને બીજા પ્લાન્ટમાં બદલીના બહાને મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યાર બાદ તેઓના રાજીનામાં લખાવી લેવામાં આવ્યા હતા. કંપની દ્વારા 200 અધિકારી કક્ષાના અને 416 જેટલા કર્મચારીઓને Mail તેમજ ટપાલ મારફતે બદલીઓના ઓડરો અપાયા હતા. રાતોરાત કર્મચારીઓનું ભાવી અધ્ધરતાલ કરી દેવામાં આવ્યું હતું જેના પગલે કર્મચારીઓ આંદોલનો ચલાવી રહ્યા છે અને ધારણા કાર્યક્રમ આપી રહ્યા છે. આજરોજ જિલ્લાના 70 ગામના સરપંચો તેઓની વ્હારે આવ્યા હતા. જેમાં કર્મચારીઓને ન્યાય મળે તે માટેની માંગ કરવામાં આવી હતી.
કોરોના મહામારીના સમયમાં દહેજ પ્લાન્ટ બંધ કરી અંજાર 480 કિલોમીટર દૂર 416 જેટલા કર્મચારીઓની બદલી કરી દેવામાં સરપંચોએ કંપની સત્તાધીશો સામે રોષ વ્યકત કરી કર્મચારી પરિવારોના હિતમાં યોગ્ય નિર્ણય કરવા રજુઆત કરી છે.