લગ્ન પ્રસંગ પતાવીને ઘરે પરત ફરતી વેળાએ થયો અકસ્માત
ગમખ્વાર અકસ્મામાં કારનો ખુર્દો બોલી ગયો
108 ની મદદથી તમામ ઇરજાગ્રસ્તને સારવાર અર્થે બોડેલીની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા
WatchGujarat. ડભોઇ હાઇવે પર આવેલા પાટણા ગામ પાસે બે કાર સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્નપ્રસંગ પતાવીને પરત ફરતી વેળાએ થયેલા અકસ્માતમાં પાંચ લોકો ઇરજાગ્રસ્ત થયા હતા જ્યારે બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસ સ્થળ પર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક વિગત અનુસાર, મધ્યપ્રદેશમાં પરિવારના લગ્ન પતાવીને લોકો વડોદરા તરફ કારમાં આવી રહ્યા હતા. દરમિયાન બોડેલી - ડભોઇ હાઇવે પર આવેલા પાટણા ગામ પાસે બુધવારે બપોરના સમયે અર્ટીગા અનેબલેનો કાર સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોને ઇજા થઇ હતી. અકસ્માતબન્ને કારનો આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવના પગલે અકસ્માતના સ્થળ પર લોકો અને પોલીસ પણ દોડી આવી હતી.
108 ની મદદથી તમામ ઇરજાગ્રસ્તને સારવાર અર્થે બોડેલીની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી બાદ વધુ સારવાર અર્થે ઇરજાગ્રસ્તને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સાત ઇરજાગ્રસ્ત પૈકી સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા છે. મૃતકોની પ્રાથમિક માહિતી પ્રમાણે દંપતી ચંદ્રકાન્તભાઈ ભાવસાર અને મોનીકાબેન ભાવસાર (રહે. ખરગોન, મધ્યપ્રદેશ) નિધન થયું હતું. સમગ્ર ઘટના અંગે બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ ઇજાગ્રસ્તોના નામ
એકાંતભાઈ ભાવસાર
રાજનાથ મદારી
દીપકનાથ મદારી
સુરાજનાથ મદારી
પુનમનાથ મદારી
લગ્ન પ્રસંગ પતાવીને ઘરે પરત ફરતી વેળાએ થયો અકસ્માત
ગમખ્વાર અકસ્મામાં કારનો ખુર્દો બોલી ગયો
108 ની મદદથી તમામ ઇરજાગ્રસ્તને સારવાર અર્થે બોડેલીની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા
WatchGujarat. ડભોઇ હાઇવે પર આવેલા પાટણા ગામ પાસે બે કાર સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. લગ્નપ્રસંગ પતાવીને પરત ફરતી વેળાએ થયેલા અકસ્માતમાં પાંચ લોકો ઇરજાગ્રસ્ત થયા હતા જ્યારે બે લોકોના મોત થયા છે. ઘટનાની જાણ બોડેલી પોલીસને કરાતા પોલીસ સ્થળ પર ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક વિગત અનુસાર, મધ્યપ્રદેશમાં પરિવારના લગ્ન પતાવીને લોકો વડોદરા તરફ કારમાં આવી રહ્યા હતા. દરમિયાન બોડેલી - ડભોઇ હાઇવે પર આવેલા પાટણા ગામ પાસે બુધવારે બપોરના સમયે અર્ટીગા અનેબલેનો કાર સામ સામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સાત લોકોને ઇજા થઇ હતી. અકસ્માતબન્ને કારનો આગળનો ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. બનાવના પગલે અકસ્માતના સ્થળ પર લોકો અને પોલીસ પણ દોડી આવી હતી.
108 ની મદદથી તમામ ઇરજાગ્રસ્તને સારવાર અર્થે બોડેલીની સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી બાદ વધુ સારવાર અર્થે ઇરજાગ્રસ્તને વડોદરા રીફર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ સાત ઇરજાગ્રસ્ત પૈકી સારવાર દરમિયાન બે લોકોના મોત નિપજ્યા છે. મૃતકોની પ્રાથમિક માહિતી પ્રમાણે દંપતી ચંદ્રકાન્તભાઈ ભાવસાર અને મોનીકાબેન ભાવસાર (રહે. ખરગોન, મધ્યપ્રદેશ) નિધન થયું હતું. સમગ્ર ઘટના અંગે બોડેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.