ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓને 1842 થી ચાલું થયેલ ડાંગ દરબારના મેળાની પરંપરા
ઐતિહાસિક મેળામાં દર વર્ષે ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન તેમજ દેશ વિદેશનાં પાંચ લાખ લોકો મેળાની મુલાકાતે આવતા હોય છે
કોરોનાને કારણે મેળો બંધ બારણે કરવાના તંત્રના નિર્ણયને પગલે નારાજગી
સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે મેળો યોજવા રાજાઓની માંગ
WatchGujarat. ભારતમાં એકમાત્ર ફક્ત ડાંગ જિલ્લાને રાજકીય પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. અંગ્રેજોના સમયકાળથી ચાલી આવતી આ પ્રથા આજે પણ અકબંધ છે. પ્રથા પ્રમાણે હોળી તહેવારનાં પાંચ દિવસ અગાઉ ડાંગનાં મુખ્ય મથક આહવા ખાતે પાંચ રાજાઓ તેમનાં ભાઈબંધને બોલાવી પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાં કાળની પરિસ્થિતિનાં કારણે કલેક્ટર કચેરીમાં બંધ બારણે આ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો છે. ત્યારે ડાંગનાં પાંચ રાજાઓએ નારાજગી વ્યક્ત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગનાં રાજાઓને મુખ્ય માર્ગ આહવામાંથી બગીઓમાં બેસાડીને દરબારની ચોક્કસ જગ્યાએ રાજયપાલનાં હસ્તે પોલિટિકલ પેંશન એનાયત કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષે રાજ્યપાલ વિદેશ પ્રવાસમાં હોવાથી આરોગ્ય મંત્રી કિશોર કાનાંણીનાં હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાબતે પણ રાજાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
થોડા દિવસ અગાઉ રાજ્યપાલ ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે વાસુરણા સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા રાજ્યપાલને અરજ કરવામાં આવી હતી કે, રાજ્યપાલ દ્વારા જે રાજાઓનું સન્માન કરવામાં આવે છે તે પરંપરા જળવાઈ રહે. અને રાજાઓને પોલિટિકલ પેંશનમાં યોગ્ય વધારો આપવામાં આવે. ડાંગ જિલ્લાનાં પાંચ રાજાઓ દ્વારા ભેગાં થઈ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં તેઓ જણાવે છે કે, નેતાઓના મોટા મેળાવડા થાય છે. અને તેઓની રેલીઓને છુટ મળે છે. ત્યારે ઐતિહાસિક ડાંગ દરબારની પરંપરાને કેમ તોડવામાં આવી રહી છે.
રાજાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોરોનાં કાળની પરિસ્થિતિ છે. પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે મર્યાદિત લોકો સામે જાહેરમાં રાજયપાલનાં હસ્તે તેઓનું સન્માન થાય તેમજ તેઓનાં શાલિયાણામાં વધારો કરવામાં આવે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતા ડાંગ દરબાર ઐતિહાસિક મેળામાં દર વર્ષે ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન તેમજ દેશ વિદેશનાં પાંચ લાખ લોકો મેળાની મુલાકાતે આવે છે. હાલ કોરોનાં કાળમાં ગુજરાત સરકાર દ્વારા તમામ મેળાઓ બંધ જાહેર કર્યા છે. ત્યારે પાંચ રાજાઓને સાદાઈ પૂર્વક કાર્યક્રમ યોજીને તેઓનું સન્માન કરવામાં આવશે.
હાલ કોરોનાં સંક્રમણનો ફેલાવો થયો હોવાનાં કારણે તંત્ર સજાગ છે. તેમજ પોલીસ દ્વારા જિલ્લાની તમામ બોર્ડર ઉપર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વસુરણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી એ માંગ કરી છે કે, ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓને 1842 થી ચાલું થયેલ ડાંગ દરબારની પરંપરા જળવાઈ રહેવી જોઈએ. હાલ કોરોનાંની કપરી પરિસ્થિતિ છે ત્યારે ડાંગ દરબાર હોલ અથવા જાહેરમાં મંડપ પાડીને ડાંગનાં પાંચ રાજાઓ, 9 નાયકો, અને 664 ભાઈબંધોને બોલાવી તેઓનું સન્માન કરવામાં આવે. અને આ પરંપરાને જાળવી રાખવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડાંગ દરબાર યોજવા બાબતે તેઓ ફેક્સ દ્વારા રાજયપાલને જાણ કરશે.
ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓને 1842 થી ચાલું થયેલ ડાંગ દરબારના મેળાની પરંપરા
ઐતિહાસિક મેળામાં દર વર્ષે ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન તેમજ દેશ વિદેશનાં પાંચ લાખ લોકો મેળાની મુલાકાતે આવતા હોય છે
કોરોનાને કારણે મેળો બંધ બારણે કરવાના તંત્રના નિર્ણયને પગલે નારાજગી
સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે મેળો યોજવા રાજાઓની માંગ
WatchGujarat. ભારતમાં એકમાત્ર ફક્ત ડાંગ જિલ્લાને રાજકીય પોલિટિકલ પેન્શન આપવામાં આવે છે. અંગ્રેજોના સમયકાળથી ચાલી આવતી આ પ્રથા આજે પણ અકબંધ છે. પ્રથા પ્રમાણે હોળી તહેવારનાં પાંચ દિવસ અગાઉ ડાંગનાં મુખ્ય મથક આહવા ખાતે પાંચ રાજાઓ તેમનાં ભાઈબંધને બોલાવી પોલિટિકલ પેન્શન એનાયત કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાં કાળની પરિસ્થિતિનાં કારણે કલેક્ટર કચેરીમાં બંધ બારણે આ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો છે. ત્યારે ડાંગનાં પાંચ રાજાઓએ નારાજગી વ્યક્ત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ડાંગનાં રાજાઓને મુખ્ય માર્ગ આહવામાંથી બગીઓમાં બેસાડીને દરબારની ચોક્કસ જગ્યાએ રાજયપાલનાં હસ્તે પોલિટિકલ પેંશન એનાયત કરવામાં આવે છે. પરંતુ ગત વર્ષે રાજ્યપાલ વિદેશ પ્રવાસમાં હોવાથી આરોગ્ય મંત્રી કિશોર કાનાંણીનાં હસ્તે તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જે બાબતે પણ રાજાઓએ નારાજગી વ્યક્ત કરી હતી.
થોડા દિવસ અગાઉ રાજ્યપાલ ડાંગ જિલ્લાની મુલાકાતે આવ્યાં હતાં ત્યારે વાસુરણા સ્ટેટનાં રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી દ્વારા રાજ્યપાલને અરજ કરવામાં આવી હતી કે, રાજ્યપાલ દ્વારા જે રાજાઓનું સન્માન કરવામાં આવે છે તે પરંપરા જળવાઈ રહે. અને રાજાઓને પોલિટિકલ પેંશનમાં યોગ્ય વધારો આપવામાં આવે. ડાંગ જિલ્લાનાં પાંચ રાજાઓ દ્વારા ભેગાં થઈ મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં તેઓ જણાવે છે કે, નેતાઓના મોટા મેળાવડા થાય છે. અને તેઓની રેલીઓને છુટ મળે છે. ત્યારે ઐતિહાસિક ડાંગ દરબારની પરંપરાને કેમ તોડવામાં આવી રહી છે.
રાજાઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કોરોનાં કાળની પરિસ્થિતિ છે. પરંતુ સોશિયલ ડિસ્ટનસિંગ સાથે મર્યાદિત લોકો સામે જાહેરમાં રાજયપાલનાં હસ્તે તેઓનું સન્માન થાય તેમજ તેઓનાં શાલિયાણામાં વધારો કરવામાં આવે. ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાતા ડાંગ દરબાર ઐતિહાસિક મેળામાં દર વર્ષે ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન તેમજ દેશ વિદેશનાં પાંચ લાખ લોકો મેળાની મુલાકાતે આવે છે. હાલ કોરોનાં કાળમાં ગુજરાત સરકાર દ્વારા તમામ મેળાઓ બંધ જાહેર કર્યા છે. ત્યારે પાંચ રાજાઓને સાદાઈ પૂર્વક કાર્યક્રમ યોજીને તેઓનું સન્માન કરવામાં આવશે.
હાલ કોરોનાં સંક્રમણનો ફેલાવો થયો હોવાનાં કારણે તંત્ર સજાગ છે. તેમજ પોલીસ દ્વારા જિલ્લાની તમામ બોર્ડર ઉપર સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વસુરણા સ્ટેટના રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી એ માંગ કરી છે કે, ડાંગ જિલ્લાના પાંચ રાજવીઓને 1842 થી ચાલું થયેલ ડાંગ દરબારની પરંપરા જળવાઈ રહેવી જોઈએ. હાલ કોરોનાંની કપરી પરિસ્થિતિ છે ત્યારે ડાંગ દરબાર હોલ અથવા જાહેરમાં મંડપ પાડીને ડાંગનાં પાંચ રાજાઓ, 9 નાયકો, અને 664 ભાઈબંધોને બોલાવી તેઓનું સન્માન કરવામાં આવે. અને આ પરંપરાને જાળવી રાખવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડાંગ દરબાર યોજવા બાબતે તેઓ ફેક્સ દ્વારા રાજયપાલને જાણ કરશે.