ભાવિકો ચાલતા ચાલતા આરતીના દર્શન કરી શકશે
અનલોક સાથે જુન માસથી મંદિરના દ્વાર ભાવિકો ખોલવામાં આવ્યા
હવેથી આરતીના સમયે ભાવિકો મંદિરમાં પ્રવેશ કરી શકશે
આરતીના સમયે ભાવિકોને ઉભા રહેવાની મનાઇ રહેશે
WatchGujarat વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સોમનાથ મંદિરે દિવસ દરમિયાન થતી ત્રણ ટાઇમ આરતીમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે હાલ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા દુર કરી આવતીકાલ તા.6 ફેબ્રુ.થી ભાવિકો આરતીના સમયે મંદિરમાં પ્રવેશ સાથે દર્શન કરી શકશે. પરંતુ આરતીમાં ઉભા નહીં રહી શકે ચાલતા ચાલતા આરતીના દર્શનનો લ્હાવો લઇ શકશે તેવો નિર્ણય સોમનાથ ટ્રસ્ટએ લીધો છે.
સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અનલોક સાથે જુન માસથી મંદિરના દ્વાર ભાવિકો ખોલવામાં આવ્યા હતા. પણ ત્યારે દિવસમાં ત્રણ વખત થતી આરતીના સમયે ભક્તોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જયારે હવે ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે.
હાલ વેક્સિન આવી ગયા બાદ કોરોના મહામારીના ઘટતા જતા પ્રકોપને ઘ્યાનમાં લઇ સરકારની ગાઈડલાઈન મુજબ આવતીકાલે શનિવાર તા.6 ફેબ્રુઆરી-2021થી સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી મહાદેવની આરતીના સમયે ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળની સુચનાથી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સોમનાથ ટ્રસ્ટ હેઠળના સોમનાથ મુખ્ય મંદિર ઉપરાંત અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભીડીયા સહિતના મંદિરોમાં દિવસ દરમિયાન થતી આરતીના સમયે ભાવિકોને મંદિરમાં પ્રવેશ મળશે. અને ભક્તો આરતીનો લાભ લઇ શકશે.
તા.6 ફેબ્રુઆરી 2021થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સોમનાથ મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે થતી મહાદેવની ત્રણેય આરતીના સમયે ભાવિકો ઉભા નહીં રહી શકે પરંતુ ચાલતા ચાલતા આરતીના દર્શન કરી શકશે. ચાલુ આરતીના સમયે કોઈપણ ભાવિક મંદિરના સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.
આ ઉપરાંત મંદિરે આવતા ભાવિકોએ કોવીડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે સાથે પ્રવેશદ્વાર પર ટેમ્પરેચર મશીનમાં ચેક કરાવી હેન્ડ સેનિટાઈઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે. મંદિરે દર્શન માટે ઓનલાઈન તથા ઓફલાઈન પાસ મેળવીને જ દર્શન કરી શકાશે. મંદિરમાં દર્શન માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ તેનું ભાવિકોએ પાલન કરવાનું રહેશે.
ભાવિકો ચાલતા ચાલતા આરતીના દર્શન કરી શકશે
અનલોક સાથે જુન માસથી મંદિરના દ્વાર ભાવિકો ખોલવામાં આવ્યા
હવેથી આરતીના સમયે ભાવિકો મંદિરમાં પ્રવેશ કરી શકશે
આરતીના સમયે ભાવિકોને ઉભા રહેવાની મનાઇ રહેશે
WatchGujarat વૈશ્વિક મહામારી કોરોનાના કારણે સોમનાથ મંદિરે દિવસ દરમિયાન થતી ત્રણ ટાઇમ આરતીમાં ભાવિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જે હાલ કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા દુર કરી આવતીકાલ તા.6 ફેબ્રુ.થી ભાવિકો આરતીના સમયે મંદિરમાં પ્રવેશ સાથે દર્શન કરી શકશે. પરંતુ આરતીમાં ઉભા નહીં રહી શકે ચાલતા ચાલતા આરતીના દર્શનનો લ્હાવો લઇ શકશે તેવો નિર્ણય સોમનાથ ટ્રસ્ટએ લીધો છે.
સોમનાથ ટ્રસ્ટના જીએમ વિજયસિંહ ચાવડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અનલોક સાથે જુન માસથી મંદિરના દ્વાર ભાવિકો ખોલવામાં આવ્યા હતા. પણ ત્યારે દિવસમાં ત્રણ વખત થતી આરતીના સમયે ભક્તોને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જયારે હવે ભક્તો માટે ખુશીના સમાચાર આવ્યા છે.
હાલ વેક્સિન આવી ગયા બાદ કોરોના મહામારીના ઘટતા જતા પ્રકોપને ઘ્યાનમાં લઇ સરકારની ગાઈડલાઈન મુજબ આવતીકાલે શનિવાર તા.6 ફેબ્રુઆરી-2021થી સોમનાથ મંદિરમાં ત્રણ ટાઇમ થતી મહાદેવની આરતીના સમયે ભાવિકોને મંદિરમાં પ્રવેશ આપવાનો નિર્ણય ટ્રસ્ટી મંડળની સુચનાથી કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી સોમનાથ ટ્રસ્ટ હેઠળના સોમનાથ મુખ્ય મંદિર ઉપરાંત અહલ્યાબાઈ મંદિર, ભાલકા મંદિર, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભીડીયા સહિતના મંદિરોમાં દિવસ દરમિયાન થતી આરતીના સમયે ભાવિકોને મંદિરમાં પ્રવેશ મળશે. અને ભક્તો આરતીનો લાભ લઇ શકશે.
તા.6 ફેબ્રુઆરી 2021થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે સવારે 6થી રાત્રીના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. સોમનાથ મંદિરમાં સવારે 7, બપોરે 12 અને સાંજે 7 વાગ્યે થતી મહાદેવની ત્રણેય આરતીના સમયે ભાવિકો ઉભા નહીં રહી શકે પરંતુ ચાલતા ચાલતા આરતીના દર્શન કરી શકશે. ચાલુ આરતીના સમયે કોઈપણ ભાવિક મંદિરના સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.
આ ઉપરાંત મંદિરે આવતા ભાવિકોએ કોવીડની ગાઈડલાઈન મુજબ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે સાથે પ્રવેશદ્વાર પર ટેમ્પરેચર મશીનમાં ચેક કરાવી હેન્ડ સેનિટાઈઝ કર્યા બાદ જ મંદિરમાં પ્રવેશ કરવાનો રહેશે. મંદિરે દર્શન માટે ઓનલાઈન તથા ઓફલાઈન પાસ મેળવીને જ દર્શન કરી શકાશે. મંદિરમાં દર્શન માટે જે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ તેનું ભાવિકોએ પાલન કરવાનું રહેશે.