થોડા દિવસ પહેલા આ ધ્વજા પર વિજળી પડી ત્યારે જ ભગવાન દ્વારકાઘીશજીને એક નવી ધ્વજા ચડાવવાનો સંકલ્પ કર્યો
ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ગુજરાત કોરોનામુકત બને, ભગવાન ખુબ સારો વરસાદ આપે અને આવનારા દિવસોમાં ગુજરાત ખુબ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના કરી – મુખ્યમંત્રી વિજય રૂપાણી
જગતમંદિર ખાતે પુજા વિધિમાં મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
Watchgujarat. આજે સવારે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન તથા પૂજા અર્ચના કરી સીએમ રૂપાણીએ મંદિર ખાતે નવીન ધ્વજારોહણ કર્યું હતું. મંદિરના પરિસરમાં મુખ્યમંત્રીનું દ્વારકાઘીશ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતું. તેમજ શારદાપીઠ ખાતે પુજારી અશ્વિનગુરૂ પુરોહિતે ધ્વજાજીની પુજા વિધિ કરાવી હતી. જયારે શંકરાચાર્યજીના પ્રતિનિધિ તરીકે નારાયણ બ્રહ્મચારીજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. જગતમંદિર ખાતે મહંતશ્રી શાંતીલાલે મુખ્યમંત્રીને પુજન-અર્ચન કરાવ્યું હતું.
ધ્વજારોહણ બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા આ ધ્વજા પર વિજળી પડી ત્યારે જ ભગવાન દ્વારકાઘીશજીને એક નવી ધ્વજા ચડાવવાનો સંકલ્પ કર્યો હતો. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ગુજરાત કોરોનામુકત બને, ભગવાન ખુબ સારો વરસાદ આપે અને આવનારા દિવસોમાં ગુજરાત ખુબ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના કરી છે. આ તકે મુખ્યમંત્રીએ પત્ની અંજલિબેન સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી . કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની પ્રભુ શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે ભગવાન દ્વારકાધીશના કૃપા આશિષ વરસતા રહે તેવી અભ્યર્થના પણ તેમણે વ્યકત કરી હતી.
જગતમંદિર ખાતે પુજા વિધિમાં મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર રમેશભાઇ હેરમા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ જયોતિબેન સામાણી, કલેકટર એમ.એ. પંડયા, આઇ.જી. સંદિપસીંઘ, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
થોડા દિવસ પહેલા આ ધ્વજા પર વિજળી પડી ત્યારે જ ભગવાન દ્વારકાઘીશજીને એક નવી ધ્વજા ચડાવવાનો સંકલ્પ કર્યો
ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ગુજરાત કોરોનામુકત બને, ભગવાન ખુબ સારો વરસાદ આપે અને આવનારા દિવસોમાં ગુજરાત ખુબ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના કરી – મુખ્યમંત્રી વિજય રૂપાણી
જગતમંદિર ખાતે પુજા વિધિમાં મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
Watchgujarat. આજે સવારે જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન તથા પૂજા અર્ચના કરી સીએમ રૂપાણીએ મંદિર ખાતે નવીન ધ્વજારોહણ કર્યું હતું. મંદિરના પરિસરમાં મુખ્યમંત્રીનું દ્વારકાઘીશ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું હતું. તેમજ શારદાપીઠ ખાતે પુજારી અશ્વિનગુરૂ પુરોહિતે ધ્વજાજીની પુજા વિધિ કરાવી હતી. જયારે શંકરાચાર્યજીના પ્રતિનિધિ તરીકે નારાયણ બ્રહ્મચારીજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. જગતમંદિર ખાતે મહંતશ્રી શાંતીલાલે મુખ્યમંત્રીને પુજન-અર્ચન કરાવ્યું હતું.
ધ્વજારોહણ બાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા આ ધ્વજા પર વિજળી પડી ત્યારે જ ભગવાન દ્વારકાઘીશજીને એક નવી ધ્વજા ચડાવવાનો સંકલ્પ કર્યો હતો. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી ગુજરાત કોરોનામુકત બને, ભગવાન ખુબ સારો વરસાદ આપે અને આવનારા દિવસોમાં ગુજરાત ખુબ સુખી સંપન્ન બને તેવી પ્રાર્થના કરી છે. આ તકે મુખ્યમંત્રીએ પત્ની અંજલિબેન સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન અને ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી હતી . કોરોનાની બીજી લહેર પર નિયંત્રણ મેળવ્યા બાદ વધુ જનહિતના કામો કરવાની પ્રભુ શકિત આપે તેમજ ગુજરાત સતત વિકાસના રાહે આગળ વધતું રહે અને ઉત્તમથી સર્વોત્તમ બને તે માટે ભગવાન દ્વારકાધીશના કૃપા આશિષ વરસતા રહે તેવી અભ્યર્થના પણ તેમણે વ્યકત કરી હતી.
જગતમંદિર ખાતે પુજા વિધિમાં મુખ્યમંત્રી સાથે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર રમેશભાઇ હેરમા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ જયોતિબેન સામાણી, કલેકટર એમ.એ. પંડયા, આઇ.જી. સંદિપસીંઘ, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજા, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશી, પ્રાંત અધિકારી નિહાર ભેટારીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.