Watchgujarat. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને સીબીએસઈ જેવા અન્ય બોર્ડ દ્વારા આ વર્ષે બોર્ડ પરીક્ષા રદ કરવામાં આવી છે. આમ કરીને ધોરણ દસ અને ધોરણ બાર – કારકિર્દીના આ બે મહત્વના વર્ષો ઉપર કાળું વાદળ ઘેરાઈ ગયું છે. જેઓના સંતાનો આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બારના વર્ષમાં બોર્ડની પરીક્ષા આપવાના હતા તેઓના વાલીઓ ખૂબ જ ચિંતિત છે અને મૂંઝાયેલા છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી.
મારા સંતાનને હવે પછી આગળની કારકિર્દી માટે એડમિશન કેવી રીતે લેવાનું રહેશે તે અંગે આજે વાલીઓને અગણિત પ્રશ્નો સતાવે છે:
(૦૧) ધોરણ દસ/બારની માર્કશીટ આપશે કે નહીં?
(૦૨) જો આપશે તો ક્યારે આપશે?
(૦૩) ધોરણ દસ/બારની માર્કશીટમાં માર્કસની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
(૦૪) જો આ માર્કશીટથી વિદ્યાર્થી સંમત ન હોય અને તે પરીક્ષા આપવા માંગતો હોય તો તે અંગેનું શું આયોજન છે?
(૦૫) ધોરણ દસ/બારના રિપીટર વિદ્યાર્થીઓ માટે શું આયોજન છે?
(૦૬) પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવશે કે નહીં?
(૦૭) જો લેવામાં આવશે તો ક્યારે લેવામાં આવશે?
(૦૮) ધોરણ દસ પછી પ્રવેશ પ્રક્રિયા કેવી હશે અને ક્યારે શરૂ થશે?
(૦૯) ધોરણ દસ પછી પોલિટેકનિક અને આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયા કેવી હશે?
(૧૦) પોલિટેકનિક અને આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
(૧૧) ધોરણ બાર પછી પ્રવેશ પ્રક્રિયા કેવી હશે અને ક્યારે શરૂ થશે?
વાલીઓ અને સંતાનોમાં ધોરણ દસ/બાર પછીની કારકિર્દી અંગે ઊભી થયેલી અનિશ્ચિતતા તાત્કાલિક દુર કરવી અતિ આવશ્યક છે. નાના-નાના મુદ્દાઓને લઈને “સ્યુઓ મોટો” જાહેર હિતની અરજી લઈને આવતી સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની હાઇકોર્ટ આટલા મહત્વના પ્રશ્નની સુનાવણી કેમ વિલંબમાં નાખી રહી છે?
મારું એકદમ સ્પષ્ટ માનવું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આવનારા ૭૨ કલાકમાં એક નિશ્ચિત ફોર્મ્યુલા લઈને આવે. શિક્ષણશાસ્ત્રીઓની દેશમાં કે રાજ્યમાં ખોટ નથી. શિક્ષણ અંગેની નીતિના નિર્ધારકો પણ જ્યારે કહો ત્યારે કાર્યરત થવા માટે અને માર્ગદર્શન માટે હાજર હોય છે. તો પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો કેમ શિક્ષણના આટલા મહત્વના વર્ષ માટે ઢીલી નીતિ અપનાવીને નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે?
ધારો કે સરકાર એવું નક્કી કરે કે ધોરણ દસ માટે ધોરણ નવનું પરિણામ અને ધોરણ દસમાં સમગ્ર વર્ષ દરમિયાન લીધેલી પરીક્ષાઓ, ટેસ્ટ અને એસાઇનમેન્ટ આધારિત પરિણામ બનાવવામાં આવશે. આવું જ ધોરણ બારમાં નક્કી કરે તો ધોરણ બાર માટે ધોરણ અગિયારનું પરિણામ અને ધોરણ બારના સમગ્ર વર્ષ દરમિયાન લીધેલી પરીક્ષાઓ, ટેસ્ટ અને એસાઇનમેન્ટ આધારિત પરિણામ બનાવવામાં આવશે.
આવું કરવા માટે પણ શાળાઓને ઓછામાં ઓછું એક અઠવાડિયું જોઈશે. આ રીતે મળેલ માર્કસ બોર્ડ પાસે પહોંચ્યા પછી બોર્ડ તેઓની માર્કશીટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ આખા પ્રોસેસમાં ઓછામાં ઓછા બે મહિના નીકળી જશે. ઓગસ્ટની શરૂઆત પહેલાં પરિણામ અને માર્કશીટ આવી શકશે નહીં. ત્યાં સુધી આગળની પ્રવેશ પ્રક્રિયા વિલંબમાં પડશે. આના કારણે આવનારું શૈક્ષણિક વર્ષ આખું ખોરવાઇ જશે.
આ દરમિયાન ધોરણ બાર પછીના પ્રોફેશનલ કોર્સિસ માટેની પ્રવેશ પરીક્ષાઓ પણ લેવાની થશે. જે તે રાજ્યોએ પણ પોતાના રાજયોની કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓ લેવી પડશે. તે લેવા માટે વિદ્યાર્થીને ઓછામાં ઓછો એક મહિનાનો સમય આપવો પડશે. આમ પ્રવેશ પરીક્ષાનું પરિણામ આવતાં પણ ઓછામાં ઓછો અઢી મહિનાનો સમય નીકળી જશે. એટલે કે ઓગસ્ટ ૧૫, ૨૦૨૧ સુધીનો સમય નીકળી જશે. ત્યારબાદ મેરીટ યાદી બનશે. અને પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પ્રોફેશનલ કોર્સિસમાં તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં થતાં નવેમ્બર આવી જશે. આમ આ ક્ષેત્રમાં પણ આવનારું આખું શૈક્ષણિક વર્ષ ખોરવાઇ જશે.
આ અંગે સૂચનો
સૂચન એક (હવે શરૂ થનાર ધોરણ અગિયાર માટે)
હવે શરૂ થનાર ધોરણ અગિયારને “ફાઉન્ડેશન વર્ષ” જાહેર કરવામાં આવે. આ આખા વર્ષ દરમિયાન નવ અને દસમાં જે કોર્સ ભણ્યા હોય તેના સિલેબસમાંથી જે તે પ્રવાહ (વિજ્ઞાન કે સામાન્ય)ને અનુકૂળ હોય તેવા ટૉપિક્સ ઉપર વિસ્તૃત સમજ આપવામાં આવે. આ શૈક્ષણિક વર્ષ ડિસેમ્બરથી એપ્રિલનું રાખવામાં આવે. “ફાઉન્ડેશન વર્ષ” પૂરું થયા બાદ જ ખરેખર ધોરણ અગિયાર શરૂ કરવામાં આવે.
સૂચન બે (હવે શરૂ થનાર પ્રોફેશનલ કોર્સિસ માટે)
આવી જ રીતે હવે શરૂ થનાર પોલિટેકનિક કે આઈટીઆઈના પ્રથમ વર્ષને તથા તમામ પ્રોફેશનલ કોર્સિસ (એન્જિનિયરિંગ હોય કે મેડિસિન)ના પ્રથમ વર્ષને “ફાઉન્ડેશન વર્ષ” જાહેર કરવામાં આવે. આ આખા વર્ષ દરમિયાન ધોરણ અગિયાર અને બાર દરમિયાન જે કોર્સ ભણ્યા હોય તેના સિલેબસમાંથી જે તે પ્રોફેશનલ કોર્સિસને અનુકૂળ હોય તેવા ટૉપિક્સ ઉપર વિસ્તૃત સમજ આપવામાં આવે. આ શૈક્ષણિક વર્ષ ડિસેમ્બરથી એપ્રિલનું રાખવામાં આવે. “ફાઉન્ડેશન વર્ષ” પૂરું થયા બાદ જ પોલિટેકનિક કે આઈટીઆઈનું તથા તમામ પ્રોફેશનલ કોર્સિસ (એન્જિનિયરિંગ હોય કે મેડિસિન)નું પ્રથમ વર્ષ શરૂ થાય.
અંતે
આમ કરવાથી વિદ્યાથીઓના અભ્યાસની ગુણવત્તા ઓનલાઈન શિક્ષણમાં જે કથળી છે તે પરત આવશે અને તેનો ફાયદો વિદ્યાર્થીની કારકિર્દીમાં થશે. ભલે એક વર્ષ આખું “ફાઉન્ડેશન વર્ષ” તરીકે ધોરણ અગિયાર અને બારના મૂળ વિષયો અને ટૉપિક્સને મજબૂત કરવામાં પસાર થાય. સરવાળે એક વર્ષ વિદ્યાર્થીની કારકિર્દીમાં ખરાબ થશે પરંતુ સરવાળે તેનો ફાયદો વિદ્યાર્થીને તેની કારકિર્દીમાં થશે.
જો આમ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીની કારકિર્દી બહુ જ કથળી જશે અને ખોરવાયેલ શૈક્ષણિક વર્ષ નિયમિત કરવામાં બહુ જ મુશ્કેલીઓ આવશે.
આજની આ વિકટ પરિસ્થિતિમાં વડાપ્રધાને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને વિશ્વાસમાં લીધા પછી રાષ્ટ્રજોગ સંબોધન કરીને દેશના કરોડો કરોડો વાલીઓ અને વિદ્યાર્થીઓને આ આખી વાતની સમજ આપીને તે અંગે હિંમતભર્યો નિર્ણય કરવો અતિ આવશ્યક છે.
શું કરોડો વિદ્યાર્થીઓના ફાયદા માટે દેશ આ કરી શકશે??
[caption id="attachment_1002912" align="aligncenter" width="1280"] વડોદરાના રાજકીય વિશ્લેષક ડૉ જયેશ શાહ[/caption]
Watchgujarat. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ અને સીબીએસઈ જેવા અન્ય બોર્ડ દ્વારા આ વર્ષે બોર્ડ પરીક્ષા રદ કરવામાં આવી છે. આમ કરીને ધોરણ દસ અને ધોરણ બાર – કારકિર્દીના આ બે મહત્વના વર્ષો ઉપર કાળું વાદળ ઘેરાઈ ગયું છે. જેઓના સંતાનો આ વર્ષે ધોરણ દસ અને ધોરણ બારના વર્ષમાં બોર્ડની પરીક્ષા આપવાના હતા તેઓના વાલીઓ ખૂબ જ ચિંતિત છે અને મૂંઝાયેલા છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી નથી.
મારા સંતાનને હવે પછી આગળની કારકિર્દી માટે એડમિશન કેવી રીતે લેવાનું રહેશે તે અંગે આજે વાલીઓને અગણિત પ્રશ્નો સતાવે છે:
(૦૧) ધોરણ દસ/બારની માર્કશીટ આપશે કે નહીં?
(૦૨) જો આપશે તો ક્યારે આપશે?
(૦૩) ધોરણ દસ/બારની માર્કશીટમાં માર્કસની ગણતરી કેવી રીતે કરવામાં આવશે?
(૦૪) જો આ માર્કશીટથી વિદ્યાર્થી સંમત ન હોય અને તે પરીક્ષા આપવા માંગતો હોય તો તે અંગેનું શું આયોજન છે?
(૦૫) ધોરણ દસ/બારના રિપીટર વિદ્યાર્થીઓ માટે શું આયોજન છે?
(૦૬) પ્રવેશ પરીક્ષાઓ લેવામાં આવશે કે નહીં?
(૦૭) જો લેવામાં આવશે તો ક્યારે લેવામાં આવશે?
(૦૮) ધોરણ દસ પછી પ્રવેશ પ્રક્રિયા કેવી હશે અને ક્યારે શરૂ થશે?
(૦૯) ધોરણ દસ પછી પોલિટેકનિક અને આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયા કેવી હશે?
(૧૦) પોલિટેકનિક અને આઈટીઆઈમાં પ્રવેશ પ્રક્રિયા ક્યારે શરૂ થશે?
(૧૧) ધોરણ બાર પછી પ્રવેશ પ્રક્રિયા કેવી હશે અને ક્યારે શરૂ થશે?
વાલીઓ અને સંતાનોમાં ધોરણ દસ/બાર પછીની કારકિર્દી અંગે ઊભી થયેલી અનિશ્ચિતતા તાત્કાલિક દુર કરવી અતિ આવશ્યક છે. નાના-નાના મુદ્દાઓને લઈને “સ્યુઓ મોટો” જાહેર હિતની અરજી લઈને આવતી સર્વોચ્ચ અદાલત અને વિવિધ રાજ્યોની હાઇકોર્ટ આટલા મહત્વના પ્રશ્નની સુનાવણી કેમ વિલંબમાં નાખી રહી છે?
મારું એકદમ સ્પષ્ટ માનવું છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આવનારા ૭૨ કલાકમાં એક નિશ્ચિત ફોર્મ્યુલા લઈને આવે. શિક્ષણશાસ્ત્રીઓની દેશમાં કે રાજ્યમાં ખોટ નથી. શિક્ષણ અંગેની નીતિના નિર્ધારકો પણ જ્યારે કહો ત્યારે કાર્યરત થવા માટે અને માર્ગદર્શન માટે હાજર હોય છે. તો પછી કેન્દ્ર અને રાજ્ય સરકારો કેમ શિક્ષણના આટલા મહત્વના વર્ષ માટે ઢીલી નીતિ અપનાવીને નિર્ણય લેવામાં વિલંબ કરી રહી છે?
ધારો કે સરકાર એવું નક્કી કરે કે ધોરણ દસ માટે ધોરણ નવનું પરિણામ અને ધોરણ દસમાં સમગ્ર વર્ષ દરમિયાન લીધેલી પરીક્ષાઓ, ટેસ્ટ અને એસાઇનમેન્ટ આધારિત પરિણામ બનાવવામાં આવશે. આવું જ ધોરણ બારમાં નક્કી કરે તો ધોરણ બાર માટે ધોરણ અગિયારનું પરિણામ અને ધોરણ બારના સમગ્ર વર્ષ દરમિયાન લીધેલી પરીક્ષાઓ, ટેસ્ટ અને એસાઇનમેન્ટ આધારિત પરિણામ બનાવવામાં આવશે.
આવું કરવા માટે પણ શાળાઓને ઓછામાં ઓછું એક અઠવાડિયું જોઈશે. આ રીતે મળેલ માર્કસ બોર્ડ પાસે પહોંચ્યા પછી બોર્ડ તેઓની માર્કશીટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. આ આખા પ્રોસેસમાં ઓછામાં ઓછા બે મહિના નીકળી જશે. ઓગસ્ટની શરૂઆત પહેલાં પરિણામ અને માર્કશીટ આવી શકશે નહીં. ત્યાં સુધી આગળની પ્રવેશ પ્રક્રિયા વિલંબમાં પડશે. આના કારણે આવનારું શૈક્ષણિક વર્ષ આખું ખોરવાઇ જશે.
આ દરમિયાન ધોરણ બાર પછીના પ્રોફેશનલ કોર્સિસ માટેની પ્રવેશ પરીક્ષાઓ પણ લેવાની થશે. જે તે રાજ્યોએ પણ પોતાના રાજયોની કોલેજોમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાઓ લેવી પડશે. તે લેવા માટે વિદ્યાર્થીને ઓછામાં ઓછો એક મહિનાનો સમય આપવો પડશે. આમ પ્રવેશ પરીક્ષાનું પરિણામ આવતાં પણ ઓછામાં ઓછો અઢી મહિનાનો સમય નીકળી જશે. એટલે કે ઓગસ્ટ ૧૫, ૨૦૨૧ સુધીનો સમય નીકળી જશે. ત્યારબાદ મેરીટ યાદી બનશે. અને પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. પ્રોફેશનલ કોર્સિસમાં તો નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં થતાં નવેમ્બર આવી જશે. આમ આ ક્ષેત્રમાં પણ આવનારું આખું શૈક્ષણિક વર્ષ ખોરવાઇ જશે.
આ અંગે સૂચનો
સૂચન એક (હવે શરૂ થનાર ધોરણ અગિયાર માટે)
હવે શરૂ થનાર ધોરણ અગિયારને “ફાઉન્ડેશન વર્ષ” જાહેર કરવામાં આવે. આ આખા વર્ષ દરમિયાન નવ અને દસમાં જે કોર્સ ભણ્યા હોય તેના સિલેબસમાંથી જે તે પ્રવાહ (વિજ્ઞાન કે સામાન્ય)ને અનુકૂળ હોય તેવા ટૉપિક્સ ઉપર વિસ્તૃત સમજ આપવામાં આવે. આ શૈક્ષણિક વર્ષ ડિસેમ્બરથી એપ્રિલનું રાખવામાં આવે. “ફાઉન્ડેશન વર્ષ” પૂરું થયા બાદ જ ખરેખર ધોરણ અગિયાર શરૂ કરવામાં આવે.
સૂચન બે (હવે શરૂ થનાર પ્રોફેશનલ કોર્સિસ માટે)
આવી જ રીતે હવે શરૂ થનાર પોલિટેકનિક કે આઈટીઆઈના પ્રથમ વર્ષને તથા તમામ પ્રોફેશનલ કોર્સિસ (એન્જિનિયરિંગ હોય કે મેડિસિન)ના પ્રથમ વર્ષને “ફાઉન્ડેશન વર્ષ” જાહેર કરવામાં આવે. આ આખા વર્ષ દરમિયાન ધોરણ અગિયાર અને બાર દરમિયાન જે કોર્સ ભણ્યા હોય તેના સિલેબસમાંથી જે તે પ્રોફેશનલ કોર્સિસને અનુકૂળ હોય તેવા ટૉપિક્સ ઉપર વિસ્તૃત સમજ આપવામાં આવે. આ શૈક્ષણિક વર્ષ ડિસેમ્બરથી એપ્રિલનું રાખવામાં આવે. “ફાઉન્ડેશન વર્ષ” પૂરું થયા બાદ જ પોલિટેકનિક કે આઈટીઆઈનું તથા તમામ પ્રોફેશનલ કોર્સિસ (એન્જિનિયરિંગ હોય કે મેડિસિન)નું પ્રથમ વર્ષ શરૂ થાય.
અંતે
આમ કરવાથી વિદ્યાથીઓના અભ્યાસની ગુણવત્તા ઓનલાઈન શિક્ષણમાં જે કથળી છે તે પરત આવશે અને તેનો ફાયદો વિદ્યાર્થીની કારકિર્દીમાં થશે. ભલે એક વર્ષ આખું “ફાઉન્ડેશન વર્ષ” તરીકે ધોરણ અગિયાર અને બારના મૂળ વિષયો અને ટૉપિક્સને મજબૂત કરવામાં પસાર થાય. સરવાળે એક વર્ષ વિદ્યાર્થીની કારકિર્દીમાં ખરાબ થશે પરંતુ સરવાળે તેનો ફાયદો વિદ્યાર્થીને તેની કારકિર્દીમાં થશે.
જો આમ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીની કારકિર્દી બહુ જ કથળી જશે અને ખોરવાયેલ શૈક્ષણિક વર્ષ નિયમિત કરવામાં બહુ જ મુશ્કેલીઓ આવશે.
આજની આ વિકટ પરિસ્થિતિમાં વડાપ્રધાને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને વિશ્વાસમાં લીધા પછી રાષ્ટ્રજોગ સંબોધન કરીને દેશના કરોડો કરોડો વાલીઓ અને વિદ્યાર્થીઓને આ આખી વાતની સમજ આપીને તે અંગે હિંમતભર્યો નિર્ણય કરવો અતિ આવશ્યક છે.
શું કરોડો વિદ્યાર્થીઓના ફાયદા માટે દેશ આ કરી શકશે??