PM બાદ CM ના હસ્તે તિલકવાડાથી કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ, રાજ્યના 2702 ગામના ખેડૂતોને યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે
₹3500 કરોડના ખર્ચે ખેડૂતોને સવારે વીજળી આપવા 3490 સર્કિટ KM ટ્રાન્સમિશન લાઈનોનું રાજ્યમાં નેટવર્ક
નર્મદા જિલ્લા પાણી પુરવઠાની 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત
WatchGujarat ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી આરંભ કરાવાયો હતો. મુખ્યમંત્રીએ ભાજપ સરકારની પ્રજાભિમુખ સિદ્ધિઓ વર્ણવી કોંગ્રેસ રાજમાં બધું રમણ-ભમણ હોવાનું અને કોંગ્રેસ પ્રજાવિમુખ રહી ભ્રષ્ટાચારમાં રચી પચી હોય બધું રમણ-ભમણ હોવાનું જણાવ્યું હતું.
યોજનાથી નર્મદા જિલ્લાના 39 ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થઇ છે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના 2702 ગામોના ખેડૂતોને 953 AG ફીડરોના 2.24 લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન વીજ પુરવઠો અપાશે. તિલકવાડાની કે.એમ.શાહ હાઇસ્કૂલ ખાતે સવારે 10 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં CM ઉપરાંત ઉર્જા મંત્રી સૌરભ પટેલ, મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંત્રી કુંવરજી બાવળીયા, બચુભાઇ ખાબડ, સંસદસભ્ય મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન સૂર્યોદય યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ₹3500 કરોડના ખર્ચે 66 કે.વી.ની 3490 સર્કિટ KM જેટલી 234 નવી ટ્રાન્સમીશન લાઇનો તથા 220 કેવીના 9 નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્ધઢ કરાશે. આ ઉપરાંત CM રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગુરુડેશ્વર તાલુકાના 146 ગામો અને 22 ફળિયાને પાણી ઉપલબ્ધ થશે.
ખેડૂતોને દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા બંધ, ઠંડી-વરસાદ સામે રક્ષણ
ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે. સૂર્ય ઊર્જા થકી દિવસે ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ.
PM ના હસ્તે ઓક્ટોબરમાં 1055 ગામોમાં યોજનાનો શુભારંભ કરાયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ 24 ઓક્ટોબર 2020 ના રોજ કરવામાં આવ્યો હતો. યોજનાના પહેલા તબક્કામાં જુનાગઢમાં 220, ગીર સોમનાથમાં 143 તેમજ દાહોદ જિલ્લાના 692 એમ કુલ 1055 ગામોના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં બીજા ચરણમાં 454 ગામના ખેડૂતોને 17 જાન્યુઆરી સુધી આવરી લેવાશે
દક્ષિણ ગુજરાતમાં યોજનાના બીજા તબક્કામાં નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કુલ 454 ગામોના ખેડૂતોને 7 થી 17 જાન્યુઆરી સુધીમાં તબ્બકાવાર દિવસે વીજ પુરવઠો આપવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ડીજીવીસીએલના વિસ્તારમાં કુલ 69 ફીડરોના 454 ગામના ખેડૂતોના 19747 અગ્રિકલચર કનેક્શનને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટેનું આયોજન હાથ ધરાયુ છે
More #Corruption #rule #congress #CM #vijay rupani #Watchgujarat
PM બાદ CM ના હસ્તે તિલકવાડાથી કિસાન સૂર્યોદય યોજનાનો આરંભ, રાજ્યના 2702 ગામના ખેડૂતોને યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે
₹3500 કરોડના ખર્ચે ખેડૂતોને સવારે વીજળી આપવા 3490 સર્કિટ KM ટ્રાન્સમિશન લાઈનોનું રાજ્યમાં નેટવર્ક
નર્મદા જિલ્લા પાણી પુરવઠાની 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત
WatchGujarat ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી આરંભ કરાવાયો હતો. મુખ્યમંત્રીએ ભાજપ સરકારની પ્રજાભિમુખ સિદ્ધિઓ વર્ણવી કોંગ્રેસ રાજમાં બધું રમણ-ભમણ હોવાનું અને કોંગ્રેસ પ્રજાવિમુખ રહી ભ્રષ્ટાચારમાં રચી પચી હોય બધું રમણ-ભમણ હોવાનું જણાવ્યું હતું.
યોજનાથી નર્મદા જિલ્લાના 39 ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ થઇ છે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના 2702 ગામોના ખેડૂતોને 953 AG ફીડરોના 2.24 લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન વીજ પુરવઠો અપાશે. તિલકવાડાની કે.એમ.શાહ હાઇસ્કૂલ ખાતે સવારે 10 કલાકે યોજાયેલા કાર્યક્રમમાં CM ઉપરાંત ઉર્જા મંત્રી સૌરભ પટેલ, મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મંત્રી કુંવરજી બાવળીયા, બચુભાઇ ખાબડ, સંસદસભ્ય મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન સૂર્યોદય યોજના માટે રાજ્ય સરકાર દ્વારા ₹3500 કરોડના ખર્ચે 66 કે.વી.ની 3490 સર્કિટ KM જેટલી 234 નવી ટ્રાન્સમીશન લાઇનો તથા 220 કેવીના 9 નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્ધઢ કરાશે. આ ઉપરાંત CM રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની 152 કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું હતું. જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગુરુડેશ્વર તાલુકાના 146 ગામો અને 22 ફળિયાને પાણી ઉપલબ્ધ થશે.
ખેડૂતોને દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા બંધ, ઠંડી-વરસાદ સામે રક્ષણ
ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે. સૂર્ય ઊર્જા થકી દિવસે ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ.
PM ના હસ્તે ઓક્ટોબરમાં 1055 ગામોમાં યોજનાનો શુભારંભ કરાયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સૂર્યોદય યોજનાનો શુભારંભ 24 ઓક્ટોબર 2020 ના રોજ કરવામાં આવ્યો હતો. યોજનાના પહેલા તબક્કામાં જુનાગઢમાં 220, ગીર સોમનાથમાં 143 તેમજ દાહોદ જિલ્લાના 692 એમ કુલ 1055 ગામોના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં બીજા ચરણમાં 454 ગામના ખેડૂતોને 17 જાન્યુઆરી સુધી આવરી લેવાશે
દક્ષિણ ગુજરાતમાં યોજનાના બીજા તબક્કામાં નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કુલ 454 ગામોના ખેડૂતોને 7 થી 17 જાન્યુઆરી સુધીમાં તબ્બકાવાર દિવસે વીજ પુરવઠો આપવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ડીજીવીસીએલના વિસ્તારમાં કુલ 69 ફીડરોના 454 ગામના ખેડૂતોના 19747 અગ્રિકલચર કનેક્શનને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટેનું આયોજન હાથ ધરાયુ છે
More #Corruption #rule #congress #CM #vijay rupani #Watchgujarat