રાજ્યમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતે છે
રાજ્યના પુર્વ સ્વાસ્થ્યમંત્રી જયનારાયણ વ્યાસને પણ પાર્ટી બદલાઇ હોવાનો અહેસાસ થતા તેઓએ ટ્વીટના માધ્યમથી પોતાનો સંદેશો વ્યક્ત કર્યો
દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે
રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં ઝંપલાવવા માટે અનેક પાર્ટીના વડાઓએ રાજ્યની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું
[caption id="attachment_1224309" align="aligncenter" width="1280"] Gujarat, Ex- Health Minister Jay Narayan Vyas, Tweet[/caption]
Watchgujarat. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં સત્તાઆરૂઢ છે. મંગળવારે રાજ્ય સરકારના પુર્વ સ્વાસ્થ્ય મંત્રી દ્વારા ટ્વીટ કરીને સંદેશો લખવામાં આવ્યો હતો. જેમાં સંદેશામાં લખાયું કે, પાર્ટી ચોક્કસ બદલાઇ ગઇ છે. ટ્વીટને પગલે હાલ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.
https://twitter.com/JayNarayan_Vyas/status/1407206338925535247?s=20
રાજ્યમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતે છે. પરંતુ હવે સમયજતા પાર્ટીની કાર્યશૈલી બદલાઇ છે. રાજ્યના પુર્વ સ્વાસ્થ્યમંત્રી જયનારાયણ વ્યાસને પણ પાર્ટી બદલાઇ હોવાનો અહેસાસ થતા તેઓએ ટ્વીટના માધ્યમથી પોતાનો સંદેશો વ્યક્ત કર્યો હતો.
રાજ્યસરકારના પુર્વ સ્વાસ્થ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ટ્વીટ કરતા લખ્યું કે, કમલમમાંથી મીટીંગમાં હાજરી આપવા માટે ફોન આવ્યો હતો. ભુતકાળમાં જો તને અસ્વસ્થ હોવ તો પાર્ટીના સિનિયર લોકો તમારા સ્વાસ્થ્ય અંગે પુછતા અથવા ખબર કાઢતા હતા. હું બાયપાસ સર્જરીના કારણે હોસ્પિટલમાં છું, જે કમલમના બાળકો સિવાય તમામ લોકો જાણે છે. પાર્ટી ચોક્કસ બદલાઈ ગઈ છે !!
જયનારાયણ વ્યાસના ટ્વીટના કારણે લોકો ટ્વીટર થ્રેડમાં તેમના સ્વાસ્થ્ય અંગેની પૃચ્છા કરી રહ્યા છે. પરંતુ જયનારાયણ વ્યાસના ટ્વીટ બાદ લોકોમાં સત્તાઆરૂઢ પાર્ટીની કાર્યશૈલી ને લઇને સવાલો ઉઠી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ આવવાને કારણે મિટીંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ચુંટણીમાં ઝંપલાવવા માટે અનેક પાર્ટીના વડાઓએ રાજ્યની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે. એક તરફ તમામ પાર્ટીઓ ચુંટણીમાં ઝંપલાવવા માટે મહેનત કરી રહી છે. તેવા સમયે ભાજપાના પુર્વ સ્વાસ્થ્ય મંત્રી દ્વારા પાર્ટી બદલાઇ ગઇ હોવાનું ટ્વીટ કરવામાં આવ્યું છે.
Gujarat, Ex- Health Minister Jay Narayan Vyas, Tweet
રાજ્યમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતે છે
રાજ્યના પુર્વ સ્વાસ્થ્યમંત્રી જયનારાયણ વ્યાસને પણ પાર્ટી બદલાઇ હોવાનો અહેસાસ થતા તેઓએ ટ્વીટના માધ્યમથી પોતાનો સંદેશો વ્યક્ત કર્યો
દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે
રાજ્યમાં આગામી સમયમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીમાં ઝંપલાવવા માટે અનેક પાર્ટીના વડાઓએ રાજ્યની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું
[caption id="attachment_1224309" align="aligncenter" width="1280"] Gujarat, Ex- Health Minister Jay Narayan Vyas, Tweet[/caption]
Watchgujarat. ભારતીય જનતા પાર્ટી છેલ્લા કેટલાય વર્ષોથી રાજ્યમાં સત્તાઆરૂઢ છે. મંગળવારે રાજ્ય સરકારના પુર્વ સ્વાસ્થ્ય મંત્રી દ્વારા ટ્વીટ કરીને સંદેશો લખવામાં આવ્યો હતો. જેમાં સંદેશામાં લખાયું કે, પાર્ટી ચોક્કસ બદલાઇ ગઇ છે. ટ્વીટને પગલે હાલ લોકોમાં ચર્ચા ઉઠવા પામી છે.
રાજ્યમાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતે છે. પરંતુ હવે સમયજતા પાર્ટીની કાર્યશૈલી બદલાઇ છે. રાજ્યના પુર્વ સ્વાસ્થ્યમંત્રી જયનારાયણ વ્યાસને પણ પાર્ટી બદલાઇ હોવાનો અહેસાસ થતા તેઓએ ટ્વીટના માધ્યમથી પોતાનો સંદેશો વ્યક્ત કર્યો હતો.
રાજ્યસરકારના પુર્વ સ્વાસ્થ્ય મંત્રી જયનારાયણ વ્યાસે ટ્વીટ કરતા લખ્યું કે, કમલમમાંથી મીટીંગમાં હાજરી આપવા માટે ફોન આવ્યો હતો. ભુતકાળમાં જો તને અસ્વસ્થ હોવ તો પાર્ટીના સિનિયર લોકો તમારા સ્વાસ્થ્ય અંગે પુછતા અથવા ખબર કાઢતા હતા. હું બાયપાસ સર્જરીના કારણે હોસ્પિટલમાં છું, જે કમલમના બાળકો સિવાય તમામ લોકો જાણે છે. પાર્ટી ચોક્કસ બદલાઈ ગઈ છે !!
જયનારાયણ વ્યાસના ટ્વીટના કારણે લોકો ટ્વીટર થ્રેડમાં તેમના સ્વાસ્થ્ય અંગેની પૃચ્છા કરી રહ્યા છે. પરંતુ જયનારાયણ વ્યાસના ટ્વીટ બાદ લોકોમાં સત્તાઆરૂઢ પાર્ટીની કાર્યશૈલી ને લઇને સવાલો ઉઠી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ દેશના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. આવતા વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચુંટણીઓ આવવાને કારણે મિટીંગોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. તો બીજી તરફ ચુંટણીમાં ઝંપલાવવા માટે અનેક પાર્ટીના વડાઓએ રાજ્યની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું છે. એક તરફ તમામ પાર્ટીઓ ચુંટણીમાં ઝંપલાવવા માટે મહેનત કરી રહી છે. તેવા સમયે ભાજપાના પુર્વ સ્વાસ્થ્ય મંત્રી દ્વારા પાર્ટી બદલાઇ ગઇ હોવાનું ટ્વીટ કરવામાં આવ્યું છે.
Gujarat, Ex- Health Minister Jay Narayan Vyas, Tweet