કેવડિયામાં ગોરા ખાતે ₹14 કરોડના ખર્ચે નિર્મિત નર્મદા ઘાટે રંગીન ફુવારા વચ્ચે નર્મદા મૈયાની મહાઆરતી
દેવદિવાળીએ PM નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની જીવંત નદી નર્મદાની મહાઆરતી કરવામાં આવે તેવું આયોજન
કેવડિયાના નર્મદા કિનારે ગોરા ઘાટ તૈયાર, આકર્ષક ફુવારા વચ્ચે ચાલતું નર્મદા મહા આરતીનું રિહર્સલ
હરિદ્વાર અને વારાણસી ખાતે ગંગા આરતીની જેમ જ કેવડિયામાં નર્મદાની મહાઆરતી થશે
[caption id="attachment_1419872" align="aligncenter" width="1280"] Narmada Gora Ghat[/caption]
WatchGujarat. ગંગા મૈયાની હરિદ્વાર અને વારાણસીમાં થતી મહાઆરતીની જેમ નર્મદા મૈયાની મહાઆરતી પણ હવે કેવડિયાના ગોરા ખાતે ₹14 કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા ઘાટે રોજ થશે. નદીમાં રંગીન ફુવારા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી રોજ સાંજે આરતીનું રિહર્સલ ચાલી રહ્યું છે.
નર્મદા મૈયાની મહાઆરતી માટે દેવ દિવાળીએ દેશભરમાંથી 3000 જેટલા પંડિતો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા મૈયાની મહાઆરતીનો શુભારંભ કરાવે તે માટે તૈયારીઓ તેજ બની છે. નદીમાં આકર્ષક પ્રતિમા વચ્ચે લાઈટીંગ ફાઉન્ટેનનું વધુ એક નજરાણું લાખોના ખર્ચે ઉભું કરાયું છે.
https://youtu.be/3GhXCJTY9xs
વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ પામેલી અને દુનિયની 7 મોટી નદીઓ પૈકીની એક નર્મદા નદીની પણ હવે રોજ ગંગાની જેમ મહાઆરતી થશે. નર્મદા નદી 7 કલ્પથી અવિરત વહી રહી છે અને એકમાત્ર એવી નદી છે જેની વિશ્વમાં પરિક્રમા થાય છે. જેના દર્શન માત્રથી જ પાવન થવાય છે.
સરદાર સરોવર નર્મદા ડેમ બાદ વિશ્વ ફલક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વ વિરાટ 182 મીટરની પ્રતિમાથી કેવડિયા નંબર વન ફેમિલી ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સાથે કેવડિયા SOU 36 અન્ય આકર્ષણો સાથે 5.58 લાખ પ્રવાસીઓની મુલાકાત સાથે નવા આયામો સર કરી રહ્યું છે.
કેવડિયા વિશ્વકક્ષાનું પ્રવાસન ધામ તરીકે ઉભરી આવ્યા બાદ નરેન્દ્ર મોદી તેને પોતાની દીર્ઘ દ્રષ્ટિ મુજબ ધાર્મિક સ્થળ તરીકે પણ વિકસાવી રહ્યા છે. જેનાં ભાગરૂપે મહિનાઓ અગાઉ PM નરેન્દ્ર મોદીએ ગોરા નજીક ₹14 કરોડના ખર્ચે નર્મદા ઘાટના નિર્માણની જાહેરાત કરી હતી.
નમામી દેવી નર્મદે પ્રોજેક્ટ હેઠળ 7 થી 8 મહિનામાં નર્મદા ઘાટ તૈયાર થઈ ગયો છે. ગોરા પુલ પાસે નવનિર્મિત ઘાટની લાંબાઇ 131 મીટર અને ઊડાઈ 46 મીટરની છે. અદ્યતન નર્મદા ઘાટ તૈયાર થઈ જતા હાલ નર્મદા મૈયાની મહા આરતીનું રિહર્સલ ચાલી રહ્યું છે. PM નરેન્દ્ર મોદી હવે દેવ દિવાળીએ કેવડિયા SOU માં પધારે ત્યારે તેમના હસ્તે સૌપ્રથમ નર્મદા મૈયાની મહાઆરતીનો પ્રારંભ કરાવવા તંત્ર કામે લાગી ગયું છે.
નર્મદા પુરાણમાં માં નર્મદા નો મહિમા અપાર છે સાથે જ જે સ્થળે નર્મદા ઘાટ બની રહ્યો છે. તેની નજીક સુપ્રસિદ્ધ શુલપાણેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. આ ઘાટ થકી ભવિક ભકતો નર્મદા આરતીને મહાદેવની પૂજા અર્ચના થાય તેવું આયોજન તંત્ર કરી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ મનોરંજનની સાથે ભક્તિ ભાવ પણ કરે તેવું આયોજન થઈ રહ્યું છે. નર્મદા મહાઆરતીની સાથે પ્રવાસીઓ નર્મદા સ્નાન અને આહલાદક રોશનીની સપ્તરંગી લાઈટોના ફુવારાનો પણ લાભ લઈ શકશે.
કેવડિયામાં ગોરા ખાતે ₹14 કરોડના ખર્ચે નિર્મિત નર્મદા ઘાટે રંગીન ફુવારા વચ્ચે નર્મદા મૈયાની મહાઆરતી
દેવદિવાળીએ PM નરેન્દ્ર મોદીના હસ્તે વિશ્વની જીવંત નદી નર્મદાની મહાઆરતી કરવામાં આવે તેવું આયોજન
હરિદ્વાર અને વારાણસી ખાતે ગંગા આરતીની જેમ જ કેવડિયામાં નર્મદાની મહાઆરતી થશે
[caption id="attachment_1419872" align="aligncenter" width="1280"] Narmada Gora Ghat[/caption]
WatchGujarat. ગંગા મૈયાની હરિદ્વાર અને વારાણસીમાં થતી મહાઆરતીની જેમ નર્મદા મૈયાની મહાઆરતી પણ હવે કેવડિયાના ગોરા ખાતે ₹14 કરોડના ખર્ચે નવનિર્મિત નર્મદા ઘાટે રોજ થશે. નદીમાં રંગીન ફુવારા વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી રોજ સાંજે આરતીનું રિહર્સલ ચાલી રહ્યું છે.
નર્મદા મૈયાની મહાઆરતી માટે દેવ દિવાળીએ દેશભરમાંથી 3000 જેટલા પંડિતો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા મૈયાની મહાઆરતીનો શુભારંભ કરાવે તે માટે તૈયારીઓ તેજ બની છે. નદીમાં આકર્ષક પ્રતિમા વચ્ચે લાઈટીંગ ફાઉન્ટેનનું વધુ એક નજરાણું લાખોના ખર્ચે ઉભું કરાયું છે.
વિશ્વની એકમાત્ર જીવંત નદીનું બિરૂદ પામેલી અને દુનિયની 7 મોટી નદીઓ પૈકીની એક નર્મદા નદીની પણ હવે રોજ ગંગાની જેમ મહાઆરતી થશે. નર્મદા નદી 7 કલ્પથી અવિરત વહી રહી છે અને એકમાત્ર એવી નદી છે જેની વિશ્વમાં પરિક્રમા થાય છે. જેના દર્શન માત્રથી જ પાવન થવાય છે.
સરદાર સરોવર નર્મદા ડેમ બાદ વિશ્વ ફલક ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વ વિરાટ 182 મીટરની પ્રતિમાથી કેવડિયા નંબર વન ફેમિલી ટુરિસ્ટ પ્લેસ બની ગયું છે. PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ સાથે કેવડિયા SOU 36 અન્ય આકર્ષણો સાથે 5.58 લાખ પ્રવાસીઓની મુલાકાત સાથે નવા આયામો સર કરી રહ્યું છે.
કેવડિયા વિશ્વકક્ષાનું પ્રવાસન ધામ તરીકે ઉભરી આવ્યા બાદ નરેન્દ્ર મોદી તેને પોતાની દીર્ઘ દ્રષ્ટિ મુજબ ધાર્મિક સ્થળ તરીકે પણ વિકસાવી રહ્યા છે. જેનાં ભાગરૂપે મહિનાઓ અગાઉ PM નરેન્દ્ર મોદીએ ગોરા નજીક ₹14 કરોડના ખર્ચે નર્મદા ઘાટના નિર્માણની જાહેરાત કરી હતી.
નમામી દેવી નર્મદે પ્રોજેક્ટ હેઠળ 7 થી 8 મહિનામાં નર્મદા ઘાટ તૈયાર થઈ ગયો છે. ગોરા પુલ પાસે નવનિર્મિત ઘાટની લાંબાઇ 131 મીટર અને ઊડાઈ 46 મીટરની છે. અદ્યતન નર્મદા ઘાટ તૈયાર થઈ જતા હાલ નર્મદા મૈયાની મહા આરતીનું રિહર્સલ ચાલી રહ્યું છે. PM નરેન્દ્ર મોદી હવે દેવ દિવાળીએ કેવડિયા SOU માં પધારે ત્યારે તેમના હસ્તે સૌપ્રથમ નર્મદા મૈયાની મહાઆરતીનો પ્રારંભ કરાવવા તંત્ર કામે લાગી ગયું છે.
નર્મદા પુરાણમાં માં નર્મદા નો મહિમા અપાર છે સાથે જ જે સ્થળે નર્મદા ઘાટ બની રહ્યો છે. તેની નજીક સુપ્રસિદ્ધ શુલપાણેશ્વર મહાદેવ મંદિર આવેલા છે. આ ઘાટ થકી ભવિક ભકતો નર્મદા આરતીને મહાદેવની પૂજા અર્ચના થાય તેવું આયોજન તંત્ર કરી રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ મનોરંજનની સાથે ભક્તિ ભાવ પણ કરે તેવું આયોજન થઈ રહ્યું છે. નર્મદા મહાઆરતીની સાથે પ્રવાસીઓ નર્મદા સ્નાન અને આહલાદક રોશનીની સપ્તરંગી લાઈટોના ફુવારાનો પણ લાભ લઈ શકશે.