ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરાઈ
સુરતના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે "અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન"ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા
ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ વિરુદ્ધ કોંગ્રેસના પરેશ ધાનાણીની હાઇકોર્ટમાં પિટિશન
જાહેરહિતની અરજીમાં "ફાર્મસી એકટ 1949"ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી
સીએમ રૂપાણીએ કહ્યું હતું કે ઈન્જેક્શન ક્યાંથી લાવ્યાં એ પાટીલને પૂછો
પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી
પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા આપી શકે નહીં
WatchGujarat. ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ-પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી કરી છે. એમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે "અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન" ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
આ સાથે કરેલી વધુ એક પિટિશનમાં માં રેમડેસિવિર ઇન્જેકશનના ગેરકાયદે વિતરણ મુદ્દે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકાર, સી આર પાટીલ, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી,સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયાનો પણ જવાબ માગવામાં આવ્યો છે.
વિરોધપક્ષના નેતાએ કરેલી જાહેરહિતની અરજીમાં "ફાર્મસી એક્ટ 1949"ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યું છે. આ ઉપરાંત ફાર્મસી એકટ 1948ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.
સરકારમાંથી એકપણ ઈન્જેક્શન આપ્યું નથીઃ CM
રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સી.આર પાટીલને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે.
સુરતના વકીલે પાટીલ વિરુદ્ધ ભુજના પોલીસ સ્ટેશનમાં અરજી કરી
ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવાને લઈ સુરતના એક સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ દ્વારા ભુજના પોલીસ સ્ટેશનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરોધ અરજી દાખલ કરવામાં આવી છે. એપિડેમિક એક્ટ હેઠળ આ ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે આટલા મોટા પ્રમાણમાં સ્ટોકમાં રાખવામાં આવ્યા હોવાની અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય પાસે ડ્રગ્સ વેચવાનો પરવાનો ન હોવા છતાં ઇન્જેક્શન કેવી રીતે વેચાણ કરાયા? રેમડીસીવીર ઇન્જેકશનની સંગ્રહખોરી તથા તેના વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું ડ્રગ્સ અને કોસ્મેટિક કાયદો 1940ના કલમ 18 પ્રમાણે ગુનો બને છે તથા ઇન્જેક્શન સપ્લાય વિરુદ્ધ પણ કલમ-17 મુજબ સપ્લાય કરનાર અને વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.
સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા?
રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર. પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.
ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ઇન્જેક્શનની વહેંચણી બાબતે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરાઈ
સુરતના ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે "અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન"ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા
જાહેરહિતની અરજીમાં "ફાર્મસી એકટ 1949"ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી
સીએમ રૂપાણીએ કહ્યું હતું કે ઈન્જેક્શન ક્યાંથી લાવ્યાં એ પાટીલને પૂછો
પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી
પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ દવા આપી શકે નહીં
WatchGujarat. ગુજરાતમાં હાલમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. આ દરમિયાન ભાજપના પ્રદેશ-પ્રમુખ સી.આર.પાટીલે સુરતમાં પાંચ હજાર ઇન્જેક્શનનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ ભાજપ દ્વારા વહેંચાયેલાં ઇન્જેક્શન સામે કોંગ્રેસે અનેક સવાલ ઉઠાવી સાંસદ અને ભાજપ પ્રદેશ-પ્રમુખ સી.આર. પાટીલ સામે ફોજદારી ધારા ભંગ અને સરકાર જાહેરનામા ભંગ બદલ ગુનો નોંધવા માગ કરી છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રેમડેસિવિર ઈન્જેક્શનનું ખોટી રીતે વિતરણ કરવા અંગે ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વિરુદ્ધ હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગુજરાત હાઇકોર્ટમાં નવસારીના ધારાસભ્ય અને ગુજરાત ભાજપ-પ્રમુખ ચંદ્રકાંત આર. પાટીલ સામે જાહેરહિતની 36 પાનાંની અરજી કરી છે. એમાં ગુજરાત સરકાર અને સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે "અનઓથોરાઝ઼ડ ડિસ્ટિબ્યુશન ઓફ રેમડેસિવિર ઇન્જેકશન" ના મુદ્દે જવાબ માગતા મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે.
આ સાથે કરેલી વધુ એક પિટિશનમાં માં રેમડેસિવિર ઇન્જેકશનના ગેરકાયદે વિતરણ મુદ્દે પરેશ ધાનાણી દ્વારા ગુજરાત સરકાર, સી આર પાટીલ, ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી,સુરત કલેક્ટર અને સુરત પોલીસ કમિશનર અને રાજ્યના ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન-ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચજી કોશિયાનો પણ જવાબ માગવામાં આવ્યો છે.
વિરોધપક્ષના નેતાએ કરેલી જાહેરહિતની અરજીમાં "ફાર્મસી એક્ટ 1949"ના સેકશન 42નો ભંગ થવાની રજૂઆત હાઇકોર્ટને કરવામાં આવી છે, જેમાં રજિસ્ટર ન થયેલી હોઇ એવી વ્યક્તિ દ્વારા વિતરણનો ઉલ્લેખ છે. આમાં ફાર્માસિસ્ટ સિવાય કોઈ અન્ય કોઇ વ્યકિત મેડિકલ પ્રેક્ટિશનર દ્વારા લખી આપવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર કોઇ દવા આપી શકે નહીં. કાયદાની આ કલમનું ઉલ્લંધન થઇ રહ્યું છે. આ ઉપરાંત ફાર્મસી એકટ 1948ને ટાંકીને એવી રજૂઆત કરાઇ છે કે આ કલમનું ઉલ્લંઘન કરનારને છ મહિનાની કેદની સજાની જોગવાઈ છે.
સરકારમાંથી એકપણ ઈન્જેક્શન આપ્યું નથીઃ CM
રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા પ્રકોપને જોતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદથી 20 નવા ધનવંતરી રથનું લોકર્પણ કર્યું છે. એ દરમિયાન મુખ્યંમત્રીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે સી.આર પાટીલે કરેલી 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે સી.આર પાટીલને સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. બીજી તરફ કોંગ્રેસે પણ આ મામલે આક્ષેપો કર્યા છે.
સુરતના વકીલે પાટીલ વિરુદ્ધ ભુજના પોલીસ સ્ટેશનમાં અરજી કરી
ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવિર ઇન્જેક્શનનું ગેરકાયદે વિતરણ કરવાને લઈ સુરતના એક સામાજિક કાર્યકર્તા અને એડવોકેટ દ્વારા ભુજના પોલીસ સ્ટેશનમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વિરોધ અરજી દાખલ કરવામાં આવી છે. એપિડેમિક એક્ટ હેઠળ આ ઇન્જેક્શનો ગેરકાયદેસર રીતે આટલા મોટા પ્રમાણમાં સ્ટોકમાં રાખવામાં આવ્યા હોવાની અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય પાસે ડ્રગ્સ વેચવાનો પરવાનો ન હોવા છતાં ઇન્જેક્શન કેવી રીતે વેચાણ કરાયા? રેમડીસીવીર ઇન્જેકશનની સંગ્રહખોરી તથા તેના વેચાણ એક રાજકીય પક્ષ દ્વારા કરવું ડ્રગ્સ અને કોસ્મેટિક કાયદો 1940ના કલમ 18 પ્રમાણે ગુનો બને છે તથા ઇન્જેક્શન સપ્લાય વિરુદ્ધ પણ કલમ-17 મુજબ સપ્લાય કરનાર અને વેચાણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ થઈ છે.
સી.આર પાટીલે કેવી રીતે કરી 5000 ઈન્જેક્શનની વ્યવસ્થા?
રાજ્ય કોરોનાની મહામારીમાં સપડાયું છે. હોસ્પિટલોમાં દર્દીઓને બેડ મેળવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે પાછલા અમુક દિવસોથી ઝાયડસ હોસ્પિટલ બહાર લોકોની લાઈનો લાગતી હતી. આ વચ્ચે સુરતમાં સી.આર. પાટીલે 5000 રેમડેસિવિર ઈન્જેક્શનની વ્યવસ્થા કરી આપી હતી. એવામાં મુખ્યમંત્રી રૂપાણીએ શનિવારે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે સી.આર પાટીલે ઈન્જેક્શનની વ્યવસ્થા ક્યાંથી કરી એ વિશે તેમને પૂછો. સરકારમાંથી એકપણ ઈન્જેક્શન અમે આપ્યું નથી. તેમણે કહ્યું, ગુવાહાટીથી જે આવી રહ્યું છે એની સાથે સરકારને કંઈ લાગતુંવળગતું નથી.