SOU Train વાયા વડોદરાથી ભરૂચને 60 KM નો વધુ ફેરો
ભરૂચ-અંકલેશ્વર- કેવડિયા વાયા રાજપીપળા ટ્રેન શરૂ કરાઇ તો જ લાભ
વારાણસી, દાદર અને રીવા ટ્રેનમાં સવાર થઈ ભરૂચની SOU ની સફર કરે તો 150 KM નું અંતર અને 3 કલાકનો સમય
કેવડિયા બસમાં 2.30 કલાકનો લાગતો સમય, બસની લોકલ ટિકિટ ₹47 જ્યારે ટ્રેનના સેકન્ડ ક્લાસના ₹95 થી 110
WatchGujarat PM નરેન્દ્ર મોદીએ 6 રાજ્યોમાંથી રવિવારે સાગમટે SOU કેવડિયા માટે ટ્રેન દોડાવી વિશ્વની વિરાટ પ્રતિમા અને વર્લ્ડ કલાસ ટુરિસ્ટ પ્લેસને ભારતીય રેલવે સાથે જોડી દીધું છે.
પ્રારંભિક શરૂ કરાયેલી 8 ટ્રેનો પેકી મહાનામા, દાદર અને રેવા-કેવડિયા ને ભરૂચ સ્ટોપેજ છે. એટલે કે ભરૂચના લોકો SOU નંબર વન ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટે આ 3 ટ્રેનમાં સફર કરી પહોંચી શકે છે. ભરૂચ થી રેલ મારફતે કેવડિયા SOU જવા માંગતા લોકોને 60 કિલોમીટરનો વધુ ફેરો ફરવા સાથે મુસાફરીમાં 3 કલાકનો સમય થશે. ટ્રેન વડોદરા થઈ કેવડિયા જતી હોય ભરૂચથી વડોદરા 70 KM અને વડોદરા થી કેવડિયા 80 KM મળી કુલ 150 કિલોમીટર અંતર કાપવું પડશે. જે માટે રેલ માર્ગે ભરૂચના પ્રવાસીઓનો 3 થી 3.11 કલાકનો સમય SOU પોહચતા થશે.
જેની સામે રોડ માર્ગે ભરૂચથી કેવડિયા નું અંતર 92 કિલોમીટર જેટલું થાય છે. ST બસ લોકલનું ભાડું 47 રૂપિયા છે જેમાં 2.38 કલાકનો સમય લાગે છે. જ્યારે આ 3 ટ્રેન માં સેકન્ડ ક્લાસનું ભાડું ₹95 થી 110 રૂપિયા છે. જે જોતા ભરૂચના પ્રવાસીઓને કેવડિયા SOU ની સફર રેલ કરતા રોડ માર્ગે સમય અને રૂપિયાની દ્રષ્ટિએ વધુ સુલભ અને સસ્તી પડે. જો રેલવે દ્વારા ભરૂચ, અંકલેશ્વર કેવડિયા રેલવે લાઇન વાયા રાજપીપળા થઈ અપગ્રેડ કરાઈ તો SOUની ટ્રેન મારફતે સફર સસ્તી અને સુવિધા રૂપ થઈ શકે છે.
હાલ અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ લાઇન પર કોરોનાને લઈ ટ્રેન વ્યવહાર બંધ છે. આ લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન નહિ હોવાથી અને ડીઝલ ટ્રેન 6 કોચની ચાલતી હોય 2.30 કલાકનો સમય લઈ લે છે. રેલવે કેવડિયાથી રાજપીપળાને જોડવાની વિચારણા કરી રહ્યું છે. જે માટે નર્મદા નદી પર મોટા પુલનું નિર્માણ કરવુ પડે. સાથે જ અંકલેશ્વર-રાજપીપળા લાઇન નું વિદ્યુતરણ કરી ઝડપ વધારવી પડે તેમ છે.
અંકલેશ્વર-રાજપીપળા 63 KM બ્રોડગેજ પાછળ 115 કરોડનો ખર્ચ પણ ધીમી ગતિને લઈ પેસેન્જરો મળતા નથી
કોરોના લોકડાઉનથી ટ્રેન સેવા બંધ છે, પેસેન્જર મળતા નહિ હોવાથી રેલવે ને પણ ખોટ ખાઈ આ 6 કોચની ટ્રેન ચલાવવી પડતી હતી અંકલેશ્વર-રાજપીપળા 111 વર્ષ જૂની રજવાડા સમયની નેરોગેજ ટ્રેન 20 મે 2009 નાં રોજ રાજપીપળાથી તેની અંતિમ સફર ખેડી કાયમ માટે ઐતિહાસિક સંભારણું બની ગઇ હતી. વર્ષ 2012 માં રૂપિયા 115 કરોડનો અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજનો ભરૂચ-દહેજ રેલવે પ્રોજેક્ટ સાથે આરંભ કરાયો હતો.
પ્રારંભિક તબક્કામાં ટ્રેન 40 થી 60 કિ.મી.ની ઝડપે દોડતી હતી. ત્યારબાદ સ્થિતિનું મૂલ્યાંકન કરીને ટ્રેનની ઝડપ 70 કિ.મી. પ્રતિ કલાક સુધી કરવામાં આવી હતી. જોકે 9 સ્ટેશન અને માનવરહિત ફાટકોને લઈ ટ્રેન 2.30 કલાકનો સમય લેતી હોય આ ટ્રેનને ઝડપ, મુસાફરીમાં વધુ સમય અને ટ્રેનના ટાઇમિંગ ને લઈ યાત્રીઓ મળતા ન હતા. હાલ કોરોના લોકડાઉનથી ટ્રેન સેવા બંધ છે.
More #Peopel #Bharuch #SOU #via road #cheaper #than #rail #Vadodara #Kevadia #Watchgujarat
SOU Train વાયા વડોદરાથી ભરૂચને 60 KM નો વધુ ફેરો
ભરૂચ-અંકલેશ્વર- કેવડિયા વાયા રાજપીપળા ટ્રેન શરૂ કરાઇ તો જ લાભ
વારાણસી, દાદર અને રીવા ટ્રેનમાં સવાર થઈ ભરૂચની SOU ની સફર કરે તો 150 KM નું અંતર અને 3 કલાકનો સમય
કેવડિયા બસમાં 2.30 કલાકનો લાગતો સમય, બસની લોકલ ટિકિટ ₹47 જ્યારે ટ્રેનના સેકન્ડ ક્લાસના ₹95 થી 110
WatchGujarat PM નરેન્દ્ર મોદીએ 6 રાજ્યોમાંથી રવિવારે સાગમટે SOU કેવડિયા માટે ટ્રેન દોડાવી વિશ્વની વિરાટ પ્રતિમા અને વર્લ્ડ કલાસ ટુરિસ્ટ પ્લેસને ભારતીય રેલવે સાથે જોડી દીધું છે.
પ્રારંભિક શરૂ કરાયેલી 8 ટ્રેનો પેકી મહાનામા, દાદર અને રેવા-કેવડિયા ને ભરૂચ સ્ટોપેજ છે. એટલે કે ભરૂચના લોકો SOU નંબર વન ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન માટે આ 3 ટ્રેનમાં સફર કરી પહોંચી શકે છે. ભરૂચ થી રેલ મારફતે કેવડિયા SOU જવા માંગતા લોકોને 60 કિલોમીટરનો વધુ ફેરો ફરવા સાથે મુસાફરીમાં 3 કલાકનો સમય થશે. ટ્રેન વડોદરા થઈ કેવડિયા જતી હોય ભરૂચથી વડોદરા 70 KM અને વડોદરા થી કેવડિયા 80 KM મળી કુલ 150 કિલોમીટર અંતર કાપવું પડશે. જે માટે રેલ માર્ગે ભરૂચના પ્રવાસીઓનો 3 થી 3.11 કલાકનો સમય SOU પોહચતા થશે.
જેની સામે રોડ માર્ગે ભરૂચથી કેવડિયા નું અંતર 92 કિલોમીટર જેટલું થાય છે. ST બસ લોકલનું ભાડું 47 રૂપિયા છે જેમાં 2.38 કલાકનો સમય લાગે છે. જ્યારે આ 3 ટ્રેન માં સેકન્ડ ક્લાસનું ભાડું ₹95 થી 110 રૂપિયા છે. જે જોતા ભરૂચના પ્રવાસીઓને કેવડિયા SOU ની સફર રેલ કરતા રોડ માર્ગે સમય અને રૂપિયાની દ્રષ્ટિએ વધુ સુલભ અને સસ્તી પડે. જો રેલવે દ્વારા ભરૂચ, અંકલેશ્વર કેવડિયા રેલવે લાઇન વાયા રાજપીપળા થઈ અપગ્રેડ કરાઈ તો SOUની ટ્રેન મારફતે સફર સસ્તી અને સુવિધા રૂપ થઈ શકે છે.
હાલ અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજ લાઇન પર કોરોનાને લઈ ટ્રેન વ્યવહાર બંધ છે. આ લાઈનનું ઇલેક્ટ્રિફિકેશન નહિ હોવાથી અને ડીઝલ ટ્રેન 6 કોચની ચાલતી હોય 2.30 કલાકનો સમય લઈ લે છે. રેલવે કેવડિયાથી રાજપીપળાને જોડવાની વિચારણા કરી રહ્યું છે. જે માટે નર્મદા નદી પર મોટા પુલનું નિર્માણ કરવુ પડે. સાથે જ અંકલેશ્વર-રાજપીપળા લાઇન નું વિદ્યુતરણ કરી ઝડપ વધારવી પડે તેમ છે.
અંકલેશ્વર-રાજપીપળા 63 KM બ્રોડગેજ પાછળ 115 કરોડનો ખર્ચ પણ ધીમી ગતિને લઈ પેસેન્જરો મળતા નથી
કોરોના લોકડાઉનથી ટ્રેન સેવા બંધ છે, પેસેન્જર મળતા નહિ હોવાથી રેલવે ને પણ ખોટ ખાઈ આ 6 કોચની ટ્રેન ચલાવવી પડતી હતી અંકલેશ્વર-રાજપીપળા 111 વર્ષ જૂની રજવાડા સમયની નેરોગેજ ટ્રેન 20 મે 2009 નાં રોજ રાજપીપળાથી તેની અંતિમ સફર ખેડી કાયમ માટે ઐતિહાસિક સંભારણું બની ગઇ હતી. વર્ષ 2012 માં રૂપિયા 115 કરોડનો અંકલેશ્વર-રાજપીપળા બ્રોડગેજનો ભરૂચ-દહેજ રેલવે પ્રોજેક્ટ સાથે આરંભ કરાયો હતો.
પ્રારંભિક તબક્કામાં ટ્રેન 40 થી 60 કિ.મી.ની ઝડપે દોડતી હતી. ત્યારબાદ સ્થિતિનું મૂલ્યાંકન કરીને ટ્રેનની ઝડપ 70 કિ.મી. પ્રતિ કલાક સુધી કરવામાં આવી હતી. જોકે 9 સ્ટેશન અને માનવરહિત ફાટકોને લઈ ટ્રેન 2.30 કલાકનો સમય લેતી હોય આ ટ્રેનને ઝડપ, મુસાફરીમાં વધુ સમય અને ટ્રેનના ટાઇમિંગ ને લઈ યાત્રીઓ મળતા ન હતા. હાલ કોરોના લોકડાઉનથી ટ્રેન સેવા બંધ છે.