સરકારે વેપાર-ઉદ્યોગકારોની એ માગણીને પણ નામંજૂર કરી 15 દિવસ માટે કર્ફ્યૂ યથાવત રાખ્યો
રાજ્ય સરકાર કોઈપણ ચાન્સ લેવા માંગતી ન હોઈ સમય મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરાયો નથી
WatchGujarat. ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ વધુ 15 દિવસ યથાવત રાખવાની મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી છે. 14મી જાન્યુઆરીએ અવધિ પુરી થઈ છે, જેથી આજે નવી જાહેરાત કરવામાં આવી છે. જો કે લોકોમાં સમય મર્યાદામાં ઘટાડો થવાની આશા હતી. પરંતુ સરકારે વેપાર-ઉદ્યોગકારોની એ માગણીને પણ નામંજૂર કરી 15 દિવસ માટે કર્ફ્યૂ યથાવત રાખ્યો છે.
ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રી કરફ્યુ ચાલી રહ્યો છે. અગાઉ 9 વાગ્યાથી શરૂ થયેલા રાત્રી કફર્યૂનો સમય બાદમાં 10 વાગ્યાનો કરાયો હતો. ત્યારે સમય 11 કે 12 વાગ્યાનો થાય તેવી આશા લોકોમાં હતી. જો કે રાજ્ય સરકાર કોઈપણ ચાન્સ લેવા માંગતી ન હોઈ સમય મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.
ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુનો અમલ થતો હતો. રાજ્ય સરકાર રાતના 11 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે તેવી છુટછાટ આપે તેવી માંગ કરાઈ હતી. જો કે હાલ પખવાડિયા માટે રાત્રી કરફ્યુ યથાવત રખાયો છે.
સરકારે વેપાર-ઉદ્યોગકારોની એ માગણીને પણ નામંજૂર કરી 15 દિવસ માટે કર્ફ્યૂ યથાવત રાખ્યો
રાજ્ય સરકાર કોઈપણ ચાન્સ લેવા માંગતી ન હોઈ સમય મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરાયો નથી
WatchGujarat. ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રી કરફ્યુ વધુ 15 દિવસ યથાવત રાખવાની મુખ્યમંત્રી રૂપાણીએ જાહેરાત કરી છે. 14મી જાન્યુઆરીએ અવધિ પુરી થઈ છે, જેથી આજે નવી જાહેરાત કરવામાં આવી છે. જો કે લોકોમાં સમય મર્યાદામાં ઘટાડો થવાની આશા હતી. પરંતુ સરકારે વેપાર-ઉદ્યોગકારોની એ માગણીને પણ નામંજૂર કરી 15 દિવસ માટે કર્ફ્યૂ યથાવત રાખ્યો છે.
ગુજરાતના ચાર મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 21 નવેમ્બરથી રાત્રી કરફ્યુ ચાલી રહ્યો છે. અગાઉ 9 વાગ્યાથી શરૂ થયેલા રાત્રી કફર્યૂનો સમય બાદમાં 10 વાગ્યાનો કરાયો હતો. ત્યારે સમય 11 કે 12 વાગ્યાનો થાય તેવી આશા લોકોમાં હતી. જો કે રાજ્ય સરકાર કોઈપણ ચાન્સ લેવા માંગતી ન હોઈ સમય મર્યાદામાં પણ કોઈ ફેરફાર કરાયો નથી.
ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ વધતા અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રી કરફ્યુ લાદવાનો સરકારે નિર્ણય લીધો હતો. રાતના દસ વાગ્યા બાદ રાત્રિ કર્ફ્યુનો અમલ થતો હતો. રાજ્ય સરકાર રાતના 11 વાગ્યા સુધી બજારો ખુલ્લા રહી શકે તેવી છુટછાટ આપે તેવી માંગ કરાઈ હતી. જો કે હાલ પખવાડિયા માટે રાત્રી કરફ્યુ યથાવત રખાયો છે.