ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ નક્કી કરાયો છે. તેની સાથે વહીવટી ચાર્જ અલગથી આપવો પડશે
અમદાવાદ સહિત રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે
WatchGujarat ગુજરાત રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોનાની રસીને લઈને ભાવ નક્કી કર્યા છે. ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ 150 રૂપિયા નક્કી કરાયો છે.સાથે વહીવટી ચાર્જ 100 રૂપિયા આપવો પડશે. આરોગ્ય વિભાગ માન્ય હોસ્પિટલમાં 250 રૂપિયામાં વેક્સિન મુકાશે. નોંધનીય છે કે, પહેલી માર્ચથી ગુજરાતમાં 60 વર્ષથી વધુના લોકોને રસી આપવાની શરૂઆત થવાની છે. ત્યારે સરકારે કોરોનાની રસીના ભાવ જાહેર કર્યા છે.
રાજ્યમાં ડોક્ટર, પોલીસ, હેલ્થ વર્કર, સફાઈકામદાર સહિત અન્ય ફ્રન્ટલાઈન વર્કર્સ અને આરોગ્યો કર્મચારીઓને કોરોનાની રસી આપ્યા બાદ હવે સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદ સહિત રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સને હોસ્પિટલ પ્રશાસનમાં વેક્સીનેશન સેંટરમાં વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્યમાં અલગ અલગ સેંટર પર સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે.
https://twitter.com/Nitinbhai_Patel/status/1365587105557012483?s=20
પ્રથમ તબક્કામાં અંદાજે 50 જેટલા સેંટરો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે મહાનગર પાલિકાઓને સરક્યુલર મોકલ્યા બાદ કેટલા વ્યકિતઓને વેક્સીન આપવી તે અંગે નિર્ણય કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારીઓ અનુસાર જે 50 વર્ષથી ઉપરના અને અન્ય બિમારી ધરાવતા નાગરિકોનો સર્વે હાથ ધરાયો હતો. તે તમામ નાગરિકોને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ડો. જયંતી રવિ એ ઉમેર્યુ કે,મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 104 કોરોના સંક્રમણ તેમજ કોવિડ-19 રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી.
રાજ્ય સરકારશ્ દ્વારા કોવિડ-19 ના રસીકરણ પ્રથમ તબક્કામાં આજ દિન સુધી 4.82 લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ 4.07 લાખ અને 5.41 લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4.14 લાખ થી વધુને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1.64 લાખ બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી 1.23 લાખને બીજો ડોઝ, આપી દેવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે ગુજરાત પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-19ની રસી કોવિશિલ્ડના 15.70 લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના 4.86 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે.
ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ નક્કી કરાયો છે. તેની સાથે વહીવટી ચાર્જ અલગથી આપવો પડશે
અમદાવાદ સહિત રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે
WatchGujarat ગુજરાત રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોનાની રસીને લઈને ભાવ નક્કી કર્યા છે. ખાનગી હોસ્પિટલમાં વેક્સિનનો ચાર્જ 150 રૂપિયા નક્કી કરાયો છે.સાથે વહીવટી ચાર્જ 100 રૂપિયા આપવો પડશે. આરોગ્ય વિભાગ માન્ય હોસ્પિટલમાં 250 રૂપિયામાં વેક્સિન મુકાશે. નોંધનીય છે કે, પહેલી માર્ચથી ગુજરાતમાં 60 વર્ષથી વધુના લોકોને રસી આપવાની શરૂઆત થવાની છે. ત્યારે સરકારે કોરોનાની રસીના ભાવ જાહેર કર્યા છે.
રાજ્યમાં ડોક્ટર, પોલીસ, હેલ્થ વર્કર, સફાઈકામદાર સહિત અન્ય ફ્રન્ટલાઈન વર્કર્સ અને આરોગ્યો કર્મચારીઓને કોરોનાની રસી આપ્યા બાદ હવે સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદ સહિત રાજ્યમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સને હોસ્પિટલ પ્રશાસનમાં વેક્સીનેશન સેંટરમાં વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્યમાં અલગ અલગ સેંટર પર સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવામાં આવશે.
પ્રથમ તબક્કામાં અંદાજે 50 જેટલા સેંટરો પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે મહાનગર પાલિકાઓને સરક્યુલર મોકલ્યા બાદ કેટલા વ્યકિતઓને વેક્સીન આપવી તે અંગે નિર્ણય કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારીઓ અનુસાર જે 50 વર્ષથી ઉપરના અને અન્ય બિમારી ધરાવતા નાગરિકોનો સર્વે હાથ ધરાયો હતો. તે તમામ નાગરિકોને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
ડો. જયંતી રવિ એ ઉમેર્યુ કે,મુખ્યમંત્રી દ્વારા કોર કમીટીના સભ્યો સાથે કોરોના કેસોની જિલ્લા/કોર્પોરેશન વાઇઝ સમીક્ષા કરવામાં આવી આ બેઠકમાં કોવિડ-19 રસીકરણ, ફેઝ-2 માટેની તૈયારીઓની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્ય કક્ષાએ 104 કોરોના સંક્રમણ તેમજ કોવિડ-19 રસીકરણ કોલ સેન્ટર તથા તમામ જિલ્લા/કોર્પોરેશનમાં રસીકરણ માટે કોલ સેન્ટર દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને કામગીરી વધુ સઘન કરવા પણ સૂચનાઓ આપી હતી.
રાજ્ય સરકારશ્ દ્વારા કોવિડ-19 ના રસીકરણ પ્રથમ તબક્કામાં આજ દિન સુધી 4.82 લાખ હેલ્થ કેર વર્કર પૈકી કુલ 4.07 લાખ અને 5.41 લાખથી ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4.14 લાખ થી વધુને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1.64 લાખ બીજા ડોઝને પાત્ર હેલ્થ કેર વર્કર પૈકી 1.23 લાખને બીજો ડોઝ, આપી દેવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ મુજબ રસી આપવા બાબતે ગુજરાત સમગ્ર દેશમાં પ્રતિ 10 લાખ વસ્તીની સામે ગુજરાત પ્રથમ ક્રમે છે. કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પૂણે દ્વારા કોવિડ-19ની રસી કોવિશિલ્ડના 15.70 લાખ જેટલા ડોઝ, જ્યારે ભારત બાયોટેકની કોવેક્સિન રસીના 4.86 લાખ જેટલા ડોઝ પ્રાપ્ત થયા છે.