કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિના નેતાઓ અને કાર્યકરો આંબેડકરની પ્રતિમા સામે ધરણા પર બેઠા હતા.
ખેડુતની રોજગારી છીનવવાનો પ્રયાસ કરી રહ્યું છે મોદી સરકાર: પરેશ ધાનાણી
સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાય ગયું
ગાંધીનગર. કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ અને કાર્યકરો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ધરણા પર બેઠા હતા. જો કે, રાજભવન સુધી કૂચ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
ખેડુતોની રોજગારી છીનવી રહી છે મોદી સરકાર: પરેશ ધાનાણી
આ તકે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને મોદી સરકાર ખેડૂતોની રોજગારી છીનવાનો પ્રયાસ કરે છે તેવા આક્ષેપો કર્યા હતા. સાથે જ ભાજપ ખેડૂત વિરોધી પાર્ટી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિમાં વિવિધ પ્રશ્નોને લઇને કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને પણ આવેદનપત્ર સુપરત કરવાના હતા. પરંતુ તે પહેલા જ તેમની કોરોનાકાળમાં મોટી સંખ્યામાં ભેગા થવા અને 144ની કલમનો ભંગ કરવા બદલ અટકાયત કરી લેવામાં આવી છે.
144 કલમનો ભંગ કરવા બદલ કરવામાં આવી અટકાયતો
તો બીજી બાજુ ગાંધીનગર પોલીસના ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું હતું કે, પ્રતિબંધિત વિસ્તાર હોવાથી કૂચ કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોની જિલ્લા સ્તરે પોલીસ દ્વારા કોરોનાકાળમાં મોટી સંખ્યામાં ભેગા થવા અને 144ની કલમનો ભંગ કરવા બદલ અટકાયત કરી લેવામાં આવી છે.
ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયું
કોંગ્રેસનાં વિરોધ આંદોલન વચ્ચે ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં પ્રવેશના રસ્તાઓ ઉપર પણ ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત વિરોધ પ્રદર્શનને પગલે ‘ચ’ રોડનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.
કૃષિ બિલના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિના નેતાઓ અને કાર્યકરો આંબેડકરની પ્રતિમા સામે ધરણા પર બેઠા હતા.
ખેડુતની રોજગારી છીનવવાનો પ્રયાસ કરી રહ્યું છે મોદી સરકાર: પરેશ ધાનાણી
સમગ્ર ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાય ગયું
ગાંધીનગર. કેન્દ્રીય કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ અને કાર્યકરો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સામે ધરણા પર બેઠા હતા. જો કે, રાજભવન સુધી કૂચ કરે તે પહેલાં જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી છે.
ખેડુતોની રોજગારી છીનવી રહી છે મોદી સરકાર: પરેશ ધાનાણીઆ તકે પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું હતું અને મોદી સરકાર ખેડૂતોની રોજગારી છીનવાનો પ્રયાસ કરે છે તેવા આક્ષેપો કર્યા હતા. સાથે જ ભાજપ ખેડૂત વિરોધી પાર્ટી હોવાના પણ આક્ષેપ કર્યા હતા. મહત્વનું છે કે, ગુજરાતમાં પ્રવર્તમાન સ્થિતિમાં વિવિધ પ્રશ્નોને લઇને કોંગ્રેસના નેતાઓ રાજ્યપાલને પણ આવેદનપત્ર સુપરત કરવાના હતા. પરંતુ તે પહેલા જ તેમની કોરોનાકાળમાં મોટી સંખ્યામાં ભેગા થવા અને 144ની કલમનો ભંગ કરવા બદલ અટકાયત કરી લેવામાં આવી છે.
144 કલમનો ભંગ કરવા બદલ કરવામાં આવી અટકાયતોતો બીજી બાજુ ગાંધીનગર પોલીસના ડીવાયએસપી એમ.કે રાણાએ જણાવ્યું હતું કે, પ્રતિબંધિત વિસ્તાર હોવાથી કૂચ કરે તે પહેલા કોંગ્રેસના કાર્યકરોની જિલ્લા સ્તરે પોલીસ દ્વારા કોરોનાકાળમાં મોટી સંખ્યામાં ભેગા થવા અને 144ની કલમનો ભંગ કરવા બદલ અટકાયત કરી લેવામાં આવી છે.
ગાંધીનગર પોલીસ છાવણીમાં ફેરવાયુંકોંગ્રેસનાં વિરોધ આંદોલન વચ્ચે ગાંધીનગરને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં પ્રવેશના રસ્તાઓ ઉપર પણ ચેકિંગ હાથ ધરાયું હતું. આ ઉપરાંત વિરોધ પ્રદર્શનને પગલે ‘ચ’ રોડનો ટ્રાફિક પણ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.