ત્રણ વર્ષમાં ગુટકા વેચનાર 10 હજાર પેઢીઓ પાસેથી રૂ. 11 લાખ દંડ વસૂલાયો – નીતિનભાઈ પટેલ
ગાંધીનગર. રાજ્ય સરકારે ગુટકાના વેચાણને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ, પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નીતિનભાઇ પટેલે વધુમાં ઉમેર્યુ છે કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ 2006 પ્રમાણેના નિયમો અને રેગ્યુલેશન 2011 હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે. જેને પગલે કોઇ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.
નીતિનભાઇ પટેલેએ ઉમેર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઇ રહેલ છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. 11 લાખ જેટલો દંડ વસુલાત કરવામાં આવેલ છે
ગાંધીનગર. રાજ્ય સરકારે ગુટકાના વેચાણને લઇને મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ, પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો ગુજરાત રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
નીતિનભાઇ પટેલે વધુમાં ઉમેર્યુ છે કે, ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ 2006 પ્રમાણેના નિયમો અને રેગ્યુલેશન 2011 હેઠળ આ પ્રતિબંધ મુકાયો છે. જેને પગલે કોઇ પણ ખાદ્યચીજમાં તમાકુ કે નીકોટીન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકું કે નીકોટીનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકશાન થતું હોય છે. જેથી નાગરિકો તથા ભાવિ પેઢીના સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ આ નિર્ણય કરાયો છે.
નીતિનભાઇ પટેલેએ ઉમેર્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શૈક્ષણિક સંસ્થાની 100 વારની ત્રિજ્યામાં સિગારેટ તથા તમાકુ કે નીકોટીનની હાજરી હોય તેવા પદાર્થોનું વેચાણ કરવા માટે પ્રતિબંધનો અમલ તંત્ર દ્વારા સખત રીતે કરાઇ રહેલ છે. આ બાબતે છેલ્લા ત્રણ વર્ષમાં આરોગ્ય વિભાગના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આશરે 10 હજાર પેઢીઓની તપાસ કરી આશરે રૂ. 11 લાખ જેટલો દંડ વસુલાત કરવામાં આવેલ છે