WatchGujarat. ગાંધીનગર જિલ્લામાં આવેલા બારડોલી કાઠી ગામથી ઘમીજ ગામ તરફ જવાા રસ્તે આવતી નર્મદા કેનાલમાં અર્ધ ડુબેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. મામલે પોલીસ તપાસમાં હકીકત બહાર આવી કે, ખુદ નણંદે ઘરઘાટી સાથે મળીને ભાભીની પ્લાનીંગ સાથે હત્યા કરાવી હતી. સમગ્ર મામલે ગાંઘીનગર LCB એ તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, નિમિશાબેન દિનેશભાઇ રાઠોડ (રહે. અંબિકાનગર ચાલી, જે.ડી હાઇસ્કુલ રોડ -અમદાવાદ) અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સ્વીપર તરીકે કામ કરતા હતા. તેની સગી નણંદ અંજનાબેન ઉર્ફે નયના પુરુષોત્તમ રાઠોડ સાથે અવાર - નવાર ગૃહ કલેશ થતા હતા. જેથી નયનાએ પોતાના ઘરઘાટી રાજેશકુમાર ઉર્ફે રાજુ મનોહર ડોડીયા (રહે. 12/286 ત્રીજો માળ, વિનોબાભાવે નગર,રખીયાલ)ને પૈસાની સોપારી આપી ભાભી નિમીષાનુ ખુન કરાવવાનો પ્લાન કર્યો હતો. #ભાભી
પોલીસ દ્વારા પુછપરછ દરમિયાન નયના ભાંગી પડી હતી. અને તેણે જણાવ્યું કે, તેના ભાભી નિમિષા અને ભાઇ દિનેશના લગ્ન થયા ત્યારથી તેને નાપસંદ કરતી હતી. નિમિષાબેન પોતાના ભાઇના પરિવારમાં એકલા જ નોકરી કરી કમાતા હોય તથા પોતાના પીયર પક્ષની સંપત્તિ તથા મકાનમાં ભાગ હિસ્સો માંગતા હતા. તથા નિમિષા અને દિનેશની પુત્રીની સારસંભાળ અને સ્માન કરાવવાનું કામ નયનાબેન કરાવતા હતા. સાતેક વર્ષ પહેલા 9 માસની બાળકીનું અવસાન સ્નાન કરાવતી વેળાએ બેભાન થયા બાદ થયું હતું. જેને લઇને નિમિષા બેન અનેક વખત બાળકીના મોત અંગે કસુરવાર ગણીને ધાક ધમકી આપતા હતા. એટલું જ નહિ નયનાબેનની પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા હતા. અને તે મામલે બંન્ને વચ્ચે અનેક વખત ઝગડા થયા હતા. #ભાભી
બિમારીનો ફાયદો ઉઠાવી મર્ડર પ્લાન કરાયું
નિમિષાબેનને બ્લડ પ્રેશરની બિમારી હતી. તેથી હાઇ બ્લડ પ્રેશરની ગોળીઓ મંગાવીને તેને ઠંડાપીણામાં નાંખીને તેમને પીવડાવવાનો પ્લાન ઘડ્યો હતો. પીણું પીને નિમિષા બેભાન થઇ જશે. અને ત્યાર બાદ તેને કેનાલમાં ધક્કો મારી દેવાનો હતો. આમ, કરવાથી નિમિષાનું મોત પણ થઇ જાય અને કોઇને મામલાની જાણ પણ ન થાય તેવો મર્ડરનો પ્લાન ઘડાયો હતો.
ઘરઘાટીને મર્ડર કરવા માટે રૂ. 50 હજારની સોપારી અપાઇ
પ્રીપ્લાન મર્ડર પ્રમાણે ઘરઘાટી નોકરે નિમિષા બેનને કેનાલ કિનારે લઇ જઇને પીણું પીવડાવ્યું હતું. પીણું પીધા બાદ નિમિષા બેનને ચક્કર આવવા લાગ્યા હતા પરંતુ તેઓ બેભાન થયા ન હતા. આખરે રાજુએ નજીકમાં પડેતા પથ્થર વડે નિમિષાબેનના માથામાં મારીને તેમની મોતને ઘાટ ઉતાર્યા હતા. અને તેના મૃતદેહને ઢસડીને કેનાલમાં ફેકી દીધો હતો. નિમિષા બેનને પર્સ અને મોબાઇલને રસ્તામાં આવતી કોઇ જગ્યાએ ફેકીં દીધા હતા. કામ કરવા માટે ઘરઘાટીને રૂ. 50 હજારની સોપારી આપવામાં આવી હતી.
હત્યા બાદ આરોપીએ શહેર છોડ્યું
નિમિષા બેનની હત્યામાં નયના અને રાજુની સંડોવણી હતી. બંન્નેએ નિમિષાની હત્યાને અંજામ આપીને શહેર છોડી દીધું હતું. રાજુ પોલીસના ડરથી અમદાવાદ પોતાના ઘરેથી નિકળી ગયો હતો. અને નયનાએ બે દિવસ સુધી પોતાનું ઘર છોડી દીઘું હતું. પરંતુ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડી કેસની ગુંચ ઉકેલી નાંખી હતી.
More #ભાભી #Preplanned #murder #gandhinagar #Gujaratinews #WatchGujarat
WatchGujarat. ગાંધીનગર જિલ્લામાં આવેલા બારડોલી કાઠી ગામથી ઘમીજ ગામ તરફ જવાા રસ્તે આવતી નર્મદા કેનાલમાં અર્ધ ડુબેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી. મામલે પોલીસ તપાસમાં હકીકત બહાર આવી કે, ખુદ નણંદે ઘરઘાટી સાથે મળીને ભાભીની પ્લાનીંગ સાથે હત્યા કરાવી હતી. સમગ્ર મામલે ગાંઘીનગર LCB એ તપાસ શરૂ કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, નિમિશાબેન દિનેશભાઇ રાઠોડ (રહે. અંબિકાનગર ચાલી, જે.ડી હાઇસ્કુલ રોડ -અમદાવાદ) અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સ્વીપર તરીકે કામ કરતા હતા. તેની સગી નણંદ અંજનાબેન ઉર્ફે નયના પુરુષોત્તમ રાઠોડ સાથે અવાર - નવાર ગૃહ કલેશ થતા હતા. જેથી નયનાએ પોતાના ઘરઘાટી રાજેશકુમાર ઉર્ફે રાજુ મનોહર ડોડીયા (રહે. 12/286 ત્રીજો માળ, વિનોબાભાવે નગર,રખીયાલ)ને પૈસાની સોપારી આપી ભાભી નિમીષાનુ ખુન કરાવવાનો પ્લાન કર્યો હતો. #ભાભી
પોલીસ દ્વારા પુછપરછ દરમિયાન નયના ભાંગી પડી હતી. અને તેણે જણાવ્યું કે, તેના ભાભી નિમિષા અને ભાઇ દિનેશના લગ્ન થયા ત્યારથી તેને નાપસંદ કરતી હતી. નિમિષાબેન પોતાના ભાઇના પરિવારમાં એકલા જ નોકરી કરી કમાતા હોય તથા પોતાના પીયર પક્ષની સંપત્તિ તથા મકાનમાં ભાગ હિસ્સો માંગતા હતા. તથા નિમિષા અને દિનેશની પુત્રીની સારસંભાળ અને સ્માન કરાવવાનું કામ નયનાબેન કરાવતા હતા. સાતેક વર્ષ પહેલા 9 માસની બાળકીનું અવસાન સ્નાન કરાવતી વેળાએ બેભાન થયા બાદ થયું હતું. જેને લઇને નિમિષા બેન અનેક વખત બાળકીના મોત અંગે કસુરવાર ગણીને ધાક ધમકી આપતા હતા. એટલું જ નહિ નયનાબેનની પુત્રીને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા હતા. અને તે મામલે બંન્ને વચ્ચે અનેક વખત ઝગડા થયા હતા. #ભાભી
બિમારીનો ફાયદો ઉઠાવી મર્ડર પ્લાન કરાયું
નિમિષાબેનને બ્લડ પ્રેશરની બિમારી હતી. તેથી હાઇ બ્લડ પ્રેશરની ગોળીઓ મંગાવીને તેને ઠંડાપીણામાં નાંખીને તેમને પીવડાવવાનો પ્લાન ઘડ્યો હતો. પીણું પીને નિમિષા બેભાન થઇ જશે. અને ત્યાર બાદ તેને કેનાલમાં ધક્કો મારી દેવાનો હતો. આમ, કરવાથી નિમિષાનું મોત પણ થઇ જાય અને કોઇને મામલાની જાણ પણ ન થાય તેવો મર્ડરનો પ્લાન ઘડાયો હતો.
ઘરઘાટીને મર્ડર કરવા માટે રૂ. 50 હજારની સોપારી અપાઇ
પ્રીપ્લાન મર્ડર પ્રમાણે ઘરઘાટી નોકરે નિમિષા બેનને કેનાલ કિનારે લઇ જઇને પીણું પીવડાવ્યું હતું. પીણું પીધા બાદ નિમિષા બેનને ચક્કર આવવા લાગ્યા હતા પરંતુ તેઓ બેભાન થયા ન હતા. આખરે રાજુએ નજીકમાં પડેતા પથ્થર વડે નિમિષાબેનના માથામાં મારીને તેમની મોતને ઘાટ ઉતાર્યા હતા. અને તેના મૃતદેહને ઢસડીને કેનાલમાં ફેકી દીધો હતો. નિમિષા બેનને પર્સ અને મોબાઇલને રસ્તામાં આવતી કોઇ જગ્યાએ ફેકીં દીધા હતા. કામ કરવા માટે ઘરઘાટીને રૂ. 50 હજારની સોપારી આપવામાં આવી હતી.
હત્યા બાદ આરોપીએ શહેર છોડ્યું
નિમિષા બેનની હત્યામાં નયના અને રાજુની સંડોવણી હતી. બંન્નેએ નિમિષાની હત્યાને અંજામ આપીને શહેર છોડી દીધું હતું. રાજુ પોલીસના ડરથી અમદાવાદ પોતાના ઘરેથી નિકળી ગયો હતો. અને નયનાએ બે દિવસ સુધી પોતાનું ઘર છોડી દીઘું હતું. પરંતુ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપીઓને ઝડપી પાડી કેસની ગુંચ ઉકેલી નાંખી હતી.
More #ભાભી #Preplanned #murder #gandhinagar #Gujaratinews #WatchGujarat