ગોધરા ભાજપના ધારાસભ્ય સી.કે રાઉલજી અને તેમના પુત્ર દ્વારા વિસ્થાપિતોની જમીન પચાવી પાડવાનો આક્ષેપ કરાયો છે.
સિંચાઇ યોજના હેઠળ વિસ્થાપિતોને મળેલી જમીન છેતરપીંડી કરી દસ્તાવેજો બનાવી લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ
WatchGujarat. ગોધરા ભાજપના ધારાસભ્ય સી.કે, રાઉલજી અને તેમના પુત્ર માલવદીપસિંહ તેમજ અન્ય વગદારો સામે ચેતરપીંડી કરી જમીન પચાવી પાડવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મૂળ દાહોદ જિલ્લાના પતંગડી ગામના વિસ્થાપીતોને 40 વર્ષ બાદ હાલમાં જ ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં જમીનની સનદો આપવામાં આવી હતી. જે જમીન ગોધરા તાલુકાના છબનપુર ગામ ખાતે આવેલી છે. જેના રેવન્યુ દસ્તાવેજ છેતરપીંડી કરી બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ પતંગડી ગામના વિસ્થાપિતો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેમણે આ મામલે રજૂઆતમાં જણાવ્યું છે કે ગોધરા તાલુકાના છબનપુર ખાતે જમીનની સનદો અપાવાની છે તેમ કહી સબ રજીસ્ટાર કચેરી જે પૂછે તેનો જવાબ હા માં આપવાનું જણાવી ધારાસભ્ય તેમના પુત્ર અને અન્ય લોકોએ છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવ્યો હોવાનો લેખિત રજુઆતમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જમીન વેચાણ માટે કોઈ સરકારી કચેરીમાં ગયા વગર ઘરે બેઠા જ અભણ વિસ્થાપીતોની જમીનના વેચાણ દસ્તાવેજ થયા હોવાનું બહાર આવ્યું છે. વિસ્થાપીતોના ઘરે આવી જે પૂછે તેનો જવાબ હા આપવો તેવું કહેતો વિડીયો પણ વિસ્થાપિતો દ્વારા મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે વિસ્થાપીતો દ્વારા રજુઆત કરવામાં આવતા પોલીસ દ્વારા વિસ્થાપીતો અને તેમના કુટુંબીજનોને હેરાન કરી ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ વિસ્થાપીતો અને તેમના પરિજનોનો આક્ષેપ કરી રહ્યા છે.
સાથે ધારાસભ્ય અને તેમના મળતીયાઓના તાબે ન થનાર અભેસિંહ ચૌહાણ નામનો વિસ્થાપીત છેલ્લા 5 ઉપરાંતના દિવસથી ગુમ થયો હોવાનું પરીવારજનો જણાવી રહ્યા છે. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. વિસ્થાપીત અભેસિંહ કેટલાક દિવસથી ગુમ થતા પરીવારજનો ચિંતિત બન્યા છે, તો બીજીબાજુ ગુમ થયેલા અભેસિંહ ચૌહાણને પોલીસ મથકે હાજર કરવા માટે પોલીસ તેના પરિજનોને ધાકધમકી આપતી હોવાનો પણ આક્ષેપ પરીવારજનોએ મીડિયા સમક્ષ કર્યો છે.
જોકે આ મામલે ધારાસભ્યના પુત્ર જણાવે છે કે, અમે કોઈ છેતરપીંડી કરેલ નથી તેઓના તમામ આક્ષેપો ખોટા છે જરૂર પડશે તો અમો જેતે ડીપાર્ટમેન્ટ ને જરૂરી પુરાવા રજુ કરીશું,
આમ ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત અન્ય વગદારો સામે જમીન પચાવી પાડી હોવા ઉપરાંત છેતરપીંડીના આક્ષેપ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
- ગોધરા ભાજપના ધારાસભ્ય સી.કે રાઉલજી અને તેમના પુત્ર દ્વારા વિસ્થાપિતોની જમીન પચાવી પાડવાનો આક્ષેપ કરાયો છે.
- સિંચાઇ યોજના હેઠળ વિસ્થાપિતોને મળેલી જમીન છેતરપીંડી કરી દસ્તાવેજો બનાવી લેવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ
WatchGujarat. ગોધરા ભાજપના ધારાસભ્ય સી.કે, રાઉલજી અને તેમના પુત્ર માલવદીપસિંહ તેમજ અન્ય વગદારો સામે ચેતરપીંડી કરી જમીન પચાવી પાડવાના આક્ષેપ સાથે જિલ્લા કલેકટર સહિત મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મૂળ દાહોદ જિલ્લાના પતંગડી ગામના વિસ્થાપીતોને 40 વર્ષ બાદ હાલમાં જ ડૂબાણમાં ગયેલી જમીનના બદલામાં જમીનની સનદો આપવામાં આવી હતી. જે જમીન ગોધરા તાલુકાના છબનપુર ગામ ખાતે આવેલી છે. જેના રેવન્યુ દસ્તાવેજ છેતરપીંડી કરી બનાવવામાં આવ્યા હોવાના આક્ષેપ પતંગડી ગામના વિસ્થાપિતો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. જેમણે આ મામલે રજૂઆતમાં જણાવ્યું છે કે ગોધરા તાલુકાના છબનપુર ખાતે જમીનની સનદો અપાવાની છે તેમ કહી સબ રજીસ્ટાર કચેરી જે પૂછે તેનો જવાબ હા માં આપવાનું જણાવી ધારાસભ્ય તેમના પુત્ર અને અન્ય લોકોએ છેતરપિંડીથી વેચાણ દસ્તાવેજ રજીસ્ટર્ડ કરાવ્યો હોવાનો લેખિત રજુઆતમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત જમીન વેચાણ માટે કોઈ સરકારી કચેરીમાં ગયા વગર ઘરે બેઠા જ અભણ વિસ્થાપીતોની જમીનના વેચાણ દસ્તાવેજ થયા હોવાનું બહાર આવ્યું છે. વિસ્થાપીતોના ઘરે આવી જે પૂછે તેનો જવાબ હા આપવો તેવું કહેતો વિડીયો પણ વિસ્થાપિતો દ્વારા મીડિયા સમક્ષ રજુ કરવામાં આવ્યો છે. સમગ્ર બાબતે વિસ્થાપીતો દ્વારા રજુઆત કરવામાં આવતા પોલીસ દ્વારા વિસ્થાપીતો અને તેમના કુટુંબીજનોને હેરાન કરી ધાકધમકી આપવામાં આવતી હોવાનો પણ વિસ્થાપીતો અને તેમના પરિજનોનો આક્ષેપ કરી રહ્યા છે.
સાથે ધારાસભ્ય અને તેમના મળતીયાઓના તાબે ન થનાર અભેસિંહ ચૌહાણ નામનો વિસ્થાપીત છેલ્લા 5 ઉપરાંતના દિવસથી ગુમ થયો હોવાનું પરીવારજનો જણાવી રહ્યા છે. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી છે. વિસ્થાપીત અભેસિંહ કેટલાક દિવસથી ગુમ થતા પરીવારજનો ચિંતિત બન્યા છે, તો બીજીબાજુ ગુમ થયેલા અભેસિંહ ચૌહાણને પોલીસ મથકે હાજર કરવા માટે પોલીસ તેના પરિજનોને ધાકધમકી આપતી હોવાનો પણ આક્ષેપ પરીવારજનોએ મીડિયા સમક્ષ કર્યો છે.
જોકે આ મામલે ધારાસભ્યના પુત્ર જણાવે છે કે, અમે કોઈ છેતરપીંડી કરેલ નથી તેઓના તમામ આક્ષેપો ખોટા છે જરૂર પડશે તો અમો જેતે ડીપાર્ટમેન્ટ ને જરૂરી પુરાવા રજુ કરીશું,
આમ ગોધરાના ધારાસભ્ય અને તેમના પુત્ર સહીત અન્ય વગદારો સામે જમીન પચાવી પાડી હોવા ઉપરાંત છેતરપીંડીના આક્ષેપ થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.