0 એક્ટિવ કેસ સાથે કોરોના મુક્તિની આરે ડગ માંડી રહેલો જિલ્લો
સંભવત ત્રીજી લહેરની તૈયારી, 1000 બેડની સુવિધા, 700 જમ્બો ઓક્સિજન સિલિન્ડર, 4000 લીટરની ક્ષમતા સાથેની 12 ઓક્સિજન ડ્યુરા ટેન્કની સાથે 8 જેટલા ઓકસિજન પ્લાન્ટ ઉપલબ્ધ
કોરોનાની તપાસ અંગે 68996 RTPCR, 569 ટ્રુ નેટ અને 153096 એન્ટીજન મળી કુલ 22266 નમૂનાનું કરાયેલું પરિક્ષણ
WatchGujarat. આદિવાસી નર્મદા જિલ્લામાં કોરોનાની ઘાતક બીજી લહેરનો અંત આવ્યો હોય તેમ છેલ્લા 11 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ એક્ટિવ કેસની સંખ્યા 0 થઈ ગઈ છે. આજ સ્થિતિ જળવાઈ રહેવાના પ્રયત્નો સાથે તંત્ર સંભવત ત્રીજી લહેર માટે સજ્જ બન્યું છે.
ગત 26 જૂનથી ગઇકાલ 6 જુલાઇ સુધીના 11 દિવસના આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલ ન હોવાથી કોરોનાના સંક્રમણ ઉપર અંકુશ મેળવવાની સાથોસાથ સંપૂર્ણ કોરોના મુક્તિની આરે નર્મદા જિલ્લો ડગ માંડી રહ્યો છે. આ સુખદ સ્થિતિ કાયમી બને તે માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહે લોકોને માસ્ક અવશ્ય પહેરવા, સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતની તમામ તકેદારીઓ અચૂક પાળવા અને સહયોગ આપવ અનુરોધ કર્યો છે.
નર્મદા જિલ્લામાં કોરોનાની બીજી લહેરની શરૂઆત બાદ એપ્રિલના પ્રારંભમાં ગંભીર સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે કોરોનાના ગંભીર કેસોની સંખ્યાને અનુલક્ષીને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઓક્સિજનના પૂરતા પુરવઠાની ઉપલબ્ધિ, માનવ સ્ત્રોત,(હ્યુમન રિસોર્સ), બેડની સંખ્યામાં વધારો, મેડીસીન, રેમડેસીવર ઇન્જેક્શન, એક્ટીવ સર્વેલન્સ, લેબોરેટરી તપાસ, લોકજાગૃતિ અભિયાન, હોમ-ટુ-હોમ સર્વે, કામગીરીનું મૂલ્યાંકન તેમજ સઘન અને સતત મોનીટરીંગની કામગીરીની ફલશ્રુતિરૂપે કોરોનાને અંકુશમાં રાખવાની દિશાના પ્રયાસોમાં નર્મદા જિલ્લાએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
હાલમાં જિલ્લાકક્ષાએ કોવિડ કેર સેન્ટરની 200 બેડ તથા ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ લેવલે 800 બેડ સહિત કુલ 1000 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 2 સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને 3 સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા રાજપીપલા શહેરમાં એક અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત 27 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કોરોનાના દરદીઓના નિદાન અને સારવાર અંગે સતત કાર્યરત હતા. જિલ્લામાં આજદિન સુધી કોરોનાની તપાસ અંગે RTPCR 68996, ટ્રુ નેટ 569 અને એન્ટીજન (રેપીડ) 153096 સહિત કુલ 222661 જેટલા નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે.
તેવી જ રીતે સમગ્ર જિલ્લાભરમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધિ માટે 700 જેટલા જમ્બો સિલિન્ડરની ખરીદી, 1000 લીટર ઓક્સિજનની 2 ડ્યુરા ટેન્ક, 200 લીટરની ઓક્સિજનની 10 ડ્યુરા ટેન્ક તેમજ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે 4 ઓક્સિજન પ્લાન્ટ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે 2 ઓક્સિજન પ્લાન્ટ અને CHC ખાતે 2ઓક્સિજન પ્લાન્ટ સહિત જિલ્લાભરમાં 8 જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી ઓક્સિજનના જરૂરી પુરવઠાની સુવિધા દરદીઓ માટે ઉપલબ્ધ કરાઇ છે.
તદ્ઉપરાંત જિલ્લાકક્ષાએ ઉભા કરાયેલા રેનબસેરામાં દુર-સુદુરથી આવનાર જે તે દરદીના સગા-સંબંધીઓને નિ:શુલ્ક રહેવાની સુવિધા પણ પુરી પડાઇ હતી. જ્યારે જૈન સમાજ તરફથી જે તે ધર્મની ધાર્મિક વિધિ મુજબ દરદીના મૃતદેહના અંતિમ સંસ્કારની પણ નિ:શુલ્ક સેવાઓ પુરી પાડવામાં આવી હતી.
0 એક્ટિવ કેસ સાથે કોરોના મુક્તિની આરે ડગ માંડી રહેલો જિલ્લો
કોરોનાની તપાસ અંગે 68996 RTPCR, 569 ટ્રુ નેટ અને 153096 એન્ટીજન મળી કુલ 22266 નમૂનાનું કરાયેલું પરિક્ષણ
WatchGujarat. આદિવાસી નર્મદા જિલ્લામાં કોરોનાની ઘાતક બીજી લહેરનો અંત આવ્યો હોય તેમ છેલ્લા 11 દિવસમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ એક્ટિવ કેસની સંખ્યા 0 થઈ ગઈ છે. આજ સ્થિતિ જળવાઈ રહેવાના પ્રયત્નો સાથે તંત્ર સંભવત ત્રીજી લહેર માટે સજ્જ બન્યું છે.
ગત 26 જૂનથી ગઇકાલ 6 જુલાઇ સુધીના 11 દિવસના આ સમયગાળા દરમિયાન જિલ્લામાં કોરોનાનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલ ન હોવાથી કોરોનાના સંક્રમણ ઉપર અંકુશ મેળવવાની સાથોસાથ સંપૂર્ણ કોરોના મુક્તિની આરે નર્મદા જિલ્લો ડગ માંડી રહ્યો છે. આ સુખદ સ્થિતિ કાયમી બને તે માટે જિલ્લા કલેકટર ડી.એ.શાહે લોકોને માસ્ક અવશ્ય પહેરવા, સોશીયલ ડિસ્ટન્સીંગ જાળવવા સહિતની તમામ તકેદારીઓ અચૂક પાળવા અને સહયોગ આપવ અનુરોધ કર્યો છે.
નર્મદા જિલ્લામાં કોરોનાની બીજી લહેરની શરૂઆત બાદ એપ્રિલના પ્રારંભમાં ગંભીર સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી હતી. ત્યારે કોરોનાના ગંભીર કેસોની સંખ્યાને અનુલક્ષીને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઓક્સિજનના પૂરતા પુરવઠાની ઉપલબ્ધિ, માનવ સ્ત્રોત,(હ્યુમન રિસોર્સ), બેડની સંખ્યામાં વધારો, મેડીસીન, રેમડેસીવર ઇન્જેક્શન, એક્ટીવ સર્વેલન્સ, લેબોરેટરી તપાસ, લોકજાગૃતિ અભિયાન, હોમ-ટુ-હોમ સર્વે, કામગીરીનું મૂલ્યાંકન તેમજ સઘન અને સતત મોનીટરીંગની કામગીરીની ફલશ્રુતિરૂપે કોરોનાને અંકુશમાં રાખવાની દિશાના પ્રયાસોમાં નર્મદા જિલ્લાએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
હાલમાં જિલ્લાકક્ષાએ કોવિડ કેર સેન્ટરની 200 બેડ તથા ગ્રામ્ય વિસ્તારમાં ફિલ્ડ લેવલે 800 બેડ સહિત કુલ 1000 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, 2 સબ-ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને 3 સામુહિક આરોગ્ય કેન્દ્રો તથા રાજપીપલા શહેરમાં એક અર્બન હેલ્થ સેન્ટર ઉપરાંત 27 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કોરોનાના દરદીઓના નિદાન અને સારવાર અંગે સતત કાર્યરત હતા. જિલ્લામાં આજદિન સુધી કોરોનાની તપાસ અંગે RTPCR 68996, ટ્રુ નેટ 569 અને એન્ટીજન (રેપીડ) 153096 સહિત કુલ 222661 જેટલા નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે.
તેવી જ રીતે સમગ્ર જિલ્લાભરમાં ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધિ માટે 700 જેટલા જમ્બો સિલિન્ડરની ખરીદી, 1000 લીટર ઓક્સિજનની 2 ડ્યુરા ટેન્ક, 200 લીટરની ઓક્સિજનની 10 ડ્યુરા ટેન્ક તેમજ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે 4 ઓક્સિજન પ્લાન્ટ, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે 2 ઓક્સિજન પ્લાન્ટ અને CHC ખાતે 2ઓક્સિજન પ્લાન્ટ સહિત જિલ્લાભરમાં 8 જેટલા ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરી ઓક્સિજનના જરૂરી પુરવઠાની સુવિધા દરદીઓ માટે ઉપલબ્ધ કરાઇ છે.
તદ્ઉપરાંત જિલ્લાકક્ષાએ ઉભા કરાયેલા રેનબસેરામાં દુર-સુદુરથી આવનાર જે તે દરદીના સગા-સંબંધીઓને નિ:શુલ્ક રહેવાની સુવિધા પણ પુરી પડાઇ હતી. જ્યારે જૈન સમાજ તરફથી જે તે ધર્મની ધાર્મિક વિધિ મુજબ દરદીના મૃતદેહના અંતિમ સંસ્કારની પણ નિ:શુલ્ક સેવાઓ પુરી પાડવામાં આવી હતી.