ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઊંટાટિયું, ધનુર, ન્યુમોનિયા તથા મગજના તાવની રસી અપાશે
બે વર્ષથી નાની ઉંમરના બાળકોને કોઈપણ રસીકરણ કેન્દ્ર પર રસી અપાશે
WatchGujarat. રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં 12 લાખ બાળકો અને 13 લાખથી વધુ મહિલાઓને જુદા જુદાં રોગ માટેની રસી આપવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ 22મી ફેબુ્રઆરી એટલે કે આજરોજથી આરંભ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રસીકરણના પ્રથમ રાઉન્ટમાં ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઊટાટિયું, ધનુર, હિબ બેક્ટેરિયાથી થતાં ન્યુમોનિયા, મગજનો તાવ, જેવા રોગો તથા રોટા વાયરસથી થતાં ઝાડા, ઓરિ અને રૂબેલા જેવી બીમારી સામે રક્ષણ મળી રહે તે માટે આ રસીઓ આપવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવાની ઝુંબેશ હાથ ધરાયા બાદ યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે વર્ષથી નાની ઉંમરના બાળકોને કોઈપણ રસીકરણ કેન્દ્ર પર રસી પૂરી પાડવામાં આવશે. આ રસીકરણની ઝુંબેશથી 90 ટકા સમાજને રોગમુક્ત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણનો પ્રથમ રાઉન્ડ 22મી ફેબુ્રઆરીએ અને બીજો રાઉન્ડ 22મી માર્ચે શરૂ કરવામાં આવશે. આ રાઉન્ટ 15 દિવસ સુધી ચલાવવામાં આવશે. મમતા દિન, કોવિડ રસીકરણ અને રજાના દિવસો સિવાયના દિવસો દરમિયાન આ રસીઓ આપવામાં આવશે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 8 નગરપાલિકાના વિસ્તારોના બાળકો અને માતાઓના આ રસીકરણનો લાભ આપવામાં આવશે.
મિશન ઇન્દ્રધનુષ હેઠળ પ્રથમ હરોળના આરોગ્ય કર્મચારીઓ દ્વારા શહેરી સ્લમ વિસ્તારોમાં તેમ જ અંતરિયાળ અને અતિ દુર્ગમ વિસ્તારોમાં તથા ગીચવસ્તીવાળી ઝુપડપટ્ટીઓ, ઇંટના ભઠ્ઠાઓ, માછીમારોની વસતિ, બાંધકામના અને ઔદ્યોગિક વિસ્તારો, પહાડી વિસ્તારોમાં આવેલી વસાહતોમાં ઘરે ઘરે જઈને રસી આપવામાં આવશે. આ રીતે બાળમૃત્યુનો દર નીચે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.
બે વર્ષથી નાની ઉંમરના બાળકોને કોઈપણ રસીકરણ કેન્દ્ર પર રસી અપાશે
WatchGujarat. રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાં 12 લાખ બાળકો અને 13 લાખથી વધુ મહિલાઓને જુદા જુદાં રોગ માટેની રસી આપવાની ઝુંબેશ હાથ ધરી છે. આ ઝુંબેશ 22મી ફેબુ્રઆરી એટલે કે આજરોજથી આરંભ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. રસીકરણના પ્રથમ રાઉન્ટમાં ઝેરી કમળો, બાળ ટી.બી., પોલિયો, ડિપ્થેરિયા, ઊટાટિયું, ધનુર, હિબ બેક્ટેરિયાથી થતાં ન્યુમોનિયા, મગજનો તાવ, જેવા રોગો તથા રોટા વાયરસથી થતાં ઝાડા, ઓરિ અને રૂબેલા જેવી બીમારી સામે રક્ષણ મળી રહે તે માટે આ રસીઓ આપવામાં આવશે.
આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવાની ઝુંબેશ હાથ ધરાયા બાદ યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બે વર્ષથી નાની ઉંમરના બાળકોને કોઈપણ રસીકરણ કેન્દ્ર પર રસી પૂરી પાડવામાં આવશે. આ રસીકરણની ઝુંબેશથી 90 ટકા સમાજને રોગમુક્ત બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રસીકરણનો પ્રથમ રાઉન્ડ 22મી ફેબુ્રઆરીએ અને બીજો રાઉન્ડ 22મી માર્ચે શરૂ કરવામાં આવશે. આ રાઉન્ટ 15 દિવસ સુધી ચલાવવામાં આવશે. મમતા દિન, કોવિડ રસીકરણ અને રજાના દિવસો સિવાયના દિવસો દરમિયાન આ રસીઓ આપવામાં આવશે. ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 8 નગરપાલિકાના વિસ્તારોના બાળકો અને માતાઓના આ રસીકરણનો લાભ આપવામાં આવશે.
મિશન ઇન્દ્રધનુષ હેઠળ પ્રથમ હરોળના આરોગ્ય કર્મચારીઓ દ્વારા શહેરી સ્લમ વિસ્તારોમાં તેમ જ અંતરિયાળ અને અતિ દુર્ગમ વિસ્તારોમાં તથા ગીચવસ્તીવાળી ઝુપડપટ્ટીઓ, ઇંટના ભઠ્ઠાઓ, માછીમારોની વસતિ, બાંધકામના અને ઔદ્યોગિક વિસ્તારો, પહાડી વિસ્તારોમાં આવેલી વસાહતોમાં ઘરે ઘરે જઈને રસી આપવામાં આવશે. આ રીતે બાળમૃત્યુનો દર નીચે લઈ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.