રાજકોટ કલેકટર રેમીયા મોહનની નેશનલ હેલ્થ મીશનના ડાયરેકટર તરીકે નિમણૂક કરાઇ
વડોદરાને મળ્યાં નવા કલેકટર આર. બી બારડ
આર.બી બારડ અગાઉ મહિસાગર- લુણાવાડામાં કલેકટર તરીકે ફરજ બજાવી ચુંક્યા છે.
WatchGujarat. કોરોનાની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. જેમાં મોટા પાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીની બદલી માટેના આદેશ છૂટ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. તો રાજકોટમાં મ્યુ. કમિશ્નર અને કલેક્ટર સહિત 6 સનદી અધિકારીઓ બદલાયા છે. અને અમદાવાદના ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને નેશનલ હેલ્થ કમિશનનાં ડિરેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. અને રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે કોર્પોરેશનના પૂર્વ ડીએમસી અરુણ મહેશબાબુને જવાબદારી સોંપવામાં આવી છે. બીજીતરફ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલને મહેસાણાનાં જિલ્લા કલેકટર તરીકે મુકાયા છે. અને તેમના સ્થાને હવે પંચમહાલ-ગોધરાના કલેકટર અમિત અરોરાની નિમણુંક કરવામાં આવી છે. તો જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે આશિષકુમાર, મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશ્નર તરીકે વરુણકુમાર બરણવાલ અને PGVCLનાં MD તરીકે ધીમંતકુમાર વ્યાસની નિમણુંક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અગ્ર સચિવ અંજુ શર્માની ઉચ્ચ - ટેક્નિકલ શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકાયા છે. અને એચ.જે. હૈદરની GSRTCનાં વાઇસચેરમેન પદેથી બદલી કરીને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. સાથે હર્ષદ પટેલ સચિવની શ્રમ અને રોજગાર વિભાગમાંથી GSRTCનાં વાઇસ ચેરમેન તરીકે બદલી કરવામાં આવી છે. અને કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહિસાગરના કલેક્ટર આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર, એમ.એ.પંડ્યાને દ્વારકા જિલ્લાના કલેક્ટર, નવસારીના કલેક્ટર અગ્રવાલને રાહત કમિશ્નર જામનગરના કલેક્ટર રવિ શંકરને સરદાર સરોવર નિગમના ચેરમને અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહિવટદાર, અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દિલિપ કુમારન રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશ્નરનો સંપૂર્ણ ચાર્જ સોપાયો છે. તેમજ આણંદના કલેક્ટર આર.જી. ગોહિલને ગીરસોમનાથના કલેક્ટર, સુરતના કલેક્ટર ધવલકુમાર પટેલને ગાંધીનગરના મ્યુ. કમિશ્નર, મહેસાણાના ડીડીઓને આણંદના કલેક્ટર, ડૉ.રત્નાકંવરની ગાંધીનગર મનપા કમિશ્નરમાંથી સર્વ શિક્ષાઅભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
- રાજકોટ કલેકટર રેમીયા મોહનની નેશનલ હેલ્થ મીશનના ડાયરેકટર તરીકે નિમણૂક કરાઇ
- વડોદરાને મળ્યાં નવા કલેકટર આર. બી બારડ
- આર.બી બારડ અગાઉ મહિસાગર- લુણાવાડામાં કલેકટર તરીકે ફરજ બજાવી ચુંક્યા છે.
WatchGujarat. કોરોનાની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. જેમાં મોટા પાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીની બદલી માટેના આદેશ છૂટ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. તો રાજકોટમાં મ્યુ. કમિશ્નર અને કલેક્ટર સહિત 6 સનદી અધિકારીઓ બદલાયા છે. અને અમદાવાદના ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનને નેશનલ હેલ્થ કમિશનનાં ડિરેકટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. અને રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે કોર્પોરેશનના પૂર્વ ડીએમસી અરુણ મહેશબાબુને જવાબદારી સોંપવામાં આવી છે. બીજીતરફ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલને મહેસાણાનાં જિલ્લા કલેકટર તરીકે મુકાયા છે. અને તેમના સ્થાને હવે પંચમહાલ-ગોધરાના કલેકટર અમિત અરોરાની નિમણુંક કરવામાં આવી છે. તો જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે આશિષકુમાર, મ્યુનિસિપલ પ્રાદેશિક કમિશ્નર તરીકે વરુણકુમાર બરણવાલ અને PGVCLનાં MD તરીકે ધીમંતકુમાર વ્યાસની નિમણુંક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા અગ્ર સચિવ અંજુ શર્માની ઉચ્ચ - ટેક્નિકલ શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકાયા છે. અને એચ.જે. હૈદરની GSRTCનાં વાઇસચેરમેન પદેથી બદલી કરીને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. સાથે હર્ષદ પટેલ સચિવની શ્રમ અને રોજગાર વિભાગમાંથી GSRTCનાં વાઇસ ચેરમેન તરીકે બદલી કરવામાં આવી છે. અને કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત મહિસાગરના કલેક્ટર આર.ડી.બારડને વડોદરાના કલેક્ટર, એમ.એ.પંડ્યાને દ્વારકા જિલ્લાના કલેક્ટર, નવસારીના કલેક્ટર અગ્રવાલને રાહત કમિશ્નર જામનગરના કલેક્ટર રવિ શંકરને સરદાર સરોવર નિગમના ચેરમને અને સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય વહિવટદાર, અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દિલિપ કુમારન રાણાને આદિજાતિ વિકાસ વિભાગના કમિશ્નરનો સંપૂર્ણ ચાર્જ સોપાયો છે. તેમજ આણંદના કલેક્ટર આર.જી. ગોહિલને ગીરસોમનાથના કલેક્ટર, સુરતના કલેક્ટર ધવલકુમાર પટેલને ગાંધીનગરના મ્યુ. કમિશ્નર, મહેસાણાના ડીડીઓને આણંદના કલેક્ટર, ડૉ.રત્નાકંવરની ગાંધીનગર મનપા કમિશ્નરમાંથી સર્વ શિક્ષાઅભિયાનના પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.