રથયાત્રામાં ભાગ લેનારા સંચાલકોના 48 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ સામેલ કરવા દેવામાં આવશે
રથયાત્રાની પરવાનગી આપવા માટે રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસએ પોલીસ તથા સરકારનો આભાર માન્યો
[caption id="attachment_1278508" align="aligncenter" width="1280"] Rajkot RathYatra[/caption]
WatchGujarat. શહેરમાં કોરોના કાળને કારણે બે વર્ષથી અષાઢી બીજની રથયાત્રા કાઢવાની મનાઈ ફરમાવાઈ હતી. જો કે ચાલુ વર્ષે કોરોનાનો કહેર ઘટતા નિયમોનાં પાલન સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી પોલીસ કમિશ્નરે આપી છે. જે અંતર્ગત સોમવારના અષાઢી બીજે SOP નાં પાલન સાથે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા અંગે પોલીસ કમિશ્નરે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તેમજ મહંત સાથે બેઠક યોજી હતી. આ વર્ષે રથયાત્રા માટે રાજકોટમાં ટૂંકો રૂટ રાખવા સાથે શોભાયાત્રા નક્કી કરેલ માર્ગ પર મહત્તમ પાંચ સંખ્યાના રથ તથા વાહનો સાથે કાઢવામાં આવશે. જેમાં 2 ACP, 5 PI, 16 PSI સહિત 400 પોલીસ જવાનો તૈનાત રહેશે.
[caption id="attachment_1278506" align="aligncenter" width="1280"] Rajkot Police Commissioner Manoj Agrawal[/caption]
શહેરનાં નાનામૌવા રોડ ખાતે નિકળનાર રથયાત્રામાં ભાગ લેનારા સંચાલકોના 48 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ સામેલ કરવા દેવામાં આવશે. જ્યાંથી રથયાત્રા નીકળશે ત્યાં સવારે 8થી 11 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવશે. જેમાં સ્થાનિકોને બહાર નિકળવાની મનાઈ રહેશે તેમજ વેપારીઓએ દુકાનો બંધ રાખવાની રહેશે. રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી કલાક 08:00 વાગ્યે પ્રસ્થાન થઇ મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદીર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, સયાજી હોટલ પહેલા રાજહંસ પર્ટપ્લોટ બોર્ડ મારેલ શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટીપ્લોટ ચોકથી, દિપવન પાર્ક ચોકથી, સાંચબાબા પાર્ક મેઇન રોડથી નાનામવા રોડ તરફ સાગર મકાનથી શિવાગ્ના મકાનથી આંગળ નાનામવા મેઇન રોડ થી શાસ્ત્રીનગર ગેઇટ પાસેથી અલય ટવીન ટાવરથી એકયુરેટ મોટર થી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી નં-1 હરીદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં-2 થી ગોવિંદપાર્ક શેરી નં-3 થી આગળ શ્રીખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામ સુધીનો રૂટ નક્કી કરવામાં આવેલ છે.
[caption id="attachment_1278505" align="aligncenter" width="1280"] Rajkot Jagannath Temple Mahant[/caption]
સરકારના આદેશ અને નિયંત્રણો સાથે કોરોના કાળમાં રથયાત્રાની પરવાનગી આપવા માટે રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસએ પોલીસ તથા સરકારનો આભાર માન્યો હતો અને લોકોએ ભીડ એકઠી ના કરી નિયમ અનુસાર રથયાત્રા જોડાવા પર અનુમાન કરવામાં આવ્યું. જો કે કોરોના મહામારીને લીધે કોઈપણ ધાર્મિક મેળાવડા કે સંમેલન કરવા પર મનાઈ હોય લોકોને એકઠા નહીં થવાની અપીલ પણ તેમણે કરી છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન જગન્નાથના દર્શન કરવા જણાવ્યું હતું. હાલ કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાનના રથ પણ તૈયાર કરી લેવાયા હોવાનું તેમણે કહ્યું હતું.
રથયાત્રામાં ભાગ લેનારા સંચાલકોના 48 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ સામેલ કરવા દેવામાં આવશે
રથયાત્રાની પરવાનગી આપવા માટે રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસએ પોલીસ તથા સરકારનો આભાર માન્યો
[caption id="attachment_1278508" align="aligncenter" width="1280"] Rajkot RathYatra[/caption]
WatchGujarat. શહેરમાં કોરોના કાળને કારણે બે વર્ષથી અષાઢી બીજની રથયાત્રા કાઢવાની મનાઈ ફરમાવાઈ હતી. જો કે ચાલુ વર્ષે કોરોનાનો કહેર ઘટતા નિયમોનાં પાલન સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી પોલીસ કમિશ્નરે આપી છે. જે અંતર્ગત સોમવારના અષાઢી બીજે SOP નાં પાલન સાથે રથયાત્રા કાઢવામાં આવશે. રથયાત્રા અંગે પોલીસ કમિશ્નરે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી તેમજ મહંત સાથે બેઠક યોજી હતી. આ વર્ષે રથયાત્રા માટે રાજકોટમાં ટૂંકો રૂટ રાખવા સાથે શોભાયાત્રા નક્કી કરેલ માર્ગ પર મહત્તમ પાંચ સંખ્યાના રથ તથા વાહનો સાથે કાઢવામાં આવશે. જેમાં 2 ACP, 5 PI, 16 PSI સહિત 400 પોલીસ જવાનો તૈનાત રહેશે.
[caption id="attachment_1278506" align="aligncenter" width="1280"] Rajkot Police Commissioner Manoj Agrawal[/caption]
શહેરનાં નાનામૌવા રોડ ખાતે નિકળનાર રથયાત્રામાં ભાગ લેનારા સંચાલકોના 48 કલાક પહેલા RTPCR ટેસ્ટ નેગેટિવ હશે તો જ સામેલ કરવા દેવામાં આવશે. જ્યાંથી રથયાત્રા નીકળશે ત્યાં સવારે 8થી 11 વાગ્યા સુધી કર્ફ્યુ લગાવી દેવામાં આવશે. જેમાં સ્થાનિકોને બહાર નિકળવાની મનાઈ રહેશે તેમજ વેપારીઓએ દુકાનો બંધ રાખવાની રહેશે. રાજકોટમાં જગન્નાથજીની રથયાત્રા ખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામથી કલાક 08:00 વાગ્યે પ્રસ્થાન થઇ મોકાજી સર્કલ, વાછડા દાદાના મંદીર, વૃંદાવન સોસાયટી મેઇન રોડ, સયાજી હોટલ પહેલા રાજહંસ પર્ટપ્લોટ બોર્ડ મારેલ શેરીમાં જમણી તરફથી ટી.આર.પી. પાર્ટીપ્લોટ ચોકથી, દિપવન પાર્ક ચોકથી, સાંચબાબા પાર્ક મેઇન રોડથી નાનામવા રોડ તરફ સાગર મકાનથી શિવાગ્ના મકાનથી આંગળ નાનામવા મેઇન રોડ થી શાસ્ત્રીનગર ગેઇટ પાસેથી અલય ટવીન ટાવરથી એકયુરેટ મોટર થી ડાબી તરફ ગોવિંદ પાર્ક શેરી નં-1 હરીદર્શન મકાન તરફથી ગોવિંદપાર્ક શેરી નં-2 થી ગોવિંદપાર્ક શેરી નં-3 થી આગળ શ્રીખોડિયાર મંદિર કૈલાશધામ આશ્રમ નાનામવા ગામ સુધીનો રૂટ નક્કી કરવામાં આવેલ છે.
[caption id="attachment_1278505" align="aligncenter" width="1280"] Rajkot Jagannath Temple Mahant[/caption]
સરકારના આદેશ અને નિયંત્રણો સાથે કોરોના કાળમાં રથયાત્રાની પરવાનગી આપવા માટે રાજકોટ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસએ પોલીસ તથા સરકારનો આભાર માન્યો હતો અને લોકોએ ભીડ એકઠી ના કરી નિયમ અનુસાર રથયાત્રા જોડાવા પર અનુમાન કરવામાં આવ્યું. જો કે કોરોના મહામારીને લીધે કોઈપણ ધાર્મિક મેળાવડા કે સંમેલન કરવા પર મનાઈ હોય લોકોને એકઠા નહીં થવાની અપીલ પણ તેમણે કરી છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ભગવાન જગન્નાથના દર્શન કરવા જણાવ્યું હતું. હાલ કૈલાસધામ આશ્રમ ખાતે ભગવાનના રથ પણ તૈયાર કરી લેવાયા હોવાનું તેમણે કહ્યું હતું.