પાનોલી જીઆઇડીસીની બાજુમાં આવેલ ઉમરવાડા ગામના મત્સ્ય ખેડૂતો ના તળાવો માં પ્રદુષિત પાણી મિશ્ર થવાથી માછલીઓ ના મૃત્યુ થયા
બનાવ ના ત્રણ દિવસ બાદ પણ જીપીસીબી દ્વારા સ્થળ નિરક્ષણ ના થતા ખેડૂતો માં રોષ
અંકલેશ્વર. ગત તા. 23 સપ્ટેમ્બરના રોજ વરસેલા ભારે વરસાદ નો લાભ ઉદ્યોગકારોએ લીધો હોય એમ લાગી રહ્યું છે. અંકલેશ્વર-પાનોલીના ઓદ્યોગિક વસાહતના ગંદા પાણીનું વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયાના 9 દિવસે પણ રીપેર કામ પૂરું થયું ન હતું ઉદ્યોગો ને એફલુઅન્ટ ના છોડવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તેવામાં પાનોલી જીઆઇડીસીનનુ પ્રદુષિત પાણી ઉમરવાડા ગામના તળાવોમાં ફરી વળતા માછલીયાના મોતથી મત્સ્ય ખેડૂતોને લાખોનુ નુકશાન પહોંચ્યું છે.
તાજેતરમાં વરસેલો ભારે વરસાદ ઉદ્યોગકારો માટે આશીર્વાદ રૂપ બન્યો હોય એવી શંકા લોકોમાં ચર્ચાઈ રહી છે. પાનોલી જીઆઇડીસીની બાજુમાં આવેલ ઉમરવાડા ગામના મત્સ્ય ખેડૂત સલમાન પટેલના તળાવોમાં પ્રદુષિત પાણી મિશ્ર થવાથી ૫૦ ટન માછલીઓના મૃત્યુ થવાથી ખેડૂત ને અંદાજીત ૬૦ થી ૭૦ લાખ રૂપિયાનું નુકશાન થયું છે. તેમજ વનખાડીની આસપાસ આવેલ અનેક ખેતરો સુધી આ પ્રદુષિત પાણી જવાથી ખેડૂતો અને પર્યાવરણને મોટું નુકશાન થયું છે.
પાનોલી ઓદ્યોગિક વસાહત પાસેથી પસાર થતી વન ખાડીમાં અગાઉ પણ અનેકો વખત પ્રદુષિત પાણી વેહતા હોવાની ફરિયાદો થઇ છે. જેમાં તપાસના નામે સેમ્પલો લેવાય છે, કાર્યવાહી થાય છે પરંતુ આ પ્રદુષિત પાણીનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. ફરિયાદ થયાને ૩ દિવસ બાદ પણ સ્થળ નિરક્ષણ ના કરીને જીપીસીબી પણ પોતાની નિષ્ક્રિયતા સાબિત કરી રહી છે.
મત્સ્ય ખેડૂત સલમાન પટેલના જણાવ્યા મુજબ “ પાનોલી જીઆઇડીસીનો ઓદ્યોગિક પ્રદુષિત પાણી મારા તળાવમાં આવવાથી મારા તળાવો ના ૪૦ થી ૫૦ ટન માછલીઓ નું મરણ થયું છે અને મને ૬૦ થી ૭૦ લાખ નું નુકશાન થયું છે. મેં જીપીસીબીને તેજ દિવસે ફરિયાદ કરી હતી. તેમની ટીમ ઉમરવાડા ગામમાં આવી હતી પરંતુ સ્થળ પર આવી નહતી એમને વરસાદ અને કીચડ અવરોધ રૂપ લગતા પરત થયા હતા બીજા દિવસે મારા ફોનના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમારા સાહેબ આદેશ આપશે તો અમે આવીશું. અને આજ દિવસ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું નથી પુરાવાનો નાશ થયા પછી સ્થળ નિરક્ષણ નિરર્થક રેહશે. મને આ થયેલ નુકસાનીનું વળતર પાનોલી જીઆઇડીસી/સરકાર ચુકવે એવી મારી માંગણી છે.”
પાનોલી જીઆઇડીસીની બાજુમાં આવેલ ઉમરવાડા ગામના મત્સ્ય ખેડૂતો ના તળાવો માં પ્રદુષિત પાણી મિશ્ર થવાથી માછલીઓ ના મૃત્યુ થયા
બનાવ ના ત્રણ દિવસ બાદ પણ જીપીસીબી દ્વારા સ્થળ નિરક્ષણ ના થતા ખેડૂતો માં રોષ
અંકલેશ્વર. ગત તા. 23 સપ્ટેમ્બરના રોજ વરસેલા ભારે વરસાદ નો લાભ ઉદ્યોગકારોએ લીધો હોય એમ લાગી રહ્યું છે. અંકલેશ્વર-પાનોલીના ઓદ્યોગિક વસાહતના ગંદા પાણીનું વહન કરતી પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયાના 9 દિવસે પણ રીપેર કામ પૂરું થયું ન હતું ઉદ્યોગો ને એફલુઅન્ટ ના છોડવાની સૂચનાઓ આપવામાં આવી હતી. તેવામાં પાનોલી જીઆઇડીસીનનુ પ્રદુષિત પાણી ઉમરવાડા ગામના તળાવોમાં ફરી વળતા માછલીયાના મોતથી મત્સ્ય ખેડૂતોને લાખોનુ નુકશાન પહોંચ્યું છે.
તાજેતરમાં વરસેલો ભારે વરસાદ ઉદ્યોગકારો માટે આશીર્વાદ રૂપ બન્યો હોય એવી શંકા લોકોમાં ચર્ચાઈ રહી છે. પાનોલી જીઆઇડીસીની બાજુમાં આવેલ ઉમરવાડા ગામના મત્સ્ય ખેડૂત સલમાન પટેલના તળાવોમાં પ્રદુષિત પાણી મિશ્ર થવાથી ૫૦ ટન માછલીઓના મૃત્યુ થવાથી ખેડૂત ને અંદાજીત ૬૦ થી ૭૦ લાખ રૂપિયાનું નુકશાન થયું છે. તેમજ વનખાડીની આસપાસ આવેલ અનેક ખેતરો સુધી આ પ્રદુષિત પાણી જવાથી ખેડૂતો અને પર્યાવરણને મોટું નુકશાન થયું છે.
પાનોલી ઓદ્યોગિક વસાહત પાસેથી પસાર થતી વન ખાડીમાં અગાઉ પણ અનેકો વખત પ્રદુષિત પાણી વેહતા હોવાની ફરિયાદો થઇ છે. જેમાં તપાસના નામે સેમ્પલો લેવાય છે, કાર્યવાહી થાય છે પરંતુ આ પ્રદુષિત પાણીનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. ફરિયાદ થયાને ૩ દિવસ બાદ પણ સ્થળ નિરક્ષણ ના કરીને જીપીસીબી પણ પોતાની નિષ્ક્રિયતા સાબિત કરી રહી છે.
મત્સ્ય ખેડૂત સલમાન પટેલના જણાવ્યા મુજબ “ પાનોલી જીઆઇડીસીનો ઓદ્યોગિક પ્રદુષિત પાણી મારા તળાવમાં આવવાથી મારા તળાવો ના ૪૦ થી ૫૦ ટન માછલીઓ નું મરણ થયું છે અને મને ૬૦ થી ૭૦ લાખ નું નુકશાન થયું છે. મેં જીપીસીબીને તેજ દિવસે ફરિયાદ કરી હતી. તેમની ટીમ ઉમરવાડા ગામમાં આવી હતી પરંતુ સ્થળ પર આવી નહતી એમને વરસાદ અને કીચડ અવરોધ રૂપ લગતા પરત થયા હતા બીજા દિવસે મારા ફોનના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમારા સાહેબ આદેશ આપશે તો અમે આવીશું. અને આજ દિવસ સુધી સ્થળ નિરીક્ષણ કર્યું નથી પુરાવાનો નાશ થયા પછી સ્થળ નિરક્ષણ નિરર્થક રેહશે. મને આ થયેલ નુકસાનીનું વળતર પાનોલી જીઆઇડીસી/સરકાર ચુકવે એવી મારી માંગણી છે.”