દાંડિયા બજાર ભૃગુઋષિ મંદિર નજીક લોઢવાનના ટેકરા પરની ઘટના
ઝૂંપડાના પતરા પર ગેલવેનાઇઝનો પાઇપ લગાવી બાંધેલા તાર પર વીજ કંપનીનો કરંટ ઉતરતા ઘટના ઘટી
માતાને કરંટ લાગતા લાકડું લઈ 2 પુત્રો છોડાવવા દોડતા 1 ને વીજ તાર લપેટાઈ જતા સ્થળ પર જ મોત
કરંટ લાગવાથી દાઝી જઈ ઇજાગ્રસ્ત થયેલા માતા અને નાના પુત્રને ભરૂચ સિવિલમાં ખસેડાયા
WatchGujarat ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુઋષિ મંદિર પાસે ઓડ પરિવારના 3 સભ્યોને વીજ કરંટ લાગવાની ઘટના વહેલી સવારે ગુરુવારે બની હતી. માતા કપડાં સુકવતી હોય ઘરની જ વીજ લાઈનનો કરંટ પતરા અને તાર પર ઉતરતા માતાને બચાવવા જતા 2 પુત્રો પૈકી મોટા પુત્રનું મોત થયું હતું.
મળતી માહીતી મુજબ, લોઢવાડના ટેકરા નીચે નદી કિનારાની ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓડ પરિવારની મહિલા મંજુબેન ઉદયસંગ ઓડ ઉ.વ. 55 વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ કપડાં સૂકવવા જતા તેમને કરન્ટ લાગ્યો હતો. માતાને કરન્ટ લાગતા તેના બે પુત્રો ભરત ઉ.વ. 25 અને અર્જુન ઉ.વ. 36 બચાવવા જતા બન્નેને પણ કરન્ટ લાગ્યો હતો.
[caption id="attachment_809339" align="aligncenter" width="960"] (માતાને બચાવવા જતા મોતને ભેટેલો પુત્ર)[/caption]
અર્જુને લાકડાનો સપાટો મારી છોડાવાનો પ્રયાસ કરતા તાર તેને વીંટળાઈ ગયો હતો અને તેને વધુ વીજ કરન્ટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. માતા અને નાના ભાઈને વીજ કરન્ટથી બચાવવા જતા અર્જુન ઓડે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઓડ પરિવારના ઘરના પતરાંને અડીને ઘરની વીજ લાઈનનો વાયર પસાર થાય છે. જેનો કરન્ટ પતરાંમાં ઉતરતો હતો. કપડાં સુકવવાનો તાર ઘરના પતરા સાથે લગાવેલ ગેલવેનાઇઝની એંગલ સાથે બાંધેલો હતો.
જેને લઈ કપડાં સુકવવાના તારમાં પણ કરન્ટ ઉતરતો હતો. જેના કારણે દુર્ઘટના બની હતી. બનાવના પગલે એ ડિવિઝન પોલીસે મૃતક અર્જુન ઓડની લાશનો કબજો મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત માતા અને નાના પુત્રને 108 માં સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડાયા છે.
દાંડિયા બજાર ભૃગુઋષિ મંદિર નજીક લોઢવાનના ટેકરા પરની ઘટના
ઝૂંપડાના પતરા પર ગેલવેનાઇઝનો પાઇપ લગાવી બાંધેલા તાર પર વીજ કંપનીનો કરંટ ઉતરતા ઘટના ઘટી
માતાને કરંટ લાગતા લાકડું લઈ 2 પુત્રો છોડાવવા દોડતા 1 ને વીજ તાર લપેટાઈ જતા સ્થળ પર જ મોત
કરંટ લાગવાથી દાઝી જઈ ઇજાગ્રસ્ત થયેલા માતા અને નાના પુત્રને ભરૂચ સિવિલમાં ખસેડાયા
WatchGujarat ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં ભૃગુઋષિ મંદિર પાસે ઓડ પરિવારના 3 સભ્યોને વીજ કરંટ લાગવાની ઘટના વહેલી સવારે ગુરુવારે બની હતી. માતા કપડાં સુકવતી હોય ઘરની જ વીજ લાઈનનો કરંટ પતરા અને તાર પર ઉતરતા માતાને બચાવવા જતા 2 પુત્રો પૈકી મોટા પુત્રનું મોત થયું હતું.
મળતી માહીતી મુજબ, લોઢવાડના ટેકરા નીચે નદી કિનારાની ઝૂંપડપટ્ટીમાં રહેતા ઓડ પરિવારની મહિલા મંજુબેન ઉદયસંગ ઓડ ઉ.વ. 55 વહેલી સવારે 6:30 વાગ્યાની આસપાસ કપડાં સૂકવવા જતા તેમને કરન્ટ લાગ્યો હતો. માતાને કરન્ટ લાગતા તેના બે પુત્રો ભરત ઉ.વ. 25 અને અર્જુન ઉ.વ. 36 બચાવવા જતા બન્નેને પણ કરન્ટ લાગ્યો હતો.
અર્જુને લાકડાનો સપાટો મારી છોડાવાનો પ્રયાસ કરતા તાર તેને વીંટળાઈ ગયો હતો અને તેને વધુ વીજ કરન્ટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. માતા અને નાના ભાઈને વીજ કરન્ટથી બચાવવા જતા અર્જુન ઓડે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઓડ પરિવારના ઘરના પતરાંને અડીને ઘરની વીજ લાઈનનો વાયર પસાર થાય છે. જેનો કરન્ટ પતરાંમાં ઉતરતો હતો. કપડાં સુકવવાનો તાર ઘરના પતરા સાથે લગાવેલ ગેલવેનાઇઝની એંગલ સાથે બાંધેલો હતો.
જેને લઈ કપડાં સુકવવાના તારમાં પણ કરન્ટ ઉતરતો હતો. જેના કારણે દુર્ઘટના બની હતી. બનાવના પગલે એ ડિવિઝન પોલીસે મૃતક અર્જુન ઓડની લાશનો કબજો મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ઇજાગ્રસ્ત માતા અને નાના પુત્રને 108 માં સારવાર અર્થે ભરૂચ સિવિલમાં ખસેડાયા છે.