આ વર્ષે પણ સેવાશ્રમ રોડથી હિંગળાજ માતાનાં મંદિર સુધી નીકળતી વિશાળ શોભાયાત્રા મોકૂફ
કાજરાના પ્રતિકને સિંધવાઇ માતાના ચોકમાં માથે બેસાડી રમાડાઇ છે
પૃથ્વી ઉપર પરશુરામ ક્ષત્રિયોનો નાશ કરવા નિકળ્યાં ત્યારે હિંગળાજ માતાના શરણે આવ્યા હતા
ક્ષત્રિયોના બધા શસ્ત્રો છીનવાઇ જતા હિંગળાજ માતાએ આજિવિકા માટે હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો
ક્ષત્રિય (ખત્રી) સમાજે હાથવણાટથી બનાવેલી પેહલી ચુંદડી શ્રાવણ વદ ચોથે હિંગળાજ માતાને ચઢાવી હતી
[caption id="attachment_1386444" align="aligncenter" width="1600"] Gujarat, Bharuch Kajra Celebration[/caption]
WatchGujarat. ગુજરાતમાં એક માત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોથી ઉજવાતા કાજરા ચોથનાં તહેવારની સતત બીજા વર્ષે ગુરૂવારે સાદગીથી ઉજવણી કરાશે. શહેરનાં સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ માતાજીના મંદિર ખાતેથી હિંગળાજ માતાજીની શોભાયાત્રા આ વખતે પણ નહીં નીકળે.
કાજરા ચોથનાં ઉત્સવ અંગે ભાગવત ગીતાના નવમાં સ્કંધના પંદરમાં અને સોળમાં અધ્યાયમાં તહેવારની કથાવાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે. પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગળાજ માતાની શરણે આવ્યા હતા. ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાજીનું સ્થાપન કર્યું હતું.
સમસ્ત ક્ષત્રિયો માં હિંગળાજના શરણે જ રહ્યાં પરંતુ શસ્ત્રો છીનવાઈ જતા ગુજરાન ચલાવવા કોઇ સાધન નહી હોવાથી પુન: તેમણે માતાની પ્રાર્થના કરી આજિવિકા ચલાવવા રસ્તો બતાવવા કહ્યું, માં એ ફરીથી પોતાના સંતાનો ઉપર દયા દાખવી તેમને હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો.
હાથ વણાટનાં હુન્નરનો ઉપયોગ કરી ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલા 9 દિવસની મહેનત બાદ એક ચૂંદડી બનાવાઇ હતી. જે ચૂંદડી શ્રાવણ વદ ચોથનાં દિવસે સમાજના લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી. ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય (ખત્રી) સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે.
શ્રાવણ સુદ અગિયારસના દિવસથી સમાજના દરેક ઘરમાં માતાજીના જવારાની સ્થાપના થાય છે. શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડી તેમને ચૂંદડી ઓઢાડવામાં આવે છે. કાજરાનું પ્રતિક લઇને સૌ જ્ઞાતિજનો શહેરનાં સિંધવાઇ માતાના મંદિરે જાય છે. જયાં હોમ, હવન અને પૂજા કરાઇ છે. જે બાદ કાજરાના પ્રતિકને સિંધવાઇ માતાના ચોકમાં માતાજીના બાજટને માથે બેસાડી રમાડવામાં આવે છે.
કોરોના કાળમાં આ વર્ષે પણ કાજરા ચોથનો ઉત્સવ સાદગીથી મનાવવામાં આવશે. સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ માતાજીના મંદિરેથી હિંગળાજ માતાનો વરઘોડો ગુરૂવારે પરંપરા મુજબ નહિ નીકળે. કાજરાનાં પ્રતિકને કબીરપુરા, ખત્રીવાડમાં દરેક સમાજના ઘરે નમન કરાવવામાં આવશે. છેલ્લે બરાનપુરા ખત્રીવાડમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાશે.
આ વર્ષે પણ સેવાશ્રમ રોડથી હિંગળાજ માતાનાં મંદિર સુધી નીકળતી વિશાળ શોભાયાત્રા મોકૂફ
કાજરાના પ્રતિકને સિંધવાઇ માતાના ચોકમાં માથે બેસાડી રમાડાઇ છે
પૃથ્વી ઉપર પરશુરામ ક્ષત્રિયોનો નાશ કરવા નિકળ્યાં ત્યારે હિંગળાજ માતાના શરણે આવ્યા હતા
ક્ષત્રિયોના બધા શસ્ત્રો છીનવાઇ જતા હિંગળાજ માતાએ આજિવિકા માટે હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો
ક્ષત્રિય (ખત્રી) સમાજે હાથવણાટથી બનાવેલી પેહલી ચુંદડી શ્રાવણ વદ ચોથે હિંગળાજ માતાને ચઢાવી હતી
WatchGujarat. ગુજરાતમાં એક માત્ર ભરૂચ શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોથી ઉજવાતા કાજરા ચોથનાં તહેવારની સતત બીજા વર્ષે ગુરૂવારે સાદગીથી ઉજવણી કરાશે. શહેરનાં સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ માતાજીના મંદિર ખાતેથી હિંગળાજ માતાજીની શોભાયાત્રા આ વખતે પણ નહીં નીકળે.
કાજરા ચોથનાં ઉત્સવ અંગે ભાગવત ગીતાના નવમાં સ્કંધના પંદરમાં અને સોળમાં અધ્યાયમાં તહેવારની કથાવાર્તાનો ઉલ્લેખ જોવા મળે છે. પિતાના મૃત્યુનો બદલો લેવા પરશુરામ ભગવાન પૃથ્વી પરથી ક્ષત્રિયોનો નાશ કરવા આવ્યા તે સમયે ક્ષત્રિયો પોતાની જાત તેમજ જ્ઞાતિને બચાવવા હિંગળાજ માતાની શરણે આવ્યા હતા. ચૈત્રવદ અમાસના દિવસે તેમણે હાલા પર્વતમાં હિંગળાજ માતાજીનું સ્થાપન કર્યું હતું.
સમસ્ત ક્ષત્રિયો માં હિંગળાજના શરણે જ રહ્યાં પરંતુ શસ્ત્રો છીનવાઈ જતા ગુજરાન ચલાવવા કોઇ સાધન નહી હોવાથી પુન: તેમણે માતાની પ્રાર્થના કરી આજિવિકા ચલાવવા રસ્તો બતાવવા કહ્યું, માં એ ફરીથી પોતાના સંતાનો ઉપર દયા દાખવી તેમને હાથવણાટનો હુન્નર બતાવ્યો હતો.
હાથ વણાટનાં હુન્નરનો ઉપયોગ કરી ક્ષત્રિયો દ્વારા સૌથી પહેલા 9 દિવસની મહેનત બાદ એક ચૂંદડી બનાવાઇ હતી. જે ચૂંદડી શ્રાવણ વદ ચોથનાં દિવસે સમાજના લોકો દ્વારા માતાજીને ઓઢાડવામાં આવી હતી. ત્યારથી ભરૂચમાં વસતો ક્ષત્રિય (ખત્રી) સમાજ કાજરા ચોથના નામે આ ઉત્સવની ઉજવણી કરે છે.
શ્રાવણ સુદ અગિયારસના દિવસથી સમાજના દરેક ઘરમાં માતાજીના જવારાની સ્થાપના થાય છે. શ્રાવણ વદ ચોથના દિવસે એક બાજટ ઉપર માતાજીને બેસાડી તેમને ચૂંદડી ઓઢાડવામાં આવે છે. કાજરાનું પ્રતિક લઇને સૌ જ્ઞાતિજનો શહેરનાં સિંધવાઇ માતાના મંદિરે જાય છે. જયાં હોમ, હવન અને પૂજા કરાઇ છે. જે બાદ કાજરાના પ્રતિકને સિંધવાઇ માતાના ચોકમાં માતાજીના બાજટને માથે બેસાડી રમાડવામાં આવે છે.
કોરોના કાળમાં આ વર્ષે પણ કાજરા ચોથનો ઉત્સવ સાદગીથી મનાવવામાં આવશે. સેવાશ્રમ રોડ સ્થિત સિંધવાઇ માતાજીના મંદિરેથી હિંગળાજ માતાનો વરઘોડો ગુરૂવારે પરંપરા મુજબ નહિ નીકળે. કાજરાનાં પ્રતિકને કબીરપુરા, ખત્રીવાડમાં દરેક સમાજના ઘરે નમન કરાવવામાં આવશે. છેલ્લે બરાનપુરા ખત્રીવાડમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે કાજરાને વિદાય આપી નર્મદા નદીમાં વિસર્જન કરાશે.