કસક ગરનાળુ બંધ થતાં રોજના સરેરાસ 12,000 વાહન ચાલકોને 5 કી.મી ફેરો થશે
નર્મદા મૈયા બ્રિજની કામગીરીને લઈ 21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી સુધી વાહનચાલકોની સલામતી માટે કલેકટરે જારી કર્યું જાહેરનામું
કસકથી સ્ટેશન અવરજવર માટે તમામ વાહનોએ ભૃગુઋષી ફ્લાયઓવરનો કરવો પડશે ઉપયોગ
મહિનો ભૃગુઋષિ ફ્લાયઓવર પર ટ્રાફિક ડાયવર્ટ થતા ચક્કજમના દ્રશ્યો સર્જાશે
WatchGujarat ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજને સમાંતર નર્મદા મૈયા ચારમાર્ગીય બ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે. ભરૂચ તરફના વાયડકટ પોર્શનના ડાઉનરેમ્પની કામગીરી પ્રગતિમાં હોય , જેમાં પાઈપ ફાઉન્ડેશનનું કામ કસક નાળાની મધ્યમાં શરૂ કરવાનું થાય છે .
કસક નાળું કે જેની નીચેથી વધુ પ્રમાણમાં વાહનોની અવર - જવર રહેતી હોય ટ્રાફિકની સમસ્યા અને કોઈ જાન હાનિ ન થાય તે હેતુસર સદર રસ્તાને ભારે મોટા વાહનો જેવા કે બસ , ટ્રક , ટ્રેલર તથા અન્ય નાના - મોટા વાહનો વિગેરે માટે બંધ કરવાની જરૂર જણાતી હોય તથા આ કામગીરી સંભવિત એક માસ સુધી ચાલનાર છે . તેમ કાર્યપાલક ઈજનેર ( મા × મ ) ભરૂચએ જણાવેલ છે. જે અન્વયે પોલીસ અધિક્ષકના પત્રથી જરૂરી અભિપ્રાય આપી રૂટ ડાયવર્ઝન અપાયેલ છે. #કસક ગરનાળુ
ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. એમ.ડી.મોડીયા એ ગુજરાત પોલીસ અધિનિયમ , 1951 ની કલમ -33 ( 1 ) ( બી ) અન્વયે મળેલ સત્તાની રૂ એ 21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી દિન -૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસકનાળાને ભારે વાહનો જેવા કે બસ , ટ્રક , ટ્રેલર , તથા અન્ય નાના - મોટા વાહનો વિગેરે માટે બંધ કરવા હુકમ કર્યો છે. #કસક ગરનાળુ
કસક રેલવે ગરનાળુ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. 30 દિવસ માટે કસક રેલવે ગરનાળુ બંધ થતાં 12000 થી વધુ વાહનોએ ભરૂચ રેલવે સ્ટેશનથી કસક કે કસક થી રેલવે સ્ટેશન જવા માટે 5 કિલોમીટર જેટલો ફેરાવો ફરવો પડશે. સાથે જ તમામ પૂર્વ-પશ્ચિમ ભરૂચનું ટ્રાફિક ભારણ ભૃગુ ઋષિ ભોલાવ ફ્લાય ઓવર પર આવતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે.
ડાયર્વઝન રૂટ
કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ જતાં વાહનો - કસક સર્કલ થઈ શીતલ સર્કલ થી કોલેજ રોડ થઈ ( ભૃગુ ઋષિ ) ભોલાવ ઓવર બ્રીજ થી પોલીટેકનીક સ્કુલ થી રટેશન ત ૨ ફ જઈ શકાશે.
એવી જ રીતે સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ આવતાં વાહનોની અવર - જવર બંધ થતાં- સ્ટેશન સર્કલથી ગોદી રોડ થઈ પોલીટેકનીક સ્કુલ થી ભૃગુઋષિ ભોલાવ ઓવર બ્રીજ થઈ શીતલ સર્કલ થી કસક સર્કલ તરફ અવર - જવર કરી શકાશે. જાહેરનામામાંથી એબ્યુલન્સ વાનને મકિત આપવામાં આવી છે.
More #કસક ગરનાળુ #ડાયર્વઝન #ભરૂચ #WatchGujarat
નર્મદા મૈયા બ્રિજની કામગીરીને લઈ 21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી સુધી વાહનચાલકોની સલામતી માટે કલેકટરે જારી કર્યું જાહેરનામું
કસકથી સ્ટેશન અવરજવર માટે તમામ વાહનોએ ભૃગુઋષી ફ્લાયઓવરનો કરવો પડશે ઉપયોગ
મહિનો ભૃગુઋષિ ફ્લાયઓવર પર ટ્રાફિક ડાયવર્ટ થતા ચક્કજમના દ્રશ્યો સર્જાશે
WatchGujarat ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રીજને સમાંતર નર્મદા મૈયા ચારમાર્ગીય બ્રીજની કામગીરી હાલ ચાલી રહી છે. ભરૂચ તરફના વાયડકટ પોર્શનના ડાઉનરેમ્પની કામગીરી પ્રગતિમાં હોય , જેમાં પાઈપ ફાઉન્ડેશનનું કામ કસક નાળાની મધ્યમાં શરૂ કરવાનું થાય છે .
કસક નાળું કે જેની નીચેથી વધુ પ્રમાણમાં વાહનોની અવર - જવર રહેતી હોય ટ્રાફિકની સમસ્યા અને કોઈ જાન હાનિ ન થાય તે હેતુસર સદર રસ્તાને ભારે મોટા વાહનો જેવા કે બસ , ટ્રક , ટ્રેલર તથા અન્ય નાના - મોટા વાહનો વિગેરે માટે બંધ કરવાની જરૂર જણાતી હોય તથા આ કામગીરી સંભવિત એક માસ સુધી ચાલનાર છે . તેમ કાર્યપાલક ઈજનેર ( મા × મ ) ભરૂચએ જણાવેલ છે. જે અન્વયે પોલીસ અધિક્ષકના પત્રથી જરૂરી અભિપ્રાય આપી રૂટ ડાયવર્ઝન અપાયેલ છે. #કસક ગરનાળુ
ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. એમ.ડી.મોડીયા એ ગુજરાત પોલીસ અધિનિયમ , 1951 ની કલમ -33 ( 1 ) ( બી ) અન્વયે મળેલ સત્તાની રૂ એ 21 ડિસેમ્બરથી 19 જાન્યુઆરી દિન -૩૦ માટે જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે કસકનાળાને ભારે વાહનો જેવા કે બસ , ટ્રક , ટ્રેલર , તથા અન્ય નાના - મોટા વાહનો વિગેરે માટે બંધ કરવા હુકમ કર્યો છે. #કસક ગરનાળુ
કસક રેલવે ગરનાળુ બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહનોના ટ્રાફીકને ડાયવર્ટ કરેલ રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. 30 દિવસ માટે કસક રેલવે ગરનાળુ બંધ થતાં 12000 થી વધુ વાહનોએ ભરૂચ રેલવે સ્ટેશનથી કસક કે કસક થી રેલવે સ્ટેશન જવા માટે 5 કિલોમીટર જેટલો ફેરાવો ફરવો પડશે. સાથે જ તમામ પૂર્વ-પશ્ચિમ ભરૂચનું ટ્રાફિક ભારણ ભૃગુ ઋષિ ભોલાવ ફ્લાય ઓવર પર આવતા ટ્રાફિકજામની સમસ્યા સર્જાશે.
ડાયર્વઝન રૂટ
કસક સર્કલથી સ્ટેશન સર્કલ તરફ જતાં વાહનો - કસક સર્કલ થઈ શીતલ સર્કલ થી કોલેજ રોડ થઈ ( ભૃગુ ઋષિ ) ભોલાવ ઓવર બ્રીજ થી પોલીટેકનીક સ્કુલ થી રટેશન ત ૨ ફ જઈ શકાશે.
એવી જ રીતે સ્ટેશન સર્કલ તરફથી કસક સર્કલ તરફ આવતાં વાહનોની અવર - જવર બંધ થતાં- સ્ટેશન સર્કલથી ગોદી રોડ થઈ પોલીટેકનીક સ્કુલ થી ભૃગુઋષિ ભોલાવ ઓવર બ્રીજ થઈ શીતલ સર્કલ થી કસક સર્કલ તરફ અવર - જવર કરી શકાશે. જાહેરનામામાંથી એબ્યુલન્સ વાનને મકિત આપવામાં આવી છે.