WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી કોના નેતૃત્વ હેઠળ લડાશે તેને લઈને અનેક નામો ચર્ચામાં છે. બીજી તરફ ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કરેલું નિવેદન કે, “આગામી ચૂંટણી વિજય રૂપાણી અને નીતિન પટલના નેતૃત્વમાં લડાશે” ખોટું પડ્યું છે. સીઆર પાટીલ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ છે કે, શું પાટીલ ખોટા પડ્યા કે તેમને આવનારા પરિવર્તન વિશે ખબર ન હતી?
હકીકતમાં ગત મહિને 75માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે પાર્ટીના કાર્યકર્તાઓની હાજરીમાં સીઆર પાટીલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો થઈ રહી હતી. આ અટકળોનો છેદ ઉડાડતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેને માત્ર અફવા ગણાવી હતી. પાટીલે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ખૂબ જ સારું કામ થયું છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી કોના નેતૃત્વમાં લડાશે? BJP પ્રદેશ અધ્યક્ષ પાટીલનું મોટું નિવેદન
ગુજરાતના 16માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ઓગસ્ટે મુખ્યમંત્રી પદ પર 5 વર્ષ પૂરા કર્યાં હતા. તેઓ 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનારા રાજ્યના ચોથા નેતા બની ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ 4610 દિવસ સુધી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદે રહ્યાં. બીજા નંબરે હિતેન્દ્ર દેસાઈ 2062 દિવસ અને પછી માધવસિંહ સોલંકી 2049 દિવસ સુધી મુખ્યમંત્રી પદ ઉપર રહ્યાં હતા.
નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. જે બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે પાછળથી આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને તેમની જગ્યાએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જેમણે આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.
WatchGujarat. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીએ આજે અચાનક રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી કોના નેતૃત્વ હેઠળ લડાશે તેને લઈને અનેક નામો ચર્ચામાં છે. બીજી તરફ ગુજરાત ભાજપના પ્રમુખ સીઆર પાટીલે કરેલું નિવેદન કે, “આગામી ચૂંટણી વિજય રૂપાણી અને નીતિન પટલના નેતૃત્વમાં લડાશે” ખોટું પડ્યું છે. સીઆર પાટીલ દ્વારા આપવામાં આવેલા આ નિવેદનના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં રાજ્યમાં નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે, ત્યારે પ્રશ્ન એ છે કે, શું પાટીલ ખોટા પડ્યા કે તેમને આવનારા પરિવર્તન વિશે ખબર ન હતી?
હકીકતમાં ગત મહિને 75માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય “કમલમ” ખાતે પાર્ટીના કાર્યકર્તાઓની હાજરીમાં સીઆર પાટીલે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો થઈ રહી હતી. આ અટકળોનો છેદ ઉડાડતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે તેને માત્ર અફવા ગણાવી હતી. પાટીલે વધુમાં જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ખૂબ જ સારું કામ થયું છે. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડવામાં આવશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી કોના નેતૃત્વમાં લડાશે? BJP પ્રદેશ અધ્યક્ષ પાટીલનું મોટું નિવેદન
ગુજરાતના 16માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 7 ઓગસ્ટે મુખ્યમંત્રી પદ પર 5 વર્ષ પૂરા કર્યાં હતા. તેઓ 5 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેનારા રાજ્યના ચોથા નેતા બની ગયા છે. ગુજરાતમાં સૌથી વધુ 4610 દિવસ સુધી નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પદે રહ્યાં. બીજા નંબરે હિતેન્દ્ર દેસાઈ 2062 દિવસ અને પછી માધવસિંહ સોલંકી 2049 દિવસ સુધી મુખ્યમંત્રી પદ ઉપર રહ્યાં હતા.
નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બન્યા બાદ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધુ હતું. જે બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જો કે પાછળથી આનંદીબેન પટેલને રાજ્યપાલ બનાવવામાં આવ્યા અને તેમની જગ્યાએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. જેમણે આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે.