સત્ર ટુંકાવાની કોઇ વાત નથી, હવે ફક્ત 4 દિવસ બાકી રહ્યાં છે. બાકી બીલો પાસ થશે – સી.એમ રૂપાણી
રાજ્યના ચાર મહાનગરોમાં કેસોની સંખ્યા વધી છે
સરકાર ત્રણ “T” ની થિયરી ઉપર આગાળ વધી રહીં છે.
કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે પણ મૃત્યુ આંક કંટ્રોલમાં છે - સી.એમ રૂપાણી
WatchGujarat. દેશ અને રાજ્યામાં કોરોનાના વ્યાપ વધી રહ્યો છે જે વાતને રાજ્યના મુખ્યમંત્રીએ સ્વીકરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાના કેસો વધ્યા છે. પરંતુ પેનિક થવાની જરૂર નથી, સરકાર ત્રણ “T”ની થિયરી ઉપર આગળ વધી રહીં છે. ગુજરાતમાં હજુ એક અઠવાડિયુ કોરોનાના કેસો વધશે ત્યારબાદ ઘટાડો થશે તેવી અમારી ધારણા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમણ વધવા પાછળ ચૂંટણીનો માહોલ કે રાજકીય મેળાવડાં જવાબદાર નહીં હોવાનો મત વ્યક્ત કરનાર મુખ્યમંત્રી ગત મહાશિવરાત્રિના રોજ વડોદરામાં મંત્રી યોગેશ પટેલ દ્વારા કાઢવામાં આવેલી શિવ પરિવાર યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, શિવ પરિવાર યાત્રામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ એકઠું થયેલું નિહાળીને મુખ્યમંત્રી શિવજીને પુષ્પાંજલી અર્પણ કરવા પણ રોકાયા નહોતાં.
રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાનું હાલ ચાલી રહેલું અંદાજપત્ર સત્ર ટુંકાવવાની કોઇ જ વાત નથી. ગૃહના કામકાજના હવે ચાર દિવસ જ બાકી રહ્યાં છે અને ગૃહ નિર્ધારીત સમય મુજબ તા. 1 એપ્રિલે જ પૂર્ણ થશે. વિધાનસભાના કામકાજમાં હવે આવતીકાલથી હોળી-ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા છે. ત્યાર પછી જ્યારે ગૃહ મળશે ત્યારે બજેટ સત્રના નાણાંકીય બિલો સહિત અન્ય કાયદાકીય બિલ્સ જે બાકી છે તે પણ ગૃહમાં રજૂ થશે. વિધાનસભા સત્ર તા.1 એપ્રિલ-2021 સુધી ચાલશે જ અને સત્ર ટુંકાવવામાં આવવાનું નથી તેમ તેમણે નિવેદન આપતા પત્રકારોને જણાવ્યું હતું.
https://youtu.be/I1ybIoItHGc
રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. ટેસ્ટિંગની સંખ્યા રોજના ૩ લાખ સુધી લઇ જવાના નિર્ધારમાં અત્યારે સવા બે લાખ જેટલું ટેસ્ટિંગ થાય છે. એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી 104 ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પ્ણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના 70 ટકા બેડ ખાલી છે.
4 મહાનગરોમાં કોરોના સંક્રમણ કેસ વધુ છે એટલે ત્યાં ફોકસ કરીને સરકાર આગળ વધે છે. આ એક સાયકલ છે એટલે હજુ અઠવાડિયું કેસ વધશે પછી ડાઉન ટ્રેન્ડ આવશે. રૂપાણીએ જણાવ્યું કે, કોરોના અનપ્રેડીકટેબલ છે પરંતુ કોઇએ ગભરાવાની કે ઉચાટ કરવાની જરૂર નથી. સરકાર બધા જ આવશ્યક પગલાં અને ઉપાયો કરી રહી છે. કોરોના સંક્રમણથી બચવાના બે મુખ્ય ઉપાય ફરજીયાત માસ્ક અને વેકસીનેશન છે. એટલે સૌ નાગરિકો માસ્ક અવશ્ય પહેરે અને વેકસીન પણ લઇને કોરોનાથી બચે તેવી અપિલ પણ તેમણે કરી હતી.
સત્ર ટુંકાવાની કોઇ વાત નથી, હવે ફક્ત 4 દિવસ બાકી રહ્યાં છે. બાકી બીલો પાસ થશે – સી.એમ રૂપાણી
રાજ્યના ચાર મહાનગરોમાં કેસોની સંખ્યા વધી છે
સરકાર ત્રણ “T” ની થિયરી ઉપર આગાળ વધી રહીં છે.
કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે પણ મૃત્યુ આંક કંટ્રોલમાં છે - સી.એમ રૂપાણી
WatchGujarat. દેશ અને રાજ્યામાં કોરોનાના વ્યાપ વધી રહ્યો છે જે વાતને રાજ્યના મુખ્યમંત્રીએ સ્વીકરી છે. તેમણે કહ્યું છે કે, રાજ્યના ચાર મહાનગરોમાં કોરોનાના કેસો વધ્યા છે. પરંતુ પેનિક થવાની જરૂર નથી, સરકાર ત્રણ “T”ની થિયરી ઉપર આગળ વધી રહીં છે. ગુજરાતમાં હજુ એક અઠવાડિયુ કોરોનાના કેસો વધશે ત્યારબાદ ઘટાડો થશે તેવી અમારી ધારણા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમણ વધવા પાછળ ચૂંટણીનો માહોલ કે રાજકીય મેળાવડાં જવાબદાર નહીં હોવાનો મત વ્યક્ત કરનાર મુખ્યમંત્રી ગત મહાશિવરાત્રિના રોજ વડોદરામાં મંત્રી યોગેશ પટેલ દ્વારા કાઢવામાં આવેલી શિવ પરિવાર યાત્રા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે, શિવ પરિવાર યાત્રામાં મોટી સંખ્યામાં માનવમહેરામણ એકઠું થયેલું નિહાળીને મુખ્યમંત્રી શિવજીને પુષ્પાંજલી અર્પણ કરવા પણ રોકાયા નહોતાં.
રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ગુજરાત વિધાનસભાનું હાલ ચાલી રહેલું અંદાજપત્ર સત્ર ટુંકાવવાની કોઇ જ વાત નથી. ગૃહના કામકાજના હવે ચાર દિવસ જ બાકી રહ્યાં છે અને ગૃહ નિર્ધારીત સમય મુજબ તા. 1 એપ્રિલે જ પૂર્ણ થશે. વિધાનસભાના કામકાજમાં હવે આવતીકાલથી હોળી-ધૂળેટીના તહેવારની ત્રણ દિવસની રજા છે. ત્યાર પછી જ્યારે ગૃહ મળશે ત્યારે બજેટ સત્રના નાણાંકીય બિલો સહિત અન્ય કાયદાકીય બિલ્સ જે બાકી છે તે પણ ગૃહમાં રજૂ થશે. વિધાનસભા સત્ર તા.1 એપ્રિલ-2021 સુધી ચાલશે જ અને સત્ર ટુંકાવવામાં આવવાનું નથી તેમ તેમણે નિવેદન આપતા પત્રકારોને જણાવ્યું હતું.
રૂપાણીએ જણાવ્યું છે કે સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ વધ્યું છે ત્યારે ગુજરાતમાં કોરોના સંક્રમણના વધતા જતા વ્યાપ સામે રાજ્ય સરકાર સંપૂર્ણ સજાગતા સાથે ત્રણ ‘T’ ની સ્ટ્રેટેજી અપનાવી આગળ વધી રહી છે. આ સંદર્ભમાં કહ્યું કે, કોરોના સંક્રમણને અટકાવવા ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રિટમેન્ટ એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખી સરકારે રણનીતિ ઘડી છે.રાજ્યના તમામ સરકારી કર્મચારીઓને વયજૂથના બાધ વિના એટલે કે કોઇ પણ એઇજ ગૃપના હોય તેમને ફ્રંન્ટ લાઇન કોરોના વોરિયર્સ ગણીને એમનું રસીકરણ કરવામાં આવશે.
તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર કોરોના સામે પૂરી સજ્જતાથી પેશ આવી છે. ટેસ્ટિંગની સંખ્યા રોજના ૩ લાખ સુધી લઇ જવાના નિર્ધારમાં અત્યારે સવા બે લાખ જેટલું ટેસ્ટિંગ થાય છે. એટલું જ નહિ, જ્યાં જરૂર જણાય ત્યાં કન્ટેનમેન્ટ ઝોન પણ વધારી રહ્યા છીએ. ઝડપથી 104 ફિવર હેલ્પલાઇન, ધનવંતરિ રથ, સંજીવની રથ મારફતે ટ્રીટમેન્ટ વ્યવસ્થાઓ પ્ણ ઊભી કરી દેવાઇ છે. રાજ્યની હોસ્પિટલોના 70 ટકા બેડ ખાલી છે.
4 મહાનગરોમાં કોરોના સંક્રમણ કેસ વધુ છે એટલે ત્યાં ફોકસ કરીને સરકાર આગળ વધે છે. આ એક સાયકલ છે એટલે હજુ અઠવાડિયું કેસ વધશે પછી ડાઉન ટ્રેન્ડ આવશે. રૂપાણીએ જણાવ્યું કે, કોરોના અનપ્રેડીકટેબલ છે પરંતુ કોઇએ ગભરાવાની કે ઉચાટ કરવાની જરૂર નથી. સરકાર બધા જ આવશ્યક પગલાં અને ઉપાયો કરી રહી છે. કોરોના સંક્રમણથી બચવાના બે મુખ્ય ઉપાય ફરજીયાત માસ્ક અને વેકસીનેશન છે. એટલે સૌ નાગરિકો માસ્ક અવશ્ય પહેરે અને વેકસીન પણ લઇને કોરોનાથી બચે તેવી અપિલ પણ તેમણે કરી હતી.