એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનના ખેડૂતો જેટલું વળતર મેળવવા ખેડૂતોમાં સળવળાટ શરૂ
દેરોલ અને ટંકારિયા ગામે ખેડૂતોની મિટિંગમાં અનેક મુદ્દે લડી લેવાનો હુંકાર
2009થી આર્બેટ્રેટરની નિમણૂંક ન થઈ હોવાથી મામલો ગુંચવાયોઃ એડવોકેટ નસીમ કાદરી
જિલ્લાના 15 થી વધુ ગામોની જમીન ગુર્ડ્ઝ ટ્રેનના ત્રીજા અલિયાદા ટ્રેક માટે સંપાદિત થઈ હતી
[caption id="attachment_1397647" align="aligncenter" width="1600"] Bharuch Farmers[/caption]
WatchGujarat. દિલ્હી-મુંબઈ રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે સંપાદિત થયેલી જમીનના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વિરોધનું બ્યૂગલ ફુંક્યું છે. જે આગામી દિવસમાં આંદોલનમાં પરિણમે એવી સ્થિતિનું સર્જન થયું છે. દેરોલ તેમજ ટંકારિયા મુકામે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પીડિત ખેડૂતોએ હાજરી પુરાવીને સંગઠિત હોવાનો મેસેજ આપ્યો છે. જેને કારણે આગામી દિવસોમાં ભરુચ જિલ્લામાં ખેડૂતોનું આંદોલન આકાર લે તેવી સંભાવના નકારી શકાતી નથી.
રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે વર્ષ 2009માં ભરુચ જિલ્લાના દેરોલ, ટંકારિયા, દેહગામ, કુકરવાડા, ઈખર, દયાદરા, મનુબર, ત્રાલસા, ત્રાલસી, દોરા, પીપલીયા, પરિએજ, વાંતરસા, થામ, મહુધલા ગામની હજારો એકર જમીન સંપાદન કરવામાં આવી હતી અને તે સમયે ચો.મીટર દીઠ માત્ર 9થી 60 રુપિયા વળતર ચુકવવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2013 અને 2018માં અનુક્રમે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવતા ફરીથી આ ગામોની જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટમાં જે જમીન સંપાદનમાં લેવાયેલી છે તેના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.
આ સંદર્ભે દેરોલના અગ્રણી અને ભરુચ જિલ્લા સહકારી ક્ષેત્રમાં મજબુત પકડ ધરાવતા મુબારક પટેલની આગેવાની હેઠળ ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 550 પીડિત ખેડૂતો પૈકી 450થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ખેડૂતોને સંબોધતા મુબારક પટેલે જણાવ્યુંકે, દેશના કિસાનને તેમની જમીનનો યોગ્ય વળતર મળવો જ જોઈએ અને એ હક્ક મેળવવા માટે સંગઠિત થઈને આગળ વધવું પડશે. તો દેરોલના જ અગ્રણી એવા રણજિતસિંહ ડાભીએ ખેડૂતોને હાકલ કરતાં જણાવ્યુંકે, ખેડૂત સંગઠિત નથી એટલે યોગ્ય ન્યાયથી આપણે વંચિત રહ્યાં છે. આજનો ખેડૂત ડરી ગયેલો છે પરંતું સંવિધાને આપણને જે અધિકાર આપ્યા છે તેને કાનુની રીતે મેળવવા આપણે લડવું પડશે. આ મિટિંગ માટે ઝાકીર બંગલાવાલાએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી.
બેઠકમાં વિદ્વાન વકીલ નસીમ કાદરીએ ખેડૂતોની જમીન સંપાદન કાયદા તથા પ્રક્રિયાની માહિતી આપતા જણાવ્યુંકે, છેલ્લાં 12 વર્ષ કરતાં વધુ સમયથી સતત ગાંધીનગર ખાતે જમીન સંપાદનના કેસનો નિકાલ કરવા માટે તેઓ લેખિત અને મૌખિત રજુઆત કરતા આવ્યા છે પરંતુ હજુ સુધી આર્બિટ્રેટર (લવાદ)ની નિમણૂંક કરવામાં આવી નથી એ કમનસીબી છે.
તાજેતરમાં જ ભરુચ, સુરત અને વલસાડના પેન્ડિંગ કેસ માટે મુખ્યમંત્રીએ લવાદની નિમણૂંકનો હુકમ કર્યો હતો અને ઝડપથી કેસનો નિકાલ કરવા હુકમ કર્યો હતો તે મુજબ ઝડપથી લવાદની નિમણૂંક થાય તે સરકાર અને પીડિત ખેડૂતોના હિતમાં રહેશે.
એક જ જમીનના બે-ત્રણ ટુકડા
એક પછી એક પ્રોજેક્ટનું અમલીકરણ થતું હોવાથી કેટલાંય ખેડૂતો જમીન વિહોણા બન્યા છે તેમાંયે સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં નહી આવતા કેટલાંય ખેડૂતો હવે ખેડૂત તરીકે યથાવત રહ્યાં નથી અને તેમની પેઢી ખેડૂતમાંથી મટી ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રોજેક્ટનો સૌથી વધુ ભોગ કિસાનો જ બનતા હોવાથી કેટલાંક સંજોગોમાં એવું બન્યું છેકે, એક જ ખેડૂતની જમીનના ત્રણ ટુકડા થયા છે અને ત્રણેય ટુકડા જુદાૃજુદા પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવ્યા છે.
જમીન સુધી પહોંચવા માટે રસ્તો પણ નથી
કેટલાંક સંજોગોમાં એવી રીતે જમીનના ટુકડા થયા છેકે, વચ્ચેથી પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે એટલે કે જમીનના બે કે ત્રણ ટુકડા થયા છે. એક ટુકડામાંથી બીજી ટુકડામાં જવું હોય તો ત્યાં સુધી જવા માટે સત્તાવાર રીતે કોઈ રસ્તો પણ છોડવામાં આવ્યો નથી એમ ખેડૂતોએ જણાવ્યું છે.
એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનના ખેડૂતો જેટલું વળતર મેળવવા ખેડૂતોમાં સળવળાટ શરૂ
દેરોલ અને ટંકારિયા ગામે ખેડૂતોની મિટિંગમાં અનેક મુદ્દે લડી લેવાનો હુંકાર
2009થી આર્બેટ્રેટરની નિમણૂંક ન થઈ હોવાથી મામલો ગુંચવાયોઃ એડવોકેટ નસીમ કાદરી
જિલ્લાના 15 થી વધુ ગામોની જમીન ગુર્ડ્ઝ ટ્રેનના ત્રીજા અલિયાદા ટ્રેક માટે સંપાદિત થઈ હતી
WatchGujarat. દિલ્હી-મુંબઈ રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે સંપાદિત થયેલી જમીનના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વિરોધનું બ્યૂગલ ફુંક્યું છે. જે આગામી દિવસમાં આંદોલનમાં પરિણમે એવી સ્થિતિનું સર્જન થયું છે. દેરોલ તેમજ ટંકારિયા મુકામે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પીડિત ખેડૂતોએ હાજરી પુરાવીને સંગઠિત હોવાનો મેસેજ આપ્યો છે. જેને કારણે આગામી દિવસોમાં ભરુચ જિલ્લામાં ખેડૂતોનું આંદોલન આકાર લે તેવી સંભાવના નકારી શકાતી નથી.
રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે વર્ષ 2009માં ભરુચ જિલ્લાના દેરોલ, ટંકારિયા, દેહગામ, કુકરવાડા, ઈખર, દયાદરા, મનુબર, ત્રાલસા, ત્રાલસી, દોરા, પીપલીયા, પરિએજ, વાંતરસા, થામ, મહુધલા ગામની હજારો એકર જમીન સંપાદન કરવામાં આવી હતી અને તે સમયે ચો.મીટર દીઠ માત્ર 9થી 60 રુપિયા વળતર ચુકવવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2013 અને 2018માં અનુક્રમે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવતા ફરીથી આ ગામોની જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટમાં જે જમીન સંપાદનમાં લેવાયેલી છે તેના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે.
આ સંદર્ભે દેરોલના અગ્રણી અને ભરુચ જિલ્લા સહકારી ક્ષેત્રમાં મજબુત પકડ ધરાવતા મુબારક પટેલની આગેવાની હેઠળ ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 550 પીડિત ખેડૂતો પૈકી 450થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ખેડૂતોને સંબોધતા મુબારક પટેલે જણાવ્યુંકે, દેશના કિસાનને તેમની જમીનનો યોગ્ય વળતર મળવો જ જોઈએ અને એ હક્ક મેળવવા માટે સંગઠિત થઈને આગળ વધવું પડશે. તો દેરોલના જ અગ્રણી એવા રણજિતસિંહ ડાભીએ ખેડૂતોને હાકલ કરતાં જણાવ્યુંકે, ખેડૂત સંગઠિત નથી એટલે યોગ્ય ન્યાયથી આપણે વંચિત રહ્યાં છે. આજનો ખેડૂત ડરી ગયેલો છે પરંતું સંવિધાને આપણને જે અધિકાર આપ્યા છે તેને કાનુની રીતે મેળવવા આપણે લડવું પડશે. આ મિટિંગ માટે ઝાકીર બંગલાવાલાએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી.
બેઠકમાં વિદ્વાન વકીલ નસીમ કાદરીએ ખેડૂતોની જમીન સંપાદન કાયદા તથા પ્રક્રિયાની માહિતી આપતા જણાવ્યુંકે, છેલ્લાં 12 વર્ષ કરતાં વધુ સમયથી સતત ગાંધીનગર ખાતે જમીન સંપાદનના કેસનો નિકાલ કરવા માટે તેઓ લેખિત અને મૌખિત રજુઆત કરતા આવ્યા છે પરંતુ હજુ સુધી આર્બિટ્રેટર (લવાદ)ની નિમણૂંક કરવામાં આવી નથી એ કમનસીબી છે.
તાજેતરમાં જ ભરુચ, સુરત અને વલસાડના પેન્ડિંગ કેસ માટે મુખ્યમંત્રીએ લવાદની નિમણૂંકનો હુકમ કર્યો હતો અને ઝડપથી કેસનો નિકાલ કરવા હુકમ કર્યો હતો તે મુજબ ઝડપથી લવાદની નિમણૂંક થાય તે સરકાર અને પીડિત ખેડૂતોના હિતમાં રહેશે.
એક જ જમીનના બે-ત્રણ ટુકડા
એક પછી એક પ્રોજેક્ટનું અમલીકરણ થતું હોવાથી કેટલાંય ખેડૂતો જમીન વિહોણા બન્યા છે તેમાંયે સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં નહી આવતા કેટલાંય ખેડૂતો હવે ખેડૂત તરીકે યથાવત રહ્યાં નથી અને તેમની પેઢી ખેડૂતમાંથી મટી ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રોજેક્ટનો સૌથી વધુ ભોગ કિસાનો જ બનતા હોવાથી કેટલાંક સંજોગોમાં એવું બન્યું છેકે, એક જ ખેડૂતની જમીનના ત્રણ ટુકડા થયા છે અને ત્રણેય ટુકડા જુદાૃજુદા પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવ્યા છે.
જમીન સુધી પહોંચવા માટે રસ્તો પણ નથી
કેટલાંક સંજોગોમાં એવી રીતે જમીનના ટુકડા થયા છેકે, વચ્ચેથી પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે એટલે કે જમીનના બે કે ત્રણ ટુકડા થયા છે. એક ટુકડામાંથી બીજી ટુકડામાં જવું હોય તો ત્યાં સુધી જવા માટે સત્તાવાર રીતે કોઈ રસ્તો પણ છોડવામાં આવ્યો નથી એમ ખેડૂતોએ જણાવ્યું છે.