WatchGujarat તબીબને દર્દી માટે ભગવાન ગણવામાં આવે છે. પરંતુ, કોરોના કાળમાં સરકારની શાહમૃગ વૃત્તિને કારણે દર્દીઓની યોગ્ય રીતે સારવાર કરવામાં ભારે તકલીફ સહન કરનારા સંનિષ્ઠ તબીબોમાં હવે છુપો રોષ ફાટી નિકળ્યો છે. કોરોના કાળને કમાણી કાળમાં ફેરવનારા મુઠ્ઠીભર તત્વોને કારણે તબીબી વ્યવસાય પર લાંછન લગાડવામાં આવે છે. લોકોનો ભરોસો ડગમગી જાય છે પરંતુ, તબીબ પરનો વિશ્વાસ મજબૂત કરે તેવો પત્ર નવસારીના એક તબીબ દ્વારા લખવામાં આવ્યો છે. જેમાં તેમણે પ્રભુને પ્રાર્થના કરી છે કે "આવો સમય વધારે જોવડાવવાં કરતાં મને પાસે બોલાવી લો" અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમણનો બીજો તબક્કો વધુ ચિંતાજનક બની રહ્યો છે ત્યારે રૂપાણી સરકાર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાના દાવાઓ કરી રહી છે. ત્યારે બીજી તરફ, ગત રોજ અમદાવાદની મહિલા તબીબે રૂપાણી સરકાર પાસે હોસ્પિટલમાં ઓક્સિજન માટે માગણી કરી હતી. તેવામાં આજે બીજા એક તબીબની વેદના સામે આવી છે.
“હું નવસારી (સાઉથ ગુજરાત) ભારત દેશમાં છેલ્લા 40 વર્ષથી પ્રેકટિસ કરૂ છું. છેલ્લા એક વર્ષથી સતત કોરોના પેશન્ટ સાથે જીવું છું. ઓપીડી હોસ્પિટલ દિવસ રાત. મારી જેમ ભારત દેશમાં હજારો ડોક્ટર્સ અને સિસ્ટર્સ અને સંપૂર્ણ સ્ટાફ ખડેપગ સેવા આપી રહ્યાં છે.
હવે હું મારા મનની લાગણી પ્રદર્શિત કરૂ છું, છેલ્લા 15 દિવસથી હું અને મારા જેવા અનેક મિત્રો સ્ટાફના મોં પર થાક, હતાશ, નિરાશા જોઇ રહ્યાં છીએ.
મુંબઇ પર આતંકિ હુમલો થયો ત્યારે, બેલટપ્રુફ જેકેટ, પુરતા હથિયારોનો સ્ટોક ન હોવાથી આપણા જવાનો મૃત્યુ (શહીદ) પામ્યા હતા.
અત્યાર હું સવારે ઘરેથી નિકળુ છું હોસ્પિટલ જવા, હોસ્પિટલમાં પેશન્ટોને મુકવા માટે એક પણ પથારી નથી, ઓક્સિજન (Oxygen) સપ્લાય ખૂબ ઓછો, સિલિન્ડરો મળતા નથી, કોરોના સાથે લડવાના ઇન્જેકશન Remdesivir Injection, Tocilizumab, અતિશય મુશ્કેલીથી મળે છે. પ્રેકટિકલી મળતા જ નથી.
પેશન્ટો એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડે છે. ઓક્સિજન માટે વલખા મારે છે. ઇન્જેક્શન માટે એક શહેરથી બીજા શહેર દોડે છે.
બીજી બાજુ દરેક શહેરમાં દાંડીયાત્રાના અનેક હોર્ડિંગ્સ છે, શહેરના મોભીઓના વર્ષગાંઠ (Birthday)ના મોટા હોર્ડિંગ્સ છે, એક બાજુ નાઇટ કર્ફ્યુ, લોકડાઉન, માસ્ક ના પહેરે તો 1000 રૂપિયાનો દંડ છે. અને એજ દેશમાં લાખો માણોસોની રેલીઓ નેતાઓને સાંભળવા માટે ભેગી થાય છે.
ભારત દેશના બધા જ માણસો લાચાર, હતાશ અને નિરાશ દેખાય છે. રોજ રોજ મારી આંખ સામે માણસોને મરતા જોઇ હું, અને મારા જેવા અનેક સ્વાસ્થ્ય કર્મીઓ હારી ગયા છે.
જીવનમાં જાત સાથે એક કમિટમેન્ટ કર્યું હતુ. છેલ્લા શ્વાસ સુધી એટલીસ્ટ કોરોનાના પેશેન્ટો માટે લડી લઇશ, મોત આવે તો પણ.
આજે હોસ્પિટલમાં પેશન્ટોની સારવાર કરવા તૈયાર છું, પણ ઓક્સિજન, પથારી, દવાઓ અને મારા સ્ટાફના માણસોના મોં પર દેખાતા અતિશય થાક અને લાચારી જોઇ નથી શકતો.
કોઇ આખા દેશના આ પેશન્ટોને મરતા બચાવવા બહાર આવશે ? વધારે પથારીઓ, ઓક્સિજન, સસ્તા ભાવે પુરતા Remdesivir, Tocilizumab ઇન્જેક્શન કોઇક હોસ્પિટલમાં પોસાય એવા ભાવમાં ટ્રીટમેન્ટ કરાવી શકે તેવુ માળખું તૈયાર કરાવશે ?
બાકી હું તો પ્રભુ પાસે ખરા દિલથી પ્રાર્થના કરૂ છું, કે આવો સમય વધારે જોવડાવા કરતા મને પાસે બોલાવી લો, હવે સહન નથી થતું, ઘણાના આંસુઓ મેં લુછ્યાં, મારા આંસુ લુંછવા મારી મદદે કોઇ આવશે ?”
ડો. ઘીરેન બક્ષી
નોંધઃ- આ પત્ર અંગે ડો. ઘીરેન બક્ષીનો watchgujarat.com દ્વારા તેમના ક્લિનક પર સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના સ્ટાફ મેમબર્સે આ પત્ર ડો. ઘીરેન બક્ષીએ ગત રોજ લખ્યો હોવાનુ પુષ્ટી કરી હતી.
WatchGujarat તબીબને દર્દી માટે ભગવાન ગણવામાં આવે છે. પરંતુ, કોરોના કાળમાં સરકારની શાહમૃગ વૃત્તિને કારણે દર્દીઓની યોગ્ય રીતે સારવાર કરવામાં ભારે તકલીફ સહન કરનારા સંનિષ્ઠ તબીબોમાં હવે છુપો રોષ ફાટી નિકળ્યો છે. કોરોના કાળને કમાણી કાળમાં ફેરવનારા મુઠ્ઠીભર તત્વોને કારણે તબીબી વ્યવસાય પર લાંછન લગાડવામાં આવે છે. લોકોનો ભરોસો ડગમગી જાય છે પરંતુ, તબીબ પરનો વિશ્વાસ મજબૂત કરે તેવો પત્ર નવસારીના એક તબીબ દ્વારા લખવામાં આવ્યો છે. જેમાં તેમણે પ્રભુને પ્રાર્થના કરી છે કે "આવો સમય વધારે જોવડાવવાં કરતાં મને પાસે બોલાવી લો" અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના સંક્રમણનો બીજો તબક્કો વધુ ચિંતાજનક બની રહ્યો છે ત્યારે રૂપાણી સરકાર પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાના દાવાઓ કરી રહી છે. ત્યારે બીજી તરફ, ગત રોજ અમદાવાદની મહિલા તબીબે રૂપાણી સરકાર પાસે હોસ્પિટલમાં ઓક્સિજન માટે માગણી કરી હતી. તેવામાં આજે બીજા એક તબીબની વેદના સામે આવી છે.
“હું નવસારી (સાઉથ ગુજરાત) ભારત દેશમાં છેલ્લા 40 વર્ષથી પ્રેકટિસ કરૂ છું. છેલ્લા એક વર્ષથી સતત કોરોના પેશન્ટ સાથે જીવું છું. ઓપીડી હોસ્પિટલ દિવસ રાત. મારી જેમ ભારત દેશમાં હજારો ડોક્ટર્સ અને સિસ્ટર્સ અને સંપૂર્ણ સ્ટાફ ખડેપગ સેવા આપી રહ્યાં છે.
હવે હું મારા મનની લાગણી પ્રદર્શિત કરૂ છું, છેલ્લા 15 દિવસથી હું અને મારા જેવા અનેક મિત્રો સ્ટાફના મોં પર થાક, હતાશ, નિરાશા જોઇ રહ્યાં છીએ.
મુંબઇ પર આતંકિ હુમલો થયો ત્યારે, બેલટપ્રુફ જેકેટ, પુરતા હથિયારોનો સ્ટોક ન હોવાથી આપણા જવાનો મૃત્યુ (શહીદ) પામ્યા હતા.
અત્યાર હું સવારે ઘરેથી નિકળુ છું હોસ્પિટલ જવા, હોસ્પિટલમાં પેશન્ટોને મુકવા માટે એક પણ પથારી નથી, ઓક્સિજન (Oxygen) સપ્લાય ખૂબ ઓછો, સિલિન્ડરો મળતા નથી, કોરોના સાથે લડવાના ઇન્જેકશન Remdesivir Injection, Tocilizumab, અતિશય મુશ્કેલીથી મળે છે. પ્રેકટિકલી મળતા જ નથી.
પેશન્ટો એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ દોડે છે. ઓક્સિજન માટે વલખા મારે છે. ઇન્જેક્શન માટે એક શહેરથી બીજા શહેર દોડે છે.
બીજી બાજુ દરેક શહેરમાં દાંડીયાત્રાના અનેક હોર્ડિંગ્સ છે, શહેરના મોભીઓના વર્ષગાંઠ (Birthday)ના મોટા હોર્ડિંગ્સ છે, એક બાજુ નાઇટ કર્ફ્યુ, લોકડાઉન, માસ્ક ના પહેરે તો 1000 રૂપિયાનો દંડ છે. અને એજ દેશમાં લાખો માણોસોની રેલીઓ નેતાઓને સાંભળવા માટે ભેગી થાય છે.
ભારત દેશના બધા જ માણસો લાચાર, હતાશ અને નિરાશ દેખાય છે. રોજ રોજ મારી આંખ સામે માણસોને મરતા જોઇ હું, અને મારા જેવા અનેક સ્વાસ્થ્ય કર્મીઓ હારી ગયા છે.
જીવનમાં જાત સાથે એક કમિટમેન્ટ કર્યું હતુ. છેલ્લા શ્વાસ સુધી એટલીસ્ટ કોરોનાના પેશેન્ટો માટે લડી લઇશ, મોત આવે તો પણ.
આજે હોસ્પિટલમાં પેશન્ટોની સારવાર કરવા તૈયાર છું, પણ ઓક્સિજન, પથારી, દવાઓ અને મારા સ્ટાફના માણસોના મોં પર દેખાતા અતિશય થાક અને લાચારી જોઇ નથી શકતો.
કોઇ આખા દેશના આ પેશન્ટોને મરતા બચાવવા બહાર આવશે ? વધારે પથારીઓ, ઓક્સિજન, સસ્તા ભાવે પુરતા Remdesivir, Tocilizumab ઇન્જેક્શન કોઇક હોસ્પિટલમાં પોસાય એવા ભાવમાં ટ્રીટમેન્ટ કરાવી શકે તેવુ માળખું તૈયાર કરાવશે ?
બાકી હું તો પ્રભુ પાસે ખરા દિલથી પ્રાર્થના કરૂ છું, કે આવો સમય વધારે જોવડાવા કરતા મને પાસે બોલાવી લો, હવે સહન નથી થતું, ઘણાના આંસુઓ મેં લુછ્યાં, મારા આંસુ લુંછવા મારી મદદે કોઇ આવશે ?”
ડો. ઘીરેન બક્ષી
નોંધઃ-આ પત્ર અંગે ડો. ઘીરેન બક્ષીનો watchgujarat.com દ્વારા તેમના ક્લિનક પર સંપર્ક કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના સ્ટાફ મેમબર્સે આ પત્ર ડો. ઘીરેન બક્ષીએ ગત રોજ લખ્યો હોવાનુ પુષ્ટી કરી હતી.