ગાંધીનગર. ગુજરાતની રૂપાણી સરકારે સ્કૂલ ફીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ભુપેન્દ્ર ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 25 ટકા ફી માફીની મંજૂરી આપી દીધી છે. નોંધપાત્ર છે કે આજની કેબિનેટમાં અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવી છે. રાજ્યની તમામ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે સાથે સાથે કોઈ પણ શિક્ષકને છૂટા નહી કરવામાં આવે તે પણ જાહેરાત કરવામાં આવી છે. નોંધપાત્ર છે કોરોના સંકટમાં વાલીઓ માટે સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે.
25 ટકા ફી માફીની મંજૂરી આપી
રાજયના તમામ વાલીઓની નજર કેબિનેટ બેઠકમાં લેવાનારા સ્કૂલ ફી પર હતી. નોંધપાત્ર છે કે સ્કૂલ ફીને લઈને વાલીઓ સરકારને રજૂઆત કરી ચુક્યા છે. વાલી મંડળોમાં મત મતાંતર હોવાથી પ્રથમ બેઠક બાદ આજે બીજી બેઠક બોલાવાઈ હતી. શિક્ષણમંત્રી સાથે વાલી મંડળોની બીજી મીટિંગ હતી.પરંતુ આ મીટિંગ બાદ મંડળો વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. વાલી મંડળોમાંથી એક વાલી મંડળના સભ્યએ બીજા વાલી મંડળના સભ્ય સામે સરકાર સાથે સેટિંગનો આક્ષેપ કર્યો છે. આજે મીટિંગ બાદ વાલી મંડળના બે ગ્રુપ સામ સામે આવી ગયા હતા અને બંને ગ્રુપના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. સચિવાલયમાં જ બંને ગ્રુપ વચ્ચે ભારે માથાકુટ થઈ હતી અને એક બીજાની સામે ફી ઘટાડવા મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૃ કરી દીધા હતા.
25 ટકા ફીમાં રાહત આપવાની વાત સહમતી સધાઈ
ભૂપેન્દ્રસિંહે કહ્યું શાળાના સંચાલકો 10 ટકા ફી રાહત આપવાની વાત પર જોર આપી રહ્યાં હતા. પરંતુ યોગ્ય સમજાવટ બાદ 25 ટકા ફીમાં રાહત આપવાની વાત પર સહમત થયા છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ, લાયબ્રેરી, કેન્ટીન સહિત અન્ય ફી પણ આપવાની નહીં રહે તેવી જાહેરાત કરી છે. ભુપેન્દ્રસિંહે વધુમાં કહ્યું કે, 25 ટકા ફીની વાત પર સહમતી સધાયા બાદ એક પણ શાળાએ પગારના નામે કોઈ શિક્ષકને છુટા કરવાના નથી. સાથે જ જે વાલીઓએ પહેલાથી જ 100 ટકા ફી ભરી હશે તેમને 25 ટકાની રાહત સાથે તેમની ફી સરભર કરાશે.
ગાંધીનગર. ગુજરાતની રૂપાણી સરકારે સ્કૂલ ફીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ભુપેન્દ્ર ચુડાસમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે 25 ટકા ફી માફીની મંજૂરી આપી દીધી છે. નોંધપાત્ર છે કે આજની કેબિનેટમાં અનલોક મુદે ચર્ચા, ખેડૂતોના ઉભા પાક મુદે ચર્ચા, મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે ચર્ચા, કોરોનાની વકરતી પરિસ્થિતિ તેમજ પેટા ચૂંટણીને લઈને ચર્ચા કરવામા આવી છે. રાજ્યની તમામ સ્કૂલોને આ નિયમ લાગુ પડશે સાથે સાથે કોઈ પણ શિક્ષકને છૂટા નહી કરવામાં આવે તે પણ જાહેરાત કરવામાં આવી છે. નોંધપાત્ર છે કોરોના સંકટમાં વાલીઓ માટે સૌથી રાહતના સમાચાર સામે આવ્યા છે.
25 ટકા ફી માફીની મંજૂરી આપી
રાજયના તમામ વાલીઓની નજર કેબિનેટ બેઠકમાં લેવાનારા સ્કૂલ ફી પર હતી. નોંધપાત્ર છે કે સ્કૂલ ફીને લઈને વાલીઓ સરકારને રજૂઆત કરી ચુક્યા છે. વાલી મંડળોમાં મત મતાંતર હોવાથી પ્રથમ બેઠક બાદ આજે બીજી બેઠક બોલાવાઈ હતી. શિક્ષણમંત્રી સાથે વાલી મંડળોની બીજી મીટિંગ હતી.પરંતુ આ મીટિંગ બાદ મંડળો વચ્ચે આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. વાલી મંડળોમાંથી એક વાલી મંડળના સભ્યએ બીજા વાલી મંડળના સભ્ય સામે સરકાર સાથે સેટિંગનો આક્ષેપ કર્યો છે. આજે મીટિંગ બાદ વાલી મંડળના બે ગ્રુપ સામ સામે આવી ગયા હતા અને બંને ગ્રુપના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હતી. સચિવાલયમાં જ બંને ગ્રુપ વચ્ચે ભારે માથાકુટ થઈ હતી અને એક બીજાની સામે ફી ઘટાડવા મુદ્દે આક્ષેપ પ્રતિ આક્ષેપો શરૃ કરી દીધા હતા.
25 ટકા ફીમાં રાહત આપવાની વાત સહમતી સધાઈ
ભૂપેન્દ્રસિંહે કહ્યું શાળાના સંચાલકો 10 ટકા ફી રાહત આપવાની વાત પર જોર આપી રહ્યાં હતા. પરંતુ યોગ્ય સમજાવટ બાદ 25 ટકા ફીમાં રાહત આપવાની વાત પર સહમત થયા છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ, લાયબ્રેરી, કેન્ટીન સહિત અન્ય ફી પણ આપવાની નહીં રહે તેવી જાહેરાત કરી છે. ભુપેન્દ્રસિંહે વધુમાં કહ્યું કે, 25 ટકા ફીની વાત પર સહમતી સધાયા બાદ એક પણ શાળાએ પગારના નામે કોઈ શિક્ષકને છુટા કરવાના નથી. સાથે જ જે વાલીઓએ પહેલાથી જ 100 ટકા ફી ભરી હશે તેમને 25 ટકાની રાહત સાથે તેમની ફી સરભર કરાશે.