કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે ખેલૈયાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
દરેક વ્યક્તિએ ગરબા રમવા રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તેવો ગુજરાત સરકારનો આદેશ
ગત રોજ સુધીમાં વડોદરાના 74 ટકા લોકોને વેક્સીન અપાઈ, આટલા જ લોકો ગરબા રમી શકશે-ડૉ. રાજેશ શાહ
નવરાત્રી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું સ્વૈચ્છીક પાલન કરવું જોઈએ
WatchGujarat. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત રોજ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની ઉજવણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી સમયમાં તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે. ખેલૈયાઓને અતિ પ્રિય એવો તહેવાર નવરાત્રિ સામે છે. ત્યારે ગુજરાત સરકાર કોવિડ-19 મહામારીમાં કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. જેના સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગે ખેલૈયાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તો જ ગરબા રમવા મળશે તેવું ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા દરેક વ્યક્તિએ ગરબા રમવા રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તેવો આદેશ કરાયો છે. જે અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ શાહના જણાવ્યા પ્રમાણે, વડોદરાની જનસંખ્યમાંથી માત્ર 74 ટકા લોકો એવા છે જે ગરબા રમી શકે છે. કારણ કે ગત રોજ સુધીમાં વડોદરાના 74 ટકા લોકોને વેક્સીન અપાઈ છે. જેથી બાકી રહી ગયા છે તે લોકો જલ્દી વેક્સીન લઈ લે તે જરૂરી છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું સ્વૈચ્છીક પાલન કરવું જોઈએ. જેથી સરકારના આદેશાનુસાર લોકોએ કોરોના રસીના બન્ને ડોઝ લેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગત રોજ લેવાયેલા નિર્ણયોમાં સરકારે માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. ત્યારે નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે તમામ કોરોના ગાઈડલાઈનનું સ્વૈચ્છીકપણે પાલન કરીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરફયુમાં છૂટછાટ આપવામાં આવી છે. જે મુજબ તા.25/9/2021ના રાત્રિના 12 કલાકથી તા.10/10/2021 સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. જ્યારે રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12 થી 6 વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.
- કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રાજ્યના ગૃહ વિભાગે ખેલૈયાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો
- દરેક વ્યક્તિએ ગરબા રમવા રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તેવો ગુજરાત સરકારનો આદેશ
- ગત રોજ સુધીમાં વડોદરાના 74 ટકા લોકોને વેક્સીન અપાઈ, આટલા જ લોકો ગરબા રમી શકશે-ડૉ. રાજેશ શાહ
- નવરાત્રી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું સ્વૈચ્છીક પાલન કરવું જોઈએ
WatchGujarat. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ગત રોજ રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ તહેવારો તેમજ લગ્ન પ્રસંગોની ઉજવણીને લઈને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો છે. ગુજરાતમાં આગામી સમયમાં તહેવારોની સીઝન શરૂ થવા જઈ રહી છે. ખેલૈયાઓને અતિ પ્રિય એવો તહેવાર નવરાત્રિ સામે છે. ત્યારે ગુજરાત સરકાર કોવિડ-19 મહામારીમાં કોઈ જોખમ ઉઠાવવા માંગતી નથી. જેના સંદર્ભમાં રાજ્યના ગૃહ વિભાગે ખેલૈયાઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા કોરોના રસીના બે ડોઝ લેવા ફરજિયાત કરાયા છે. દરેક વ્યક્તિએ રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તો જ ગરબા રમવા મળશે તેવું ગૃહ વિભાગે સત્તાવાર જાહેરનામામાં ઉલ્લેખ કર્યો છે.
રાજ્ય સરકાર દ્વારા દરેક વ્યક્તિએ ગરબા રમવા રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ તેવો આદેશ કરાયો છે. જે અંતર્ગત વડોદરા મહાનગર પાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન ડૉ. રાજેશ શાહના જણાવ્યા પ્રમાણે, વડોદરાની જનસંખ્યમાંથી માત્ર 74 ટકા લોકો એવા છે જે ગરબા રમી શકે છે. કારણ કે ગત રોજ સુધીમાં વડોદરાના 74 ટકા લોકોને વેક્સીન અપાઈ છે. જેથી બાકી રહી ગયા છે તે લોકો જલ્દી વેક્સીન લઈ લે તે જરૂરી છે. મહત્વનું છે કે નવરાત્રી દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું સ્વૈચ્છીક પાલન કરવું જોઈએ. જેથી સરકારના આદેશાનુસાર લોકોએ કોરોના રસીના બન્ને ડોઝ લેવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે ગત રોજ લેવાયેલા નિર્ણયોમાં સરકારે માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના ગરબા, દુર્ગાપૂજા, વિજ્યાદશમી ઉત્સવ, શરદપૂર્ણિમા ઉત્સવ જેવા આયોજનો 400 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાની છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે લગ્ન પ્રસંગોમાં અગાઉ 150 વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે 400 વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારા દરેક વ્યક્તિએ કોરોના વેકસીનના બે ડોઝ લીધા હોય તે હિતાવહ રહેશે. ત્યારે નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે તમામ કોરોના ગાઈડલાઈનનું સ્વૈચ્છીકપણે પાલન કરીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે યોજેલી મહત્વપૂર્ણ બેઠકમાં લેવાયેલા નિર્ણયો અનુસાર રાજ્યના 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં રાત્રિ કરફયુમાં છૂટછાટ આપવામાં આવી છે. જે મુજબ તા.25/9/2021ના રાત્રિના 12 કલાકથી તા.10/10/2021 સવારે 6 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કરફયુ અમલમાં રહેશે. જ્યારે રાત્રિ કરફયુની સમય મર્યાદા અત્યારે રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીની છે તેમાં એક કલાકનો ઘટાડો કરીને હવે રાત્રિના 12 થી 6 વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.