સગીરવયની દિકરી મચ્છુન્દ્રી નદીના કાંઠે વાસણ ધોતી હતી
નદીના પાણીમાંથી અચાનક મગર આવી ચઢી બાળકી પર હુમલો કરી નદીના ઉંડા પાણીમાં ઢસળી ગયો
ગીરગઢડા. ગીર જંગલમાં આવેલ પોપટડી નેસ વિસ્તારમાં રહેતા માલધારીની સગીરવયની દિકરી મચ્છુન્દ્રી નદીના કાંઠે વાસણ ધોતી હતી. ત્યારે નદીના પાણીમાંથી અચાનક મગર આવી ચઢી બાળકી પર હુમલો કરી નદીના ઉંડા પાણીમાં ઢસળી લઇ જતાં પાણીમાં બાળકીનું મોત નિપજ્યુ હતું. આ ધટનાને પગલે નેસ વિસ્તારમાં અરેરાટી ફેલાયેલ હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગીરનાં પોપટડી નેસ વિસ્તારમાં આઠ જેટલા માલધારીઓનો પરીવાર વસવાટ કરે છે. જેમાં માલધારી ભાભલુભાઇ વાધની દિકરી હિરલ ભાભલુભાઇ વાધ ઉ.વ.16 મચ્છુન્દ્રી નદીના કાંઠે વાસણ ધોતી હતી. દરમિયાન નદીનાં પાણીમાંથી અચાનક મગરે બાળકી પર હુમલો કરી દેતા બાળકીએ બૂમાબૂમ કરી હતી. પરંતુ મગરે મુખમાં બાળકીનો હાથ જકડી નદીના ઉંડા પાણીમાં ઢસળી લઇ ગયો હતો. જો કે આજુબાજુમાં નદી કાંઠે મહીલા કપડા ધોતી હોય તેની નજર પડતા તાત્કાલીક તેમના પરીવારજનોને જાણ કરી હતી.
આ બનાવ અંગે વનવિભાગને જાણ કરતા ફોરેસ્ટ અધિકારી એમ જે બાંભણીયા, એચ વી સોલંકી, પી ડી વાધેલા સહીતનો સ્ટાફ અને તરવૈતાઓ તાત્કાલીક ધટના સ્થળે દોડી ગયા હતા અને નદીના પાણીમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી. અને પાંચ કલાકની જહેમત બાદ નદીના પાણીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને ગીરગઢડા સરકારી હોસ્પીટલે પી એમ માટે મોકલી અપાયો છે. જો કે આ ઘટનાથી નેસ વિસ્તારના માલધારી પરીવારમાં ઘેરો શોક છવાયો છે.
સગીરવયની દિકરી મચ્છુન્દ્રી નદીના કાંઠે વાસણ ધોતી હતી
નદીના પાણીમાંથી અચાનક મગર આવી ચઢી બાળકી પર હુમલો કરી નદીના ઉંડા પાણીમાં ઢસળી ગયો
ગીરગઢડા. ગીર જંગલમાં આવેલ પોપટડી નેસ વિસ્તારમાં રહેતા માલધારીની સગીરવયની દિકરી મચ્છુન્દ્રી નદીના કાંઠે વાસણ ધોતી હતી. ત્યારે નદીના પાણીમાંથી અચાનક મગર આવી ચઢી બાળકી પર હુમલો કરી નદીના ઉંડા પાણીમાં ઢસળી લઇ જતાં પાણીમાં બાળકીનું મોત નિપજ્યુ હતું. આ ધટનાને પગલે નેસ વિસ્તારમાં અરેરાટી ફેલાયેલ હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગીરનાં પોપટડી નેસ વિસ્તારમાં આઠ જેટલા માલધારીઓનો પરીવાર વસવાટ કરે છે. જેમાં માલધારી ભાભલુભાઇ વાધની દિકરી હિરલ ભાભલુભાઇ વાધ ઉ.વ.16 મચ્છુન્દ્રી નદીના કાંઠે વાસણ ધોતી હતી. દરમિયાન નદીનાં પાણીમાંથી અચાનક મગરે બાળકી પર હુમલો કરી દેતા બાળકીએ બૂમાબૂમ કરી હતી. પરંતુ મગરે મુખમાં બાળકીનો હાથ જકડી નદીના ઉંડા પાણીમાં ઢસળી લઇ ગયો હતો. જો કે આજુબાજુમાં નદી કાંઠે મહીલા કપડા ધોતી હોય તેની નજર પડતા તાત્કાલીક તેમના પરીવારજનોને જાણ કરી હતી.
આ બનાવ અંગે વનવિભાગને જાણ કરતા ફોરેસ્ટ અધિકારી એમ જે બાંભણીયા, એચ વી સોલંકી, પી ડી વાધેલા સહીતનો સ્ટાફ અને તરવૈતાઓ તાત્કાલીક ધટના સ્થળે દોડી ગયા હતા અને નદીના પાણીમાં બાળકીની શોધખોળ શરૂ કરી હતી. અને પાંચ કલાકની જહેમત બાદ નદીના પાણીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને ગીરગઢડા સરકારી હોસ્પીટલે પી એમ માટે મોકલી અપાયો છે. જો કે આ ઘટનાથી નેસ વિસ્તારના માલધારી પરીવારમાં ઘેરો શોક છવાયો છે.