તમામ આરોપીઓ વિરુદ્ધ 117 જેટલા ગુનાઓ નોંધાયા : રેન્જ આઈ.જી. સંદિપસિંઘ
નિખીલ દોંગા અને તેની ગેંગ દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું
રાજકોટ. ગોંડલનાં નામચીન નિખીલ દોંગા અને તેના સાગરીતો સહિત 12 સામે ગુજસીટોક હેઠળનો ગુનો નોંધાયો છે. આ અંગે વિગતો આપવા રેન્જ આઈ.જી. સંદિપસિંઘે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યા મુજબ ગુનાનાં 7 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 3 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે. અને બાકીના 2 આરોપીઓની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ 117 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
સંદિપસિંઘે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, નિખીલ દોંગા અને તેની ગેંગ દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું. જેમાં ધાકધમકી આપી માર મારવો અને મિલકત પચાવી પાડવા તેમજ નુકસાન પહોંચાડવાનાં ગુનાઓ સામેલ છે. આ સાથે જ નિખિલના સાગરીતો સહિત અન્ય 6 લોકોએ ગેરકાયદેસર જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. બાદમાં પેરોલ પર બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું હતું. મુખ્ય આરોપી નિખિલ દોંગા વિરુદ્ધ 14 જેટલા ગુનાઓ નોંધાયા છે. સાથે જ તે 19 વખત પેરોલમાં બહાર આવ્યો હોવાનું સામે આવતા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ ગુનામાં સામેલ નિખિલ દોંગા સહિતનાં 3 આરોપી હાલ જેલમાં છે. અને 7 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે બાકીનાં 2 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર હોઈ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. નિખિલ દોંગા તેમજ તેના સાગરિતો પર રાજકોટ શહેર અને જિલ્લા સહિત જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ ધાકધમકી, જમીન પચાવી લેવી, હત્યા, હત્યાની કોશિષ સહિતનાં 117 ગુના નોંધાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું.
જેલમાં રહેલા અને ઝડપાયેલા આરોપીઓમાં નિખીલ રમેશભાઈ દોંગા, વિજય ભીખાભાઈ જાદવ, પૃથ્વી યોગેશભાઈ જાદવ, નવઘણ વરજાંગભાઈ શીયાળ, દર્શન પ્રફુલભાઈ સાકરવાડીયા, વિશાલ આત્મારામ પરમાર, અક્ષય સુર્યકાંતભાઈ દુધરેજીયા, શક્તિસિંહ જશુભા ચુડાસમા, દેવાંગ જયંતીલાલ જોશી તેમજ નરેશ રાજુભાઈ સિંધવા સામેલ છે. જ્યારે અન્ય બે આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ ગેંગનો ભોગ બનેલા લોકોને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના સામે આવી ફરિયાદ કરવાની અપીલ પણ રેન્જ આઈ.જી. સંદિપસિંઘે કરી છે.
નિખીલ દોંગા અને તેની ગેંગ દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું
રાજકોટ. ગોંડલનાં નામચીન નિખીલ દોંગા અને તેના સાગરીતો સહિત 12 સામે ગુજસીટોક હેઠળનો ગુનો નોંધાયો છે. આ અંગે વિગતો આપવા રેન્જ આઈ.જી. સંદિપસિંઘે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જણાવ્યા મુજબ ગુનાનાં 7 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય 3 આરોપીઓ પહેલેથી જ જેલમાં છે. અને બાકીના 2 આરોપીઓની હાલ શોધખોળ કરવામાં આવી રહી છે. તમામ આરોપીઓ વિરુદ્ધ 117 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પણ તેમણે કહ્યું હતું.
સંદિપસિંઘે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ, નિખીલ દોંગા અને તેની ગેંગ દ્વારા ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરવામાં આવતું હતું. જેમાં ધાકધમકી આપી માર મારવો અને મિલકત પચાવી પાડવા તેમજ નુકસાન પહોંચાડવાનાં ગુનાઓ સામેલ છે. આ સાથે જ નિખિલના સાગરીતો સહિત અન્ય 6 લોકોએ ગેરકાયદેસર જેલમાં રહી જમીન પચાવવા અંગે પ્લાન બનાવતા હતા. બાદમાં પેરોલ પર બહાર આવી લોકોને ધાકધમકી આપી ડરાવતા હોવાનું સામે આવ્યું હતું. મુખ્ય આરોપી નિખિલ દોંગા વિરુદ્ધ 14 જેટલા ગુનાઓ નોંધાયા છે. સાથે જ તે 19 વખત પેરોલમાં બહાર આવ્યો હોવાનું સામે આવતા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ ગુનામાં સામેલ નિખિલ દોંગા સહિતનાં 3 આરોપી હાલ જેલમાં છે. અને 7 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જ્યારે બાકીનાં 2 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર હોઈ તેમની શોધખોળ કરવામાં આવી રહી છે. નિખિલ દોંગા તેમજ તેના સાગરિતો પર રાજકોટ શહેર અને જિલ્લા સહિત જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ ધાકધમકી, જમીન પચાવી લેવી, હત્યા, હત્યાની કોશિષ સહિતનાં 117 ગુના નોંધાયેલા હોવાનું તેમણે જણાવ્યું હતું.
જેલમાં રહેલા અને ઝડપાયેલા આરોપીઓમાં નિખીલ રમેશભાઈ દોંગા, વિજય ભીખાભાઈ જાદવ, પૃથ્વી યોગેશભાઈ જાદવ, નવઘણ વરજાંગભાઈ શીયાળ, દર્શન પ્રફુલભાઈ સાકરવાડીયા, વિશાલ આત્મારામ પરમાર, અક્ષય સુર્યકાંતભાઈ દુધરેજીયા, શક્તિસિંહ જશુભા ચુડાસમા, દેવાંગ જયંતીલાલ જોશી તેમજ નરેશ રાજુભાઈ સિંધવા સામેલ છે. જ્યારે અન્ય બે આરોપીઓને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે આ ગેંગનો ભોગ બનેલા લોકોને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના સામે આવી ફરિયાદ કરવાની અપીલ પણ રેન્જ આઈ.જી. સંદિપસિંઘે કરી છે.