આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રો પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે
હજીરા ઘોઘા રો- પેક્સ ફેરી સર્વિસની શરૂઆત હજુ થવા જઈ રહી છે.
3800 પેસેન્જર, 800 કાર, 400 બાઈક, અને 500 ગુડ્ઝનું બુકિંગ એડવાન્સમાં થયું
બાર હજાર જેટલા લોકોએ ઓનલાઇન રો પેક્સ ફેરીની ઇન્કવાયરી કરી
સુરત. હજીરા ઘોઘા રો- પેક્સ ફેરી સર્વિસની શરૂઆત હજુ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રો પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે. ઉદ્ઘાટન થયા પહેલા જ ૨૪ કલાકમાં 3800 પેસેન્જર અને 1700 વાહનનું બુકિંગ એડવાન્સ માં થઈ ગયું છે.
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો- પેક્સ ફેરી સર્વિસની આવતીકાલથી શુભ શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે ૨૪ કલાકમાં જ 3800 પેસેન્જરે બુકીંગ કરાવ્યું છે. અને 800 કાર 400 બાઈક તેમજ 500 ગુડ્ઝનું બુકિંગ એડવાન્સમાં થઈ ગયું છે. સાથે સાથે બાર હજાર જેટલા લોકોએ ઓનલાઇન રો પેક્સ ફેરીની ઇન્કવાયરી કરી લીધી છે. જે બાબતની જાણકારી ઈન્ડિગો સીના સીઈઓ કેપટન ડી. કે. મનરાલે આપી હતી.
સોંરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. કારણકે સુરતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે દસથી બાર કલાકની મુસાફરી કરવી પડતી હતી. જેના બદલે હવે આ સેવાના કારણે માત્ર 4 કલાકમાં તેઓ પોતાના વતન જઈ શકશે. પહેલા સાથે તેઓ પોતાની મોટર સાયકલ, કાર લઇ જઈ શકતા ન હતા પરંતુ હવે તેઓ આ બધું પણ સાથે લઇ જઇ શકશે. તેમજ વેપારીઓએ પણ મોટી સંખ્યામાં આ સુવિધાનો લાભ લેવા માટે ઇન્કવાયરી કરી હતી. જેને ધ્યાને રાખીને રો પેક્સ ફેરીમાં કાર્ગો માટેના કન્ટેનર મુકાયા છે. રો પેક્સ ફેરીમાં 30 કરોડના ખર્ચે 200 પેસેન્જર એક સાથે બેસી શકે તેવું ટર્મિનલ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ટીકીટ બુકિંગ, સિક્યુરિટી અને કેન્ટીન જેવી સુવિધાઓ પણ મૂકવામાં આવી છે.
રો પેક્સ ફેરીની યોજાયેલી ટ્રાયલમાં તે ફેલ થઈ હતી. અને ચાર કલાકની જગ્યાએ ૯ કલાકમાં મુસાફરી પૂર્ણ કરીહતી. સર્કિટમાં ખામી આવી જવાના કારણે એન્જિન માં લીકેજ થતાં તે ધીમી પડી ગઇ હતી.જેથી તેને ભાવનગર થી હજીરા પહોંચતા નવ કલાક લાગ્યા હતા. 9 નવેમ્બરથી શરૂ થનારી રો પેક્સ ફેરી હજીરા સુધી પહોંચવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસ શરૂ કરવાની છે. જે બસ અડાજણ થી હજીરા પોર્ટ સુધી જશે. હવે લોકોને આ સુવિધાના કારણે લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે.
હજીરા ઘોઘા રો- પેક્સ ફેરી સર્વિસની શરૂઆત હજુ થવા જઈ રહી છે.
3800 પેસેન્જર, 800 કાર, 400 બાઈક, અને 500 ગુડ્ઝનું બુકિંગ એડવાન્સમાં થયું
બાર હજાર જેટલા લોકોએ ઓનલાઇન રો પેક્સ ફેરીની ઇન્કવાયરી કરી
સુરત.હજીરા ઘોઘા રો- પેક્સ ફેરી સર્વિસની શરૂઆત હજુ થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રો પેક્સ ફેરીનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવાના છે. ઉદ્ઘાટન થયા પહેલા જ ૨૪ કલાકમાં 3800 પેસેન્જર અને 1700 વાહનનું બુકિંગ એડવાન્સ માં થઈ ગયું છે.
વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હજીરા ઘોઘા રો- પેક્સ ફેરી સર્વિસની આવતીકાલથી શુભ શરૂઆત થવા જઇ રહી છે. ત્યારે ૨૪ કલાકમાં જ 3800 પેસેન્જરે બુકીંગ કરાવ્યું છે. અને 800 કાર 400 બાઈક તેમજ 500 ગુડ્ઝનું બુકિંગ એડવાન્સમાં થઈ ગયું છે. સાથે સાથે બાર હજાર જેટલા લોકોએ ઓનલાઇન રો પેક્સ ફેરીની ઇન્કવાયરી કરી લીધી છે. જે બાબતની જાણકારી ઈન્ડિગો સીના સીઈઓ કેપટન ડી. કે. મનરાલે આપી હતી.
સોંરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે. કારણકે સુરતના લોકોને સૌરાષ્ટ્ર જવા માટે દસથી બાર કલાકની મુસાફરી કરવી પડતી હતી. જેના બદલે હવે આ સેવાના કારણે માત્ર 4 કલાકમાં તેઓ પોતાના વતન જઈ શકશે. પહેલા સાથે તેઓ પોતાની મોટર સાયકલ, કાર લઇ જઈ શકતા ન હતા પરંતુ હવે તેઓ આ બધું પણ સાથે લઇ જઇ શકશે. તેમજ વેપારીઓએ પણ મોટી સંખ્યામાં આ સુવિધાનો લાભ લેવા માટે ઇન્કવાયરી કરી હતી. જેને ધ્યાને રાખીને રો પેક્સ ફેરીમાં કાર્ગો માટેના કન્ટેનર મુકાયા છે. રો પેક્સ ફેરીમાં 30 કરોડના ખર્ચે 200 પેસેન્જર એક સાથે બેસી શકે તેવું ટર્મિનલ પણ બનાવવામાં આવ્યું છે. જેમાં ટીકીટ બુકિંગ, સિક્યુરિટી અને કેન્ટીન જેવી સુવિધાઓ પણ મૂકવામાં આવી છે.
રો પેક્સ ફેરીની યોજાયેલી ટ્રાયલમાં તે ફેલ થઈ હતી. અને ચાર કલાકની જગ્યાએ ૯ કલાકમાં મુસાફરી પૂર્ણ કરીહતી. સર્કિટમાં ખામી આવી જવાના કારણે એન્જિન માં લીકેજ થતાં તે ધીમી પડી ગઇ હતી.જેથી તેને ભાવનગર થી હજીરા પહોંચતા નવ કલાક લાગ્યા હતા. 9 નવેમ્બરથી શરૂ થનારી રો પેક્સ ફેરી હજીરા સુધી પહોંચવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા બીઆરટીએસ અને સિટી બસ શરૂ કરવાની છે. જે બસ અડાજણ થી હજીરા પોર્ટ સુધી જશે. હવે લોકોને આ સુવિધાના કારણે લાંબી મુસાફરી કરવાની જરૂર નહીં પડે.