કોરોના વોરીયર્સ એવા તબીબને અન્ય તબીબ અને મેન્જમેન્ટના ત્રણ શખ્સોએ ભેગા મળી માર મારવાની ઘટના
પેમેન્ટના મુદ્દે તકરાર થતાં અન્ય તબીબોએ સાથે મળી ડોકટરને ફટકાર્યો
ખટોદરા પોલીસે રત્નદીપ હોસ્પિટલના તબીબો સહિત 4 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
સુરત. કોરોના વોરીયર્સ એવા તબીબને અન્ય તબીબોએ માર મારવાની ઘટના સામે આવી છે. વિઝીટીંગ ચાર્જના બાકી નિકળતાં 1 લાખ લેવા ડોક્ટર હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં જ પેમેન્ટના મુદ્દે તકરાર થતાં ડોકટરને ફટકાર્યો હતો. જો કે આ સમગ્ર મામલો ખટોદરા પોલીસ મથકે પહોચ્યો છે. અને ખટોદરા પોલીસે રત્નદીપ હોસ્પિટલના ડો.રવિરાજસિંહ અને મેન્જમેન્ટના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
સુરતમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે તબીબને માર મારવાની ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં કોવીડ-19 ના પેશન્ટની સારવારના રૂપિયા લેવા માટે બોલાવી તબીબને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને તબીબે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર, વેસુમાં આગમ હેરીટેઝમાં રહેતા એમડી ચેસ્ટ ફીજીશીયન ડો.દીપ સંજીવની હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરે છે. જુન-જુલાઇમાં તેઓ રત્નદીપ હોસ્પિટલમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે વિઝિટમાં જતા હતા. જ્યાં વિઝિટ ચાર્જના રૂ,2.13 લાખ ડો.દીપે લેવાના નિકળતા હતા. જેમાંથી તેમને અડધા રૂપિયા ચુકવી દીધા હતા. જ્યારે બાકીના રૂ. 1.13 લાખ માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હતા.
દરમિયાન બાકી પૈસા મુદ્દે સોમવારે ડો.દીપને હોસ્પિટલમાં બોલાવાયો હતો.જ્યાં તેમને 1 લાખનો ચેક આપીને હવે નાણા લેવાના નિકળતા નથી તેવા લખાણવાળા કાગળ પર સાઇન કરાવી લીધી હતી. ત્યારબાદ અચાનક જ પંકજ રાજે નીચે પડેલા પડદાની લોખંડની પાઇપ ઉંચકી ડો.દીપ પર હુમલો કર્યો હતો. આ અંગેે ખટોદરા પોલીસે રત્નદીપ હોસ્પિટલના ડો.રવીન્દ્ર સિંહ ઉર્ફે રવિસિંહ રાજ, અને મેનેજમેન્ટના પંકજસિંહ રાજ, જયસિંહ રાજ અને રજનીકાંતસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ ઘટનાને લઈને મોડી રાત્રે ડોકટરોનું ટોળું પણ ખટોદરા પોલીસ મથકે ઘસી આવ્યું હતું. જો કે પોલીસે મામલો સંભાળી તપાસ શરુ કરી છે.
કોરોના વોરીયર્સ એવા તબીબને અન્ય તબીબ અને મેન્જમેન્ટના ત્રણ શખ્સોએ ભેગા મળી માર મારવાની ઘટના
પેમેન્ટના મુદ્દે તકરાર થતાં અન્ય તબીબોએ સાથે મળી ડોકટરને ફટકાર્યો
સુરત. કોરોના વોરીયર્સ એવા તબીબને અન્ય તબીબોએ માર મારવાની ઘટના સામે આવી છે. વિઝીટીંગ ચાર્જના બાકી નિકળતાં 1 લાખ લેવા ડોક્ટર હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં જ પેમેન્ટના મુદ્દે તકરાર થતાં ડોકટરને ફટકાર્યો હતો. જો કે આ સમગ્ર મામલો ખટોદરા પોલીસ મથકે પહોચ્યો છે. અને ખટોદરા પોલીસે રત્નદીપ હોસ્પિટલના ડો.રવિરાજસિંહ અને મેન્જમેન્ટના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
સુરતમાં રૂપિયાની લેતી દેતી મુદ્દે તબીબને માર મારવાની ઘટના સામે આવી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં કોવીડ-19 ના પેશન્ટની સારવારના રૂપિયા લેવા માટે બોલાવી તબીબને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને તબીબે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર, વેસુમાં આગમ હેરીટેઝમાં રહેતા એમડી ચેસ્ટ ફીજીશીયન ડો.દીપ સંજીવની હોસ્પિટલમાં પ્રેક્ટીસ કરે છે. જુન-જુલાઇમાં તેઓ રત્નદીપ હોસ્પિટલમાં કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે વિઝિટમાં જતા હતા. જ્યાં વિઝિટ ચાર્જના રૂ,2.13 લાખ ડો.દીપે લેવાના નિકળતા હતા. જેમાંથી તેમને અડધા રૂપિયા ચુકવી દીધા હતા. જ્યારે બાકીના રૂ. 1.13 લાખ માટે ધક્કા ખવડાવવામાં આવી રહ્યા હતા.
દરમિયાન બાકી પૈસા મુદ્દે સોમવારે ડો.દીપને હોસ્પિટલમાં બોલાવાયો હતો.જ્યાં તેમને 1 લાખનો ચેક આપીને હવે નાણા લેવાના નિકળતા નથી તેવા લખાણવાળા કાગળ પર સાઇન કરાવી લીધી હતી. ત્યારબાદ અચાનક જ પંકજ રાજે નીચે પડેલા પડદાની લોખંડની પાઇપ ઉંચકી ડો.દીપ પર હુમલો કર્યો હતો. આ અંગેે ખટોદરા પોલીસે રત્નદીપ હોસ્પિટલના ડો.રવીન્દ્ર સિંહ ઉર્ફે રવિસિંહ રાજ, અને મેનેજમેન્ટના પંકજસિંહ રાજ, જયસિંહ રાજ અને રજનીકાંતસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. આ ઘટનાને લઈને મોડી રાત્રે ડોકટરોનું ટોળું પણ ખટોદરા પોલીસ મથકે ઘસી આવ્યું હતું. જો કે પોલીસે મામલો સંભાળી તપાસ શરુ કરી છે.