રાજ્યમાં વધી રહેલા કોરોનાના વ્યાપ વચ્ચે રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં
કોરોનાના વધી રહેલા વ્યાપને જોતા અંબાજી મંદિર ફરી એક વાર બંધ કરવાનો નિર્ણય
રાજ્યમાં એક જ દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 11,176
WatchGujarat. રાજ્યમાં નવા વર્ષમાં કોરોનાની સાથે ઓમિક્રોન વેરીયન્ટે પણ દસ્તક દીધી છે. ત્યારે રાજ્યામાં સંભવીત ત્રીજી લહેરા જોવા મળી રહીં છે. જેમાં ગુજરાતમાં એક જ દિવસમાં 11,176 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. તેવામાં રા5 જ્યના પોલીસ વડા બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,176 નવા કેસ નોંધાયા છે અને 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3673 કેસ નોંઘાયા છે. જ્યારે સુરતમાં 2690, રાજકોટમાં 440, વલસાડ 337, ગાંધીનગર 319 અને વડોદરામાં 1047 કેસ નોંધાયા છે. તથા અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મળી કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે.
ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની આસપાસ પહોંચી ગયા છે. જેને પગલે રાદ્ય સરકાર કોરોનાન વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહીં છે અને જરબરી વ્યવસ્થાઓ કરવા લાગી છે. તેમ જ દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહીં છે. કોરોનાના વધી રહેલા વ્યાપ વચ્ચે 15થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આજરોજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી મળી હતી. જ્યારે હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કોરોના પોઝિટીવ આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા પંજાબમાં પી.એમની સુરક્ષાની ખામીઓને લઇને પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સમયે સી.આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એક સાથે જોવા મળ્યાં હતા. તો હવે જોવાનુ રહ્યું કે ગૃહમંત્રી કોરોના સંક્રમિત થયા બાદ શું સી.આર પાટીલ પણ કોરોના ટેસ્ટ કરાવે છે કે કેમ ?
- રાજ્યમાં વધી રહેલા કોરોનાના વ્યાપ વચ્ચે રાજ્યના પોલીસ વડા આશીષ ભાટીયા પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં
- કોરોનાના વધી રહેલા વ્યાપને જોતા અંબાજી મંદિર ફરી એક વાર બંધ કરવાનો નિર્ણય
- રાજ્યમાં એક જ દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા 11,176
WatchGujarat. રાજ્યમાં નવા વર્ષમાં કોરોનાની સાથે ઓમિક્રોન વેરીયન્ટે પણ દસ્તક દીધી છે. ત્યારે રાજ્યામાં સંભવીત ત્રીજી લહેરા જોવા મળી રહીં છે. જેમાં ગુજરાતમાં એક જ દિવસમાં 11,176 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. તેવામાં રા5 જ્યના પોલીસ વડા બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi) પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,176 નવા કેસ નોંધાયા છે અને 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3673 કેસ નોંઘાયા છે. જ્યારે સુરતમાં 2690, રાજકોટમાં 440, વલસાડ 337, ગાંધીનગર 319 અને વડોદરામાં 1047 કેસ નોંધાયા છે. તથા અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મળી કુલ 5 લોકોના મોત નિપજ્યાં છે.
ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસો 10 હજારની આસપાસ પહોંચી ગયા છે. જેને પગલે રાદ્ય સરકાર કોરોનાન વધી રહેલા કેસોનું સતત મોનિટરિંગ કરી રહીં છે અને જરબરી વ્યવસ્થાઓ કરવા લાગી છે. તેમ જ દિવસે દિવસે નિયંત્રણો પણ કડક કરી રહીં છે. કોરોનાના વધી રહેલા વ્યાપ વચ્ચે 15થી 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર બંધ રખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આજરોજ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી મળી હતી. જ્યારે હવે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કોરોના પોઝિટીવ આવ્યાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત રોજ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને હર્ષ સંઘવી દ્વારા પંજાબમાં પી.એમની સુરક્ષાની ખામીઓને લઇને પ્રેસ કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું છે. આ સમયે સી.આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી એક સાથે જોવા મળ્યાં હતા. તો હવે જોવાનુ રહ્યું કે ગૃહમંત્રી કોરોના સંક્રમિત થયા બાદ શું સી.આર પાટીલ પણ કોરોના ટેસ્ટ કરાવે છે કે કેમ ?