નામ બદલીને હિન્દુ યુવતિઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરનારા તત્વો સામે કડક કાયદો ધડાયો
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બપાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદના કાયદાને બહુમતીથી પસાર કરવામાં આવ્યો
કાયદમાં સજાની કડક જોગવાઇઓ કરાઇ છે.
દીકરી તો પારકી થાપણ કહેવા એને જેહાદીઓના હાથમાંથી જતી બચાવવા માટે આ કાયદો લવાયો છે - ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
WatchGujarat ગુજરાતમાં લવ જેહાદના અનેકો કિસ્સાઓ સામે આવતા રાજ્ય સરકાર આ અંગે કડક કાયદો ઘડવા હરકતમાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ બિલ પસાર કરવામાં આવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિઘેયક બિલ રજૂ કરતા કલાકોની ચર્ચા બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. હવે બિલને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા બિલ પસાર થતાં લવ જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લાગશે. બહુમતથી પસાર થયેલા બિલમાં સજાની કડક જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આજે ગુજરાત વિધાનસબામાં વર્ષ 2003ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારા વિધેયક રજૂ કરાતા એક કલાક કરતા વધુ સમય સુધી બોલ્યા હતા. ગૃહમંત્રીએ લવ જેહાદની વિસ્તૃત માહિતી પણ આપી હતી. આવા કાયદા વિશ્વના બીજા દેશો અને ભારતના કેટલાક રાજ્યોમાં અસ્તિત્વમાં હોવાનુ પણ તેમણે જણાવ્યું હતુ.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરતા જણાવ્યું હતુ કે, હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ના જવા દેવાય. દીકરીઓને બચાવવા માટે અમે આ કાયદો લાવ્યાં છે. સમાજ દ્વારા વિવિધ રજૂઆતોને ધ્યાને લઇ આજે આ બિલ લાવવામાં આવ્યું છે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવી, તેમની સાથે લગ્નગ્રંથીથી જોડાઇ અનેક દીકરીઓના જીવનને નર્ક બનાવવાની માનસિક્તા ધરાવાત જેહાદી તત્વોની સામે સખતાઇથી અને કડકાઇથી કામ કરવાનુ રાજ્ય સરાકે નક્કી કર્યું છે. ખોટ નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. આ બાબતે તેમણે ઉમેર્યુ છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી બનતા કિસ્સાઓમાં પણ કાર્યવાહી થશે.
ગુજરાત વાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજૂ કર્યુ હતુ. જેમાં ધર્મ સ્વાતંત્ર્ય સુદા વિધેયક 2021ને બહુમતીથી પસાર કરાયું છે. આ વિધેયકમાં 5 વર્ષ સુધી સજા અને રૂ. 2 લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ. 3 લાખના દંડની જોગવાઇ છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતી સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની સજાની જોગવાઇ છે.
નામ બદલીને હિન્દુ યુવતિઓને પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરનારા તત્વો સામે કડક કાયદો ધડાયો
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર બપાદ હવે ગુજરાતમાં પણ લવ જેહાદના કાયદાને બહુમતીથી પસાર કરવામાં આવ્યો
કાયદમાં સજાની કડક જોગવાઇઓ કરાઇ છે.
દીકરી તો પારકી થાપણ કહેવા એને જેહાદીઓના હાથમાંથી જતી બચાવવા માટે આ કાયદો લવાયો છે - ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા
WatchGujarat ગુજરાતમાં લવ જેહાદના અનેકો કિસ્સાઓ સામે આવતા રાજ્ય સરકાર આ અંગે કડક કાયદો ઘડવા હરકતમાં આવી હતી. ગુજરાત વિધાનસભામાં લવ જેહાદ બિલ પસાર કરવામાં આવ્યું હતુ. ગુજરાત વિધાનસભામાં ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિઘેયક બિલ રજૂ કરતા કલાકોની ચર્ચા બાદ બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. હવે બિલને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા બિલ પસાર થતાં લવ જેહાદના નામે ચાલતી ધર્મ પરિવર્તનની પ્રવૃત્તિ પર રોક લાગશે. બહુમતથી પસાર થયેલા બિલમાં સજાની કડક જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા આજે ગુજરાત વિધાનસબામાં વર્ષ 2003ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારા વિધેયક રજૂ કરાતા એક કલાક કરતા વધુ સમય સુધી બોલ્યા હતા. ગૃહમંત્રીએ લવ જેહાદની વિસ્તૃત માહિતી પણ આપી હતી. આવા કાયદા વિશ્વના બીજા દેશો અને ભારતના કેટલાક રાજ્યોમાં અસ્તિત્વમાં હોવાનુ પણ તેમણે જણાવ્યું હતુ.
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કરતા જણાવ્યું હતુ કે, હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ના જવા દેવાય. દીકરીઓને બચાવવા માટે અમે આ કાયદો લાવ્યાં છે. સમાજ દ્વારા વિવિધ રજૂઆતોને ધ્યાને લઇ આજે આ બિલ લાવવામાં આવ્યું છે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવી, તેમની સાથે લગ્નગ્રંથીથી જોડાઇ અનેક દીકરીઓના જીવનને નર્ક બનાવવાની માનસિક્તા ધરાવાત જેહાદી તત્વોની સામે સખતાઇથી અને કડકાઇથી કામ કરવાનુ રાજ્ય સરાકે નક્કી કર્યું છે. ખોટ નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. આ બાબતે તેમણે ઉમેર્યુ છે કે, સોશિયલ મીડિયાના માધ્યમથી બનતા કિસ્સાઓમાં પણ કાર્યવાહી થશે.
ગુજરાત વાનસભામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજૂ કર્યુ હતુ. જેમાં ધર્મ સ્વાતંત્ર્ય સુદા વિધેયક 2021ને બહુમતીથી પસાર કરાયું છે. આ વિધેયકમાં 5 વર્ષ સુધી સજા અને રૂ. 2 લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ. 3 લાખના દંડની જોગવાઇ છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતી સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની સજાની જોગવાઇ છે.