ભારે હોબાળા બાદ DyCM નીતિન પટેલે જાહેરમાં માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો
દલિતોએ પૂતળું સળગાવી કર્યો વિરોધ
રાજકારણીઓ જાહેરમંચ પરથી વિવાદિત નિવેદન કરી લે છે, જો કે મામલો બિચકાય ત્યારે ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી માફી માંગી લ છે.
વિવાદિત નિવેદન બાદ જાહેરમાં માફી માંગી ઝૂક્યા DyCM નીતિન પટેલ
જાહેરમાં માફી નહીં માંગે તો દલીત સમાજ દ્વારા ઝલદ આંદોલનની ચીમકી આપી હતી
કૃષ્ણનગર અને મેઘાની નગર ઉંઘતી ઝડપાઇ, પોલીસની લાજ બચાવવા મોડેથી ગુનો નોંધ્યો
અમદાવાદ . પેટા ચૂંટણીમાં જીત મેળવવાના જોશમાં હોશ ગુમાવી બેઠેલા ડેપ્યુટી સીએમ નિતીન પટેલે મોરબી ખાતે જાહેર મંચ પરથી નરેશ કનોડીયા - મહેશ કનોડીયા વિશે જાતિ સૂચક શબ્દોનો પ્રયોગ કરી વિવાદીત નિવેદન કર્યું હતું. જોકે, દલીત સમાજમાં તેમના પ્રત્યે રોષ ફાટી નિકળ્યા બાદ, તેઓની સામે જઈ માંફી માગવાને બદલે સોશિયલ મિડીયા પર માફી માંગી લઈ વિવાદ ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દલિત પેંથરના કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં આવ્યા હતા. અને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે DyCM નીતિનભાઈ પટેલનું પુતળું સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. જો કે પુતળા દહન બાદ પણ વિવિધ દલીત સમાજે ચીમકી ઉચ્ચારી હતી. અને કહ્યું હતું કે જો હજી પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જાહેરમાં માફી નહિ માંગે તો ઝલદ આંદોલન થઇ શકે છે. જોકે આજે બુધવાર સાંજે નીતિન પટેલે પોતાના સોશ્યિલ હેન્ડલ પર જાહેરમાં માફી માંગી લેતા મામલો થાળે પડ્યો છે.
[embed]https://twitter.com/nitinbhai_patel/status/1323957047294152705?s=21[/embed]
આ સમગ્ર ઘટનામાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. મળતી માહિતી પ્રમાણે સેકટર 2 પોલીસ નીતિન પટેલનાં પૂતળાં બાળવાના કાર્યક્રમને અટકાવવામાં નિષ્ફળ સાબીત થઇ હતી. તો કૃષ્ણનગર અને મેઘાણીનગર વિસ્તારમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. અને પાછળથી આ ઘટનામાં પોતાની લાજ બચાવવા માટે દલિત કાર્યકરોએ પૂતળાં બાળતાં લોકો સામે ગુનો નોંધ્યો હતો.
- ભારે હોબાળા બાદ DyCM નીતિન પટેલે જાહેરમાં માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો
- દલિતોએ પૂતળું સળગાવી કર્યો વિરોધ
- રાજકારણીઓ જાહેરમંચ પરથી વિવાદિત નિવેદન કરી લે છે, જો કે મામલો બિચકાય ત્યારે ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી માફી માંગી લ છે.
- વિવાદિત નિવેદન બાદ જાહેરમાં માફી માંગી ઝૂક્યા DyCM નીતિન પટેલ
- જાહેરમાં માફી નહીં માંગે તો દલીત સમાજ દ્વારા ઝલદ આંદોલનની ચીમકી આપી હતી
- કૃષ્ણનગર અને મેઘાની નગર ઉંઘતી ઝડપાઇ, પોલીસની લાજ બચાવવા મોડેથી ગુનો નોંધ્યો
અમદાવાદ . પેટા ચૂંટણીમાં જીત મેળવવાના જોશમાં હોશ ગુમાવી બેઠેલા ડેપ્યુટી સીએમ નિતીન પટેલે મોરબી ખાતે જાહેર મંચ પરથી નરેશ કનોડીયા - મહેશ કનોડીયા વિશે જાતિ સૂચક શબ્દોનો પ્રયોગ કરી વિવાદીત નિવેદન કર્યું હતું. જોકે, દલીત સમાજમાં તેમના પ્રત્યે રોષ ફાટી નિકળ્યા બાદ, તેઓની સામે જઈ માંફી માગવાને બદલે સોશિયલ મિડીયા પર માફી માંગી લઈ વિવાદ ઠારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
દલિત પેંથરના કાર્યકર્તાઓ આક્રમક મૂડમાં આવ્યા હતા. અને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ગત મોડી રાત્રે DyCM નીતિનભાઈ પટેલનું પુતળું સળગાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. જો કે પુતળા દહન બાદ પણ વિવિધ દલીત સમાજે ચીમકી ઉચ્ચારી હતી. અને કહ્યું હતું કે જો હજી પણ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જાહેરમાં માફી નહિ માંગે તો ઝલદ આંદોલન થઇ શકે છે. જોકે આજે બુધવાર સાંજે નીતિન પટેલે પોતાના સોશ્યિલ હેન્ડલ પર જાહેરમાં માફી માંગી લેતા મામલો થાળે પડ્યો છે.
[embed]https://twitter.com/nitinbhai_patel/status/1323957047294152705?s=21[/embed]
આ સમગ્ર ઘટનામાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. મળતી માહિતી પ્રમાણે સેકટર 2 પોલીસ નીતિન પટેલનાં પૂતળાં બાળવાના કાર્યક્રમને અટકાવવામાં નિષ્ફળ સાબીત થઇ હતી. તો કૃષ્ણનગર અને મેઘાણીનગર વિસ્તારમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. અને પાછળથી આ ઘટનામાં પોતાની લાજ બચાવવા માટે દલિત કાર્યકરોએ પૂતળાં બાળતાં લોકો સામે ગુનો નોંધ્યો હતો.