આર.ટી.આઈ મા થયો ખુલાસો હજી પણ નર્મદા જીલ્લાના કોરોના ચાર્ટમા મૃત્યુ પામેલા હતભાગી તરીકેની સંખ્યા 3 જ, જ્યારે સ્ટેટમાં માત્ર 1
નર્મદા જીલ્લામાં અત્યાર સુધી 1810 લોકો આ બિમારી નો ભોગ બન્યા, 1638 લોકો સાજા થતા રીકવરી રેટ 90.50 % જોવા મળી રહ્યો
WatchGujarat નર્મદા જીલ્લાની રાજપીપળા સ્થિત કોવીડ આઈસોલેશન હોસ્પીટલમાં આજદીન સુધી કુલ 23 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે, તેવો ખુલાસો એક આર.ટી.આઈ મા થયો છે. નર્મદા જીલ્લામાં કોરોના વાયરસના પ્રવેશને આશરે 10 મહીના જેટલો સમય વીતી ગયો છે, અને અત્યાર સુધી 1810 લોકો આ બિમારી નો ભોગ બની ચુક્યાં છે, અને 1638 લોકો સાજા પણ થઈ ચુક્યાં છે. આ હિસાબે નર્મદા જીલ્લા નો રીકવરી રેટ 90.50 % જોવા મળી રહ્યો છે. #RTI
નર્મદા જીલ્લામા કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું હતું અને રાજપીપળા ની કોવીડ હોસ્પીટલમા સમયાંતરે દાખલ દર્દીઓના મોત થઈ રહ્યાં હતા, ડેડબોડીઓ હોસ્પીટલ માથી નિકળી રહી હતી. પરંતું આરોગ્ય વિભાગના અધિકારીઓ આ મૃત્યુના કારણો કે સંખ્યાના સવાલ પુછવામાં આવતા ત્યારે મૌન ધારણ કરી લેતા હતા. અથવા અન્ય અધિકારીઓ ઉપર ટોપલો ઢોળી દેતા હતાં.
લોકોમા સતત પુછાઈ રહેલાં પ્રશ્નો ના જવાબ મેળવવા માટે આખરે એક જાગૃત નાગરિક ઈકરામ મલેક દ્વારા આ બાબત ની માહિતી મેળવવા માટે જાહેર માહિતી અધિકારી ચિફ ડીસ્ટ્રીક્ટ મેડીકલ ઓફીસર જ્યોતિ ગુપ્તા પાસે આર.ટી.આઈ દ્વારા માહિતી માંગવામાં આવતાં તેઓ દ્વારા માહિતી આપવામા આવી હતી. #RTI
માર્ચ થી સપ્ટેમ્બર સુધી 16 દર્દીઓ અને ત્યાર બાદ આજદીન સુધી વધુ 7 દર્દીઓના મોત થયાં નો ખુલાસો થયો હતો. આ 23 દર્દીઓના મોત ના કારણો બાબતે હજી પણ રહસ્ય અકબંધ છે. ગુજરાત સરકારની ગાઈડ લાઈન મુજબ જે દર્દીને માત્ર કોવીડ-19 સિવાય અન્ય કોઈ બિમારી જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ફેફસાંની કે અન્ય કોઈ બિમારી ના હોય અને દર્દીનુ મોત નિપજે ત્યારેજ એ મોતનુ કારણ કોરોનાને ગણી શકાય,અને કોનું મૃત્યુ કઈ બિમારીને કારણે થયું છે તે આંતરીક કમીટી નક્કી કરી શકે છે. પરંતું 10 મહીના વિતવા છતાં પણ આરોગ્ય વિભાગ માહીતી લીક ન થાય તેવા પ્રયાસોમા રહ્યુ હતું, હવે આરટીઆઈ હેઠળ કેટલીક માહિતી બહાર આવી છે.
આરટીઆઈ પેહલા નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના મોત નો આંક 3 બતાવાયો હતો. જ્યારે સ્ટેટમાં તેની સંખ્યા માત્ર 1 જ છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધી 1810 કેસ નોંધાયા છે, જેમાં 1638 રિકવર થયા છે અને હાલ 171 એક્ટિવ છે. #RTI
More #Narmada #District #Corona #Dethcase #Goverment record #RTI #Gujaratinews #WatchGujarat
આર.ટી.આઈ મા થયો ખુલાસો હજી પણ નર્મદા જીલ્લાના કોરોના ચાર્ટમા મૃત્યુ પામેલા હતભાગી તરીકેની સંખ્યા 3 જ, જ્યારે સ્ટેટમાં માત્ર 1
નર્મદા જીલ્લામાં અત્યાર સુધી 1810 લોકો આ બિમારી નો ભોગ બન્યા, 1638 લોકો સાજા થતા રીકવરી રેટ 90.50 % જોવા મળી રહ્યો
WatchGujarat નર્મદા જીલ્લાની રાજપીપળા સ્થિત કોવીડ આઈસોલેશન હોસ્પીટલમાં આજદીન સુધી કુલ 23 દર્દીઓ મોતને ભેટી ચુક્યા છે, તેવો ખુલાસો એક આર.ટી.આઈ મા થયો છે. નર્મદા જીલ્લામાં કોરોના વાયરસના પ્રવેશને આશરે 10 મહીના જેટલો સમય વીતી ગયો છે, અને અત્યાર સુધી 1810 લોકો આ બિમારી નો ભોગ બની ચુક્યાં છે, અને 1638 લોકો સાજા પણ થઈ ચુક્યાં છે. આ હિસાબે નર્મદા જીલ્લા નો રીકવરી રેટ 90.50 % જોવા મળી રહ્યો છે. #RTI
નર્મદા જીલ્લામા કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું હતું અને રાજપીપળા ની કોવીડ હોસ્પીટલમા સમયાંતરે દાખલ દર્દીઓના મોત થઈ રહ્યાં હતા, ડેડબોડીઓ હોસ્પીટલ માથી નિકળી રહી હતી. પરંતું આરોગ્ય વિભાગના અધિકારીઓ આ મૃત્યુના કારણો કે સંખ્યાના સવાલ પુછવામાં આવતા ત્યારે મૌન ધારણ કરી લેતા હતા. અથવા અન્ય અધિકારીઓ ઉપર ટોપલો ઢોળી દેતા હતાં.
લોકોમા સતત પુછાઈ રહેલાં પ્રશ્નો ના જવાબ મેળવવા માટે આખરે એક જાગૃત નાગરિક ઈકરામ મલેક દ્વારા આ બાબત ની માહિતી મેળવવા માટે જાહેર માહિતી અધિકારી ચિફ ડીસ્ટ્રીક્ટ મેડીકલ ઓફીસર જ્યોતિ ગુપ્તા પાસે આર.ટી.આઈ દ્વારા માહિતી માંગવામાં આવતાં તેઓ દ્વારા માહિતી આપવામા આવી હતી. #RTI
માર્ચ થી સપ્ટેમ્બર સુધી 16 દર્દીઓ અને ત્યાર બાદ આજદીન સુધી વધુ 7 દર્દીઓના મોત થયાં નો ખુલાસો થયો હતો. આ 23 દર્દીઓના મોત ના કારણો બાબતે હજી પણ રહસ્ય અકબંધ છે. ગુજરાત સરકારની ગાઈડ લાઈન મુજબ જે દર્દીને માત્ર કોવીડ-19 સિવાય અન્ય કોઈ બિમારી જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ફેફસાંની કે અન્ય કોઈ બિમારી ના હોય અને દર્દીનુ મોત નિપજે ત્યારેજ એ મોતનુ કારણ કોરોનાને ગણી શકાય,અને કોનું મૃત્યુ કઈ બિમારીને કારણે થયું છે તે આંતરીક કમીટી નક્કી કરી શકે છે. પરંતું 10 મહીના વિતવા છતાં પણ આરોગ્ય વિભાગ માહીતી લીક ન થાય તેવા પ્રયાસોમા રહ્યુ હતું, હવે આરટીઆઈ હેઠળ કેટલીક માહિતી બહાર આવી છે.
આરટીઆઈ પેહલા નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના મોત નો આંક 3 બતાવાયો હતો. જ્યારે સ્ટેટમાં તેની સંખ્યા માત્ર 1 જ છે. જેમાં જિલ્લામાં અત્યાર સુધી 1810 કેસ નોંધાયા છે, જેમાં 1638 રિકવર થયા છે અને હાલ 171 એક્ટિવ છે. #RTI
More #Narmada #District #Corona #Dethcase #Goverment record #RTI #Gujaratinews #WatchGujarat